Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 પિતરનો પત્ર 2:12 - કોલી નવો કરાર

12 એની હારે હારો વેવાર કરતાં રયો જે પરમેશ્વરને નથી જાણતા. જો તમે આવું કરશો, જો કે તેઓ કેહે કે, તમે ભુંડાય કરો છો તેઓ જોહે કે, તમે હારા કામ કરો છો, અને પરમેશ્વરનાં આવવાના દિવસે પરમેશ્વરની સ્તુતિ કરશો.

Faic an caibideil Dèan lethbhreac




1 પિતરનો પત્ર 2:12
46 Iomraidhean Croise  

ચેલો પોતાના ગુરુ જેવો અને ચાકર પોતાના માલિક જેવો બની જાય એટલું ઘણુંય છે; જો ઘરધણીને તેઓ બાલઝબુલ શેતાન કીધો છે, તો એના ઘરનાં લોકોને એનાથી કેટલું વધારે તેઓ એમ જ કેહે!


તમે આશીર્વાદિત છો, જઈ લોકો તમને મારી ઉપર વિશ્વાસ કરવાને લીધે તમારી નિંદા કરે અને તમને હેરાન કરે અને ખોટુ બોલીને તમારી વિષે ખોટી વાતો કરે.


ઈ જ વખતે તમે તમારુ અજવાળું લોકોની આગળ એવુ અજવાળું થાવા દયો કે, તેઓ તમારી રૂડી કરણીઓ જોયને સ્વર્ગમાંના તમારા બાપનું નમન કરે.


તે જોયને લોકો સોકી ગયા, અને પરમેશ્વરે માણસોને આવો અધિકાર આપ્યો ઈ હાટુ તેઓએ પરમેશ્વરની સ્તુતિ કરી.


ઈઝરાયલ દેશનો પરમેશ્વર પ્રભુની સ્તુતિમાન થાઓ કેમ કે, ઈ પોતાના લોકોનો તારણ કરવા હાટુ આવ્યો છે.


તેઓ કોટને ભાંગી નાખશે અને બધુય નાશ કરી દેહે, તેઓ તને અને તારા દીકરાઓનો નાશ કરશે, અને એવો એક પણ પાણો ઈ બીજા પાણા ઉપર રેવા દેહે નય; કેમ કે, જે વખતે પરમેશ્વર તને બસાવવા માગતા હતાં ઈ વખતે તુ એને ઓળખી હક્યો નય!”


તમે આશીર્વાદિત છો, માણસના દીકરાની ઉપર વિશ્વાસ કરવાને લીધે લોકો તમારો વિરોધ કરશે, અને તમને બારે કાઢી મુકશે, અને મેણા મારશે, અને તમારુ નામ ભુંડું માનીને કાઢી નાખશે.


જઈ ઈ બારે વયો ગયો, તો ઈસુએ કીધું કે, “હવે માણસના દીકરાની મહિમા થય છે, અને પરમેશ્વરની મહિમા એનાથી પરગટ થય છે.


સિમોને પાઉલને હંમજાવ્યો કે, પરમેશ્વરે બધાયની પેલા બિનયહુદી લોકો ઉપર કેવી દયાની નજર કરીને એમાંથી થોડાક પોતાના લોકો થાવા હાટુ ગોત્યા.


અને ઈ એવી વાતુને, જેના વિષેમાં મારી ઉપર હવે આરોપ લગાડે છે, તારી હામે પુરાવો નો આપી હકે.


જઈ પાઉલને લીયાવવામાં આવ્યો, તો જે યહુદી લોકોના આગેવાનો યરુશાલેમ શહેરમાં આવ્યા હતાં, તેઓએ એની આજુ-બાજુ ઉભા થયને બોવ જ આરોપ લગાડા. જેનો પુરાવો ઈ નથી દય હક્તા.


પણ તારો વિસાર શું છે? ઈ અમે તારાથી હાંભળવા માંગી છયી, કેમ કે અમે જાણી છયી કે, દરેક જગ્યાએ આ પરભુના મારગની વિરોધમાં લોકો વાતો કરે છે.”


ભૂંડાઈના બદલે કોયનું ભુંડુ નો કરો, જે વાતો બધાય માણસોની નજરમાં હારી છે, ઈ કરવાની કાળજી રાખો.


દિવસના અજવાળામાં જીવનારા લોકોની જેમ આપડુ વરતન લાયક રાખી. એટલે કે, આપડે ભોગવિલાસમાં, નશાખોરીમાં, છીનાળવામાં ભુંડી ઈચ્છાઓ, બાધણા કે, ઈર્ષામાં જીવી નય.


જે કોય આ રીતેથી મસીહની સેવા કરે છે, ઈ પરમેશ્વરને અપનાવવા લાયક છે અને લોકોની નજરમાં હારું છે.


અને પાછુ બિનયહુદી લોકો પણ એની દયાને લીધે પરમેશ્વરની મહિમા કરે, ઈ હાટુ મસીહ ઈસુ પરમેશ્વરનાં હાસને લીધે સુન્નતીઓના ચાકર થયા. શાસ્ત્રમા લખેલુ છે કે, ઈ કારણ હાટુ હું બિનયહુદીઓમાં તમારી મહિમા કરય અને તમારા નામનું ગીત ગાય.


અને એના હૃદયની ખાનગી વાતો પરગટ કરાય છે; વળી ખરેખર પરમેશ્વર તમારામાં છે એવું કબુલ કરીને, ઈ ઘુટણે પડીને પરમેશ્વરનું ભજન કરશે.


કેમ કે આપણે પોતાની બુદ્ધિની આ સાક્ષી ઉપર અભિમાન કરી છયી, જે જગતના લોકોમાં બોવ વધારે કરીને તમારી વસમાં, આપડુ વર્તન પરમેશ્વર તરફથી પવિત્રતા અને હાસાય પરમાણે હતું, જે માણસના જ્ઞાન પરમાણે નથી પણ પરમેશ્વરની કૃપાની હારે હતું.


હવે અમે પરમેશ્વરને પ્રાર્થના કરી રયા છયી કે, તમે કાય ખોટુ કામ નો કરો, અમે સફળ દેખાય ઈ હાટુ નય પણ ઈ હાટુ કે, જો અમે અસફળ જેવા હોયી, તોય તમે હાસુ જ કરો.


કેમ કે, ખાલી પરભુની નજરમાં નય, પણ લોકોની નજરમાં પણ જે લાયક છે ઈ કરવાની અમને કાળજી છે.


અમે પણ તેઓની જેમ જ જીવતા હતા, અમારા પાપી સ્વભાવની ઈચ્છાઓને પુરી કરતાં હતા. જે પણ અમારી ભુંડી ઈચ્છાઓ અને વિસાર આપડીથી કરાવવા માંગતા હતા અમે એની પરમાણે કરતાં હતા, બાકી બીજાઓની જેમ, અમે પણ સામાન્ય રૂપે ભુંડા હતા અને પરમેશ્વરની સજાને આધીન હતા.


તમારા શિક્ષકોએ તમને ઈ રીતેથી છોડી દેવાનું શિક્ષણ આપ્યુ, જેના પરમાણે તમે વ્યવહાર કરતાં હતા. તમારી ભુંડી ઈચ્છાઓએ તમને દગો દીધો અને તમારા જીવનને બરબાદ કરી દીધુ.


ખાલી આટલું જ કરો કે, તમારો વેવાર મસીહના હારા હમાસારની લાયક બને. જેથી ગમે તો હું આવીને તમને જોવ, કા નો પણ આવું, તમારી વિષે ઈ હાંભળુ કે, તમે એક મનથી અને એક આત્માથી હારા હમાસારના વિશ્વાસ હાટુ મેનત કરતાં રયો છો.


ઈ હાટુ, વિશ્વાસી ભાઈઓ અને બહેનો, જે-જે વાતુ હાસી છે, અને જે-જે વાતો માન આપવાને લાયક છે, અને જે-જે વાતો ન્યાયી છે, જે-જે વાતો પવિત્ર છે, અને જે-જે વાતો હારી છે, અને જે-જે વાતો વખાણ કરવામા આવે છે, જેમ કે, જે પણ બોવ હારી અને માનનીય છે, ઈ બાબતો વિષે વિસાર કરો.


જેથી અવિશ્વાસી લોકો તમારો વ્યવહાર જોયને તમને માન આપે, અને તમને પોતાની જરૂરિયાતો હાટુ કોયની ઉપર ભરોસો નો રાખવો પડે.


રાજાઓ હાટુ અને બધાય અધિકારીઓ હાટુ પણ પ્રાર્થના કરો, જેથી તેઓ આપડે શાંતિ અને સુરક્ષાથી રેવામાં મદદ કરે અને આપડે પરમેશ્વરનું ભજન કરી હકી અને બીજાના પ્રત્યે કાયમ હારો વ્યવહાર રાખવો.


જો તુ જુવાનયો છો, એથી તારો કોય નકાર કરે નય, પણ તારે વાણી, વરતન, પ્રેમ, વિશ્વાસ અને પવિત્ર જીવન જીવવામાં બધાય હાટુ વિશ્વાસી લોકોની હારું નમુનારૂપ બનવું.


અને બીજા લોકોએ આ વાતની ખરાય કરાવી જોયી કે, એણે સદાય હારા કામો કરયા છે, દાખલા તરીકે એણે પોતાના બાળકોનું પાલન-પોષણ હારી રીતે કરયુ, એણે યાત્રા કરનારા વિશ્વાસીઓને પોતાના ઘરે આવકાર કરયો, એણે બીજા વિશ્વાસીઓની સેવા એક દાસીની જેમ કરી, અને એણે એવા લોકોની મદદ કરી જે મુશ્કેલીઓમાંથી પસાર થાતા હતાં. એણે દરેક રીતનાં હારા કામો કરવા હાટુ પોતાને હોપી દીધી હોય.


તમે અમારી હાટુ પ્રાર્થના કરતાં રયો, કેમ કે આપડી બુદ્ધિ ઉત્તમ છે; એવું આપણને ખબર છે, અને આપડે સદાય બધીય બાબતોમાં હારી રીતે રેવાની ઈચ્છા રાખી છયી.


રૂપીયાની લાલસ નો કરો, પણ જે તમારી પાહે છે, એનાથી જ સંતોષ રાખો, કેમ કે પરમેશ્વર પોતે કેય છે કે, “હું તને કોયદી મુકી દેય નય, અને કોયદી તારો ત્યાગ કરય નય.”


તમારામા જ્ઞાની અને હમજદાર કોણ છે? એવુ હોય તો એને એક હારું જીવન જીવીને દેખાડવું જોયી. અને આ નમ્રતાથી હારા કામો કરીને દેખાડો જે તમારા જ્ઞાન દ્વારા આવે છે.


પરમેશ્વર ઈચ્છે છે કે, તમે ભલા કામ કરો જેથી તમે ઈ મુરખ લોકોને તમારી વિરુધ ખોટા આરોપ લગાડવાથી રોકી હકો જે પરમેશ્વરને નથી જાણતા.


તમારી બુદ્ધિ પણ સોખી રાખો, જેથી જે વાતો વિષે તમારી બદનામી થાય છે ઈ વિષે જે મસીહમા તમારા હારા વર્તનનુ અપમાન કરે છે, તેઓ શરમાહે. છતાય નમ્રતાથી આવું કરો.


જે લોકો વિશ્વાસીઓની સભામાં બોલે છે એને એવી રીતે બોલવું જોયી જેમ કે ઈ પરમેશ્વરનો જ સંદેશો બોલી રયો છે. ઈ જે બીજાની હાટુ દયાળુ કામ કરે છે એને એવી તાકાત હારે કરવુ જોયી જે પરમેશ્વર એને દેય છે, જેથી તમે પરમેશ્વરનું સન્માન કરી હકો, જેમ ઈસુ મસીહ આપણને સક્ષમ બનાવે છે આપડે બધાય પરમેશ્વરની મહિમા કરી કેમ કે, એની પાહે બધાયની ઉપર શાસન કરવાનો પુરો અધિકાર છે સદાય હાટુ છે એવુ જ થાય. આમીન.


ઈ પાક્કું છે કે, પરમેશ્વર બધીય વસ્તુઓનો એવી રીતે નાશ કરી દેહે, ઈ હાટુ તમારે એવુ જીવન જીવવું જોયી જે સોખ્ખું અને પરમેશ્વરને હોપેલું હોય.


Lean sinn:

Sanasan


Sanasan