8 બધાયથી ખાસ વાત ઈ છે કે, દરેકની હારે ઈમાનદારીથી પ્રેમ કરો, કેમ કે, જો આપડે બીજાને પ્રેમ કરી છયી, તો આપડે ઈ તપાસ કરવાની કોશિશ નય કરી કે એણે શું પાપ કરયુ છે.
અમે પ્રાર્થના કરી છયી કે, પરભુ એવુ કરે કે, જેવો અમે તમને પ્રેમ કરી છયી, એમ જ તમે પણ એક-બીજાને પ્રેમ કરો, અને બધાય લોકોની હારે તમારો પ્રેમ હજીય વધે, અને વધતા જાવ.
હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, તમારી વિષે આપડે પરમેશ્વરનો આભાર સદાય માનવો જોયી, અને એવુ કરવુ ઈ આપડી હાટુ હાસુ છે કેમ કે, ઈસુ મસીહ ઉપર તમારો વિશ્વાસ બોવ વધતો જાય છે, અને એકબીજા ઉપર તમારો પ્રેમ બોવજ વધતો જાય છે.
પણ હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, બધાયથી હારી વાત આ છે કે, હમ નો ખાવ, નો સ્વર્ગના, નો પૃથ્વીના અને નો કોય પણ વસ્તુના, પણ તમારી વાત સીતમાં હા તો હા, અને નય તો નય હોવુ જોયી, જેથી તમે પરમેશ્વરની દ્વારા ગુનેગાર ઠરાવામા નો આવો.
તો ઈ આ જાણી લેય કે, કોય પણ જે હાસના મારગને છોડી દીધેલા પાપી માણસને પસ્તાવો કરીને પાછો લીયાવે તો ઈ ભાઈ કા બહેન એક જીવને મોતથી બસાવશે અને પરમેશ્વર એના બધાય પાપોને માફ કરશે.
કેમ કે, તમે પરમેશ્વરની વિષે હાસાયનું પાલન કરયુ છે અને એને રજા આપી કે ઈ તમને પવિત્ર બનાવે અને આપડે આપડી હારના વિશ્વાસી ભાઈઓથી પ્રેમ કરી હકી, એક-બીજાને આગ્રહ અને હ્રદયથી પ્રેમ કરતાં રયો.