Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 થેસ્સાલોનિકીઓને પત્ર 3:11 - કોલી નવો કરાર

11 અમે પ્રાર્થના કરી છયી કે, આપડા પરમેશ્વર બાપ અને આપડા પરભુ ઈસુ મસીહ, અમને તમારી પાહે આવીને મળવા હાટુ મોકો આપે.

Faic an caibideil Dèan lethbhreac




1 થેસ્સાલોનિકીઓને પત્ર 3:11
28 Iomraidhean Croise  

ઈ હાટુ જો તમે માણસોના પાપોને માફ કરશો, તો તમારો, સ્વર્ગમાંનો બાપ પણ તમને માફ કરશે.


જેથી લોકો નય પણ તારો સ્વર્ગીય બાપ જે ખાનગીમાં છે, એને ઉપવાસી જાણે, અને ઈ દશામાં તારો સ્વર્ગીય બાપ જે ખાનગીમાં જોવે છે, ઈ એને વળતર આપશે.


આભના પંખીડાઓને જુઓ! તેઓ વાવતા નથી, અને વાઢતા પણ નથી, અને વખારોમાં ભરતા પણ નથી; તો પણ તમારો સ્વર્ગમાંનો બાપ તેઓને પાળે છે, તો તમે આભના પંખીડાઓ કરતાં વધારે મુલ્યવાન છો.


કેમ કે, બિનયહુદીઓ આ બધી વસ્તુઓને ગોતે છે, પણ તમારો સ્વર્ગમાંનો બાપ જાણે છે કે, તમારે આ બધી વસ્તુઓની જરૂર છે.


જેથી તારૂ દાન ખાનગીમાં થાય, પછી તારો બાપ જે ખાનગીમાં જોવે છે એને એનું વળતર આપશે.


પણ જઈ તું પ્રાર્થના કર, તઈ તુ ઓયડીમાં જયને કમાડ બંધ કરીને, તારા બાપને જે ખાનગી જગ્યામાં છે, પ્રાર્થના કર પછી તારો બાપ જે ખાનગીમાં જોવે છે, ઈ તને વળતર આપશે.


વગડામાં કોય પોકારનાર લોકોને બોલાવી રયું છે, જે એનુ હાંભળે છે, અને કેય છે કે, “તમારી પોતાની જાતને પરભુનો આવકાર કરવા હાટુ બધીય રીતે તૈયારી કરી લેય, જેની હાટુ ઈ આવવાનો છે.”


કેમ કે, લોકો જે પરમેશ્વરને નથી જાણતા તેઓ સદાય આ બધી વસ્તુઓની વિષે ઉપાદી કરે છે. પણ તમારો બાપ જે સ્વર્ગમાં છે ઈ જાણે છે કે તમારે આ બધી વસ્તુઓની જરૂર છે.


તમે તો ઘેટાઓની નાની ટોળી જેવા છો, કોય પણ વાતુના લીધે બીવમાં, કેમ કે, તમારા બાપ જે સ્વર્ગમા છે એને આ હારું લાગે છે કે, ઈ તમને રાજ્ય આપે.


ઈસુએ એને કીધું કે, “મને અડતી નય કેમ કે, હું હજી હુધી બાપની પાહે સ્વર્ગમા નથી ગયો, પણ મારા ભાઈઓની પાહે જયને તેઓને કય દેય કે, હું મારા બાપ અને તારા બાપ, અને મારા પરમેશ્વર અને તારા પરમેશ્વરની પાહે ઉપર જાવ છું”


આ હારા હમાસાર એના દીકરા પરભુ ઈસુ મસીહના વિષે છે ઈસુ દેહિક રીતે રાજા દાઉદના વંશમાં જનમો હતો,


હું તમારો બાપ થાય, અને તમે મારા દીકરા-દીકરીઓ થાહો, આયા સર્વસમર્થ પરભુ પરમેશ્વર કેય છે.”


આપડા પરમેશ્વર અને બાપની ઈચ્છા પરમાણે ઈસુ મસીહે પોતાની જાતને આપડા પાપોના લીધે બલિદાન કરી દીધું જેથી આપડે આ અત્યારના જગતના લોકોના ખરાબ પરભાવથી બસેલા રેયી.


હું પાઉલ આ પત્ર મસીહમા ઈ પવિત્ર અને હાસા વિશ્વાસી ભાઈઓને લખું છું જેઓ કોલોસ્સી શહેરમાં રેય છે. આપડા પરમેશ્વર બાપ તમને કૃપા અને શાંતિ આપતો રેહે.


અને પરભુ ઈસુ મસીહ તમારા મનોને એવી રીતે મજબુત કરે કે, જઈ ઈ આપડા બધાય પવિત્ર લોકોની હારે પાછા આયશે, તો તેઓ પોતાના પરમેશ્વર બાપની હામે પવિત્રતામાં નિરદોષ ઠરશે.


કેમ કે, પરભુ ઈસુ પોતે જ સ્વર્ગમાંથી આયશે, તઈ હુકમ કરવામા આયશે, અને પ્રમુખ દૂતનો અવાજ હંભળાહે, અને પરમેશ્વરનાં રણશિંગડાનો અવાજ હંભળાહે, તઈ જે ઈસુ મસીહ ઉપર વિશ્વાસ કરીને મરી ગયા છે, ઈ પેલા જીવતા થય જાહે.


હવે શાંતિનો પરમેશ્વર પોતે તમને પુરી રીતે પવિત્ર કરે આપડા પરભુ ઈસુ મસીહના પાછા આવતાં હુંધી તમારો આત્મા અને પ્રાણ અને દેહ પુરેપુરી રીતેથી નિરદોષ રાખવામાં આવે.


હવે આપડા પરભુ ઈસુ મસીહ પોતે, અને આપડા પરમેશ્વર બાપ જે આપણને પ્રેમ કરયો, અને કૃપાથી સદાયની શાંતિ અને ઉતમ આશા આપી છે.


હવે પરભુ જે શાંતિ દેનારો છે, પોતે જ તમને સદાય અને દરેક પરકારથી શાંતિ આપે, અને પરભુ સદાય તમારી બધાયની હારે રેય.


પરભુ તમને આ હમજાવવા હાટુ મદદ કરે કે, પરમેશ્વર તમને કેટલો પ્રેમ કરે છે, અને ઈસુ મસીહની જેમ ધીરજ રાખો.


જોવો, પરમેશ્વર બાપે આપડી ઉપર બોવ પ્રેમ કરયો છે કે, આપડે એના સંતાન કેવાય, અને ખરેખર આપડે પરમેશ્વરનાં સંતાન પણ છયી. પણ જગતના લોકો ઈ નથી જાણતા કે, આપડે પરમેશ્વરનાં સંતાન છયી કેમ કે, તેવો પરમેશ્વર બાપને નથી ઓળખતા.


પછી મે એક અવાજ હાંભળ્યો જે પરમેશ્વરની રાજગાદીથી જોરથી બોલવાનો હતો, એણે કીધું કે, જોવો હવેથી પરમેશ્વર માણસજાતની હારે રેહે અને તેઓ એના લોકો હશે, અને પરમેશ્વર પોતે પવિત્રજગ્યામાં એની હારે રેહે અને તેઓને પોતાના લોકોની જેમ અપનાયશે અને તેઓ એને પોતાના પરમેશ્વરનાં રૂપમાં અપનાવશે.


Lean sinn:

Sanasan


Sanasan