Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 પિતરનો પત્ર 3:4 - કોલી નવો કરાર

4 તમારી સુંદરતા આ વાત ઉપર આધારિત હોવી જોયી, કે તમે ખરેખર કોણ છો, આ એક વિનમ્ર અને શાંત ગુણ છે, જો કે પરમેશ્વરની હાટુ બોવજ કિંમતી છે.

Faic an caibideil Dèan lethbhreac




1 પિતરનો પત્ર 3:4
40 Iomraidhean Croise  

તમે મારા આધીન થાઓ, ને મારી પાહે શીખો; કેમ કે હું આત્મામાં નમ્ર અને રાંકડો છું, ને તમે તમારા મનમાં વિહામો પામશો.


“યરુશાલેમના લોકોને કેય કે, જોવ, તમારો રાજા તમારી પાહે આવે છે, ઈ નમ્ર છે, અને ગધેડા ઉપર એટલે વજન ઉપાડનારાના ખોલકા ઉપર બેહીને આવે છે.”


ઓ આંધળા ફરોશી ટોળાના લોકો, તમારૂ વાસણ તમે અંદરથી સાફ કરો એટલે કે, તમારા મનમાં લોભ અને લાલસને આઘા કર, તઈ ઈ વાસણ બારેથી સાફ થય જાય છે એમ અંદરથી હોતન સાફ થય જાય છે, એમ તમે અંદર ને બારેથી હોતન ન્યાયી બની હકશો અને તેઓની જેવું કરી હકશો.


જેઓ ભોળા છે, તેઓ આશીર્વાદિત છે, કેમ કે, તેઓ પૃથ્વીનું વતન પામશે.


તમે મૂરખ છો? જેને પરમેશ્વરે બાનું બનાવ્યુ એની અંદરનું પણ નથી બનાવ્યુ?


ઈસુએ ફરોશી ટોળાના લોકોને કીધું કે, “તમે લોકોને આગળ પોતાની જાતને ધાર્મિક બતાવો છો, પણ પરમેશ્વર તમારા હ્રદયમાં શું છે ઈ જાણે છે, કેમ કે જે કાય વસ્તું લોકોની નજરમાં ખાસ છે ઈ પરમેશ્વરની આગળ ખરાબ છે.”


તેઓ પરમેશ્વરની મહિમાને બદલે, નાશવંત માણસ, અને પંખીઓ, અને સ્યાર પગવાળા પશુઓ, અને પેટે હાલનારા જીવ જનાવરોને મૂર્તિમાં બનાવીને એનુ ભજન કરયુ.


એક હાસો યહુદી ઈ છે જેનુ હૃદય પરમેશ્વરની હારે હાસુ છે. અને હાસી સુન્‍નત ખાલી શાસ્ત્રનું પાલન કરવુ ઈ નથી પણ ઈ હૃદયનું બદલાણ છે જે પરમેશ્વરની આત્મા દ્વારા ઉત્પન થાય છે. આવો માણસ લોકોથી નય, પણ પરમેશ્વર તરફથી પ્રશંસા પામે છે.


આપડે જાણી છયી કે, આપડો જુનો પાપીલો સ્વભાવ મસીહ ઈસુની હારે વધસ્થંભ ઉપર સડાવામાં આવ્યું, જેથી આપડા દેહમાં પાપીલો સ્વભાવ નાશ થય જાય, અને આપડે આગળ પાપની ગુલામીમાં નો રેયી.


કેમ કે, હું મારા પુરા હૃદયથી તો પરમેશ્વરનાં નિયમશાસ્ત્રથી વધારે રાજી રવ છું


હું પાઉલ તમને મસીહની નમ્રતા અને ભલાઈથી વિનવણી કરું છું, જે લોકો મારી વિષે એવું કેય છે કે, જઈ હું તમારી હારે હોવ છું, નમ્ર છું, પણ જઈ તમારીથી દુર થાવ છું, તઈ તમારી હાટુ હિમંતવાન છું


જેથી અમે થાકી જાતા નથી; પણ જો અમારુ દેહિક જીવન ધીરે-ધીરે નાશ થાતું જાય છે, પણ અમારી અંદરનું આત્મિક જીવન દરોજ તાજું થાતું જાય છે.


નમ્રતા અને પોતાની ઉપર કાબુ રાખવો. એની લાયક બનાવે છે આ રીતના વ્યવહાર ઉપર રોક લગાવવા હાટુ કોય નિયમ નથી.


એટલે કે, બધીય ગરીબાય અને નમ્રતા અને ધીરજ ધરીને પ્રેમથી એક-બીજાની ભુલને સ્વીકારો.


ઈ હાટુ જઈ કે, પરમેશ્વરે તમને પોતાના પવિત્ર લોકો થાવા હાટુ ગમાડયો છે અને તમને પ્રેમ કરે છે, મોટી દયા, ભલાય, દયાળુ, નમ્ર, અને સહનશીલતા અપનાવો.


કેમ કે, આ એવુ છે, જેમ કે, જઈ મસીહ મરયો તઈ તમે પણ મરી ગયા, અને હવે તમારુ નવું જીવન મસીહની હારે પરમેશ્વરમાં હંતાડેલુ છે.


અને જેમ અમે તમને હંમજાવ્યું છે, એમ જ શાંતિથી રયો, અને બીજાના કામમા માથું નો મારવું, પણ પોતે કમાવાની કોશિશ કરો.


એવા લોકોને અમે પરભુ ઈસુ મસીહના નામથી આજ્ઞા આપીએ અને હંમજાવી છયી કે, શાંતિથી પોતે મેનત કરીને, પોતાની કમાણી માંથી ખાવાનું ખાય.


રાજાઓ હાટુ અને બધાય અધિકારીઓ હાટુ પણ પ્રાર્થના કરો, જેથી તેઓ આપડે શાંતિ અને સુરક્ષાથી રેવામાં મદદ કરે અને આપડે પરમેશ્વરનું ભજન કરી હકી અને બીજાના પ્રત્યે કાયમ હારો વ્યવહાર રાખવો.


ઈ વિરોધ કરનારાને ભોળપણથી હમજાવે, થય હકે છે કે, પરમેશ્વર એના મનમા કામ કરે કે, તેઓ પાપ કરવાનું છોડી દેય, અને ઈસુ મસીહના હાસની વિષે જાણી હકે.


કોયને બદનામ નો કરો, બાધણા કરનારો નો હોય, પણ બીજા લોકો હાટુ દયા હોય, અને બધાય માણસો હારે નમ્રતાથી વરતવું.


ઈ હાટુ બધીય કચ કચ અને વેર-ભાવ વધવાથી રોકાયને, પરમેશ્વરનાં ઈ વચનને ભોળપણથી અપનાવી લ્યો, જે તમારા હૃદયમાં મુકવામા આવ્યુ, અને આ વચન તમારા જીવનનુ તારણ કરી હકે છે.


હું તમને એવુ કરવા હાટુ કવ છું કેમ કે, હવે તમે એક નવું જીવન જીવી રયા છો. તમને આ નવું જીવન કોય નાશ થાનારી વસ્તુથી નથી મળ્યું. પણ આ એક એવી વસ્તુની માધ્યમથી મળ્યું છે જે સદાય હાટુ રેહે, જો કે પરમેશ્વરનો વાયદો છે, જેની ઉપર તમે વિશ્વાસ કરયો છે.


એની કરતાં પોતાના હૃદયમાં સ્વીકાર કરો કે, મસીહ તમારો પરભુ છે, જેને તમે પ્રેમ કરો છો, કોયને પણ જવાબ દેવા હાટુ સદાય તૈયાર રયો, જે તમારી આગળ માંગણી કરે છે કે, તમે એને બતાવો કે તમે પરમેશ્વર ઉપર વિશ્વાસ રાખીને શું આશા રાખો છો કે, પરમેશ્વર તમારી હાટુ કરે. પણ એને નમ્રતા અને સન્માનથી જવાબ દયો.


Lean sinn:

Sanasan


Sanasan