Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 પિતરનો પત્ર 2:1 - કોલી નવો કરાર

1 ઈ હાટુ, બધાય પરકારના ખરાબ વ્યવહારની ના પાડો, બીજાઓને દગો નો આપો, ઢોંગી નો બનો, બીજાઓથી ઈર્ષા નો રાખો, બીજા લોકોની વિરુધ ખરાબ વાતો કરવી નય.

Faic an caibideil Dèan lethbhreac




1 પિતરનો પત્ર 2:1
50 Iomraidhean Croise  

ઓ ઢોંગીઓ યશાયા આગમભાખીયાએ તમારા વિષે હાસી આગમવાણી કરી છે:


એવી રીતે તમે પણ માણસોની આગળ બારેથી ન્યાયી દેખાવ છો ખરા, પણ અંદર ઢોંગી અને પાપોથી ભરેલા છો.


અને એને કઠોર સજા આપશે અને એનો ભાગ ઢોંગીઓની હારે ગણાયશે, ન્યા રોવું અને દાંતની સકીયું સડાવવી પડશે.


અરે ઢોંગી, પેલા તું તારા માથી જ મોટા પાપોને સુધાર, પછી જ તું તારા મિત્રની આંખમાં કણાને જોયને કાઢી હકય, અને બીજાઓને તેઓના નાના પાપોને સુધારવામાં મદદ કરી હકય.


શું અમારે વેરો આપવો જોયી કે નો આપવો જોયી?” એણે તેઓનું ઢોંગ જાણીને તેઓને પુછયું કે, “તમે મને ખોટુ કેવાના કારણે ફસાવાની કોશિશ કેમ કરો છો? એક દીનાર (જેની કિંમત એક દિવસની મજુરી બરાબર છે) ઈ મારી પાહે લીયાવો કે હું જોવ.”


તમને અફસોસ છે! કેમ કે, તમે તો છુપાયેલી કબરો જેવા છો લોકો અજાણતા એના ઉપરથી હાલે છે એવા તમે છો


એટલામાં હજારો લોકો ભેગા થયા, ન્યા હુધી કે, તેઓ એકબીજા ઉપર પડાપડી કરતાં હતાં, ઈસુ ઈ લોકોને બોલ્યો ઈ પેલા એના ચેલાઓને એણે કીધું કે, ફરોશી ટોળાના લોકોના ખમીરથી સેતીને રેજો. હું એવુ માનું છું કે, તેઓ ઢોંગી છે.


અને જઈ તને પોતાના જ મોટા પાપો દેખાતા નથી, તો તુ તારાથી નાના પાપવાળા ભાઈથી કેવી રીતે કય હકે કે, ઓ ભાઈ ઉભો રે હું તારા પાપો કાઢવા હાટુ મદદ કરું? અરે ઢોંગી, પેલા તુ તારામાંથી મોટા-મોટા પાપો કાઢ, પછી જ તારા ભાઈનાં નાના નાનાં પાપો કાઢવા હાટુ મદદ કરી હકય.


ઈસુ નથાનિએલે પોતાની પાહે આવતો જોયને એના વિષે કીધું કે, “જોવ ખરેખર ઈઝરાયલ દેશનો છે; જે પુરી રીતે હાસો માણસ છે.”


તેઓ તો બધીય પરકારના અન્યાયીપણુ, ભુંડાય, લોભ, ઈર્ષ્યા, અદેખાય, હત્યા, બાધણા, કપટ, ભુંડી વાતુ, અને કાન ભંભેરનાર,


વિશ્વાસી ભાઈઓ અને બહેનો, આ બાબતોની વિષે એક બાળકની જેમ વિસારવાનું બંધ કરો, જઈ ઈ ખરાબની વાતો આવે છે તઈ બાળકોની જેમ નિર્દોષ રયો, અને આ રીતેની બાબતોને હંમજવામાં હમજુ થાવ.


ઈ હાટુ હું કવ છું કે, આપડે કાયમ પરમેશ્વરનાં પવિત્ર લોકોની જેમ રેવું જોયી. આપડે ખરાબ રીતે જીવવું નો જોયી, જેમ કે, આપડે મસીહમાં વિશ્વાસ કરવાથી પેલા કામો કરતાં હતા જેમ આપડે તે ખરાબ અને ભુંડા કામોને બંધ કરી દેવું જોયી. જે અમે કરતાં હતા એના બદલે આપડે પરમેશ્વરની આજ્ઞાનું પાલન કરવાનું છે અને કોય પણ ખરાબ કામો નથી કરવાના એટલે કે, કાયમ જવાબદારી અને હાસાય હોવી જોયી.


કેમ કે મને બીક છે કે, ક્યાક એવું નો થાય કે, હું આવીને જેવું ઈચ્છું છું, એવું તમને નો પામુ, અને મને પણ જેવું તમે નથી ઈચ્છતા એવુ જ પામો કે, તમારામાં બાધણા, અદેખાઈ, રિહ, વિરોધ, ઈર્ષા, ખટપટ, અભિમાન અને અવ્યવસ્થા હોય.


બધાય પરકારની કડવાશ અને ગુસ્સો, કોપ, દેકારો, અપમાન, અને બધાય પરકારની નિંદા કરવાનું બંધ કરો.


કેમ કે, જે અમારું શિક્ષણ અમે તમને હંભળાવ્યુ છે, એમા કોય ભરમાવવાની વાત, કા કોય ખોટો ઈરાદો, અને દગાની કોય વાત નથી.


ઈજ પરમાણે બાયુ પણ ગંભીર હોવી જોયી; તેઓ ખટપટણી નય, પણ શાંત અને બધીય વાતોમાં વિશ્વાસપાત્ર હોવી જોયી.


આ રીતે ગવઢી બાયુ વરતન કરે, જે બધીય વાતુમાં પરમેશ્વરને માન આપે, બીજાની ભૂલો કાઢનારી નય, અને દારૂડીયુ નય પણ ઈ બીજાને હારી વાતુ શીખડાવનારી હોય.


આપડી સ્યારેય બાજુ બોવ બધાય લોકો છે એનું જીવન આપણને બતાવે છે, ઈ હાટુ આવો, દરેકને એક રોક્વાવાળી વસ્તુ, અને ઘુસવણવાળા પાપોને છેટા કરીને, ધીરજથી ઈ હરીફાયમાં આગળ વધી; જેમાં આપડે ધોડવાનુ છે.


ઈ હાટુ બધીય કચ કચ અને વેર-ભાવ વધવાથી રોકાયને, પરમેશ્વરનાં ઈ વચનને ભોળપણથી અપનાવી લ્યો, જે તમારા હૃદયમાં મુકવામા આવ્યુ, અને આ વચન તમારા જીવનનુ તારણ કરી હકે છે.


પણ તમે પોત પોતાના મનમા ખરાબ ઈર્ષા અને સ્વાર્થ રાખો છો, તો મેણાનો મારતા અને હાસના વિરોધમાં નો તો ખોટુ બોલતા.


હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, એક-બીજાની નિંદા કરવી નય, જે પોતાના વિશ્વાસી ભાઈની નિંદા કરે છે કા પોતાના વિશ્વાસી ભાઈ ઉપર આરોપ લગાડે છે, ઈ નિયમની નિંદા કરે છે, અને નિયમની ઉપર નિંદા લગાડે છે. જો તુ નિયમશાસ્ત્રની નિંદા કરે છે તો તુ નિયમશાસ્ત્ર ઉપર હાલનારો નથી પણ એની ઉપર એવો આરોપ લગાડે છે જેમ કે, તુ નિયમશાસ્ત્રનો ન્યાય કરનાર છો.


આપડે શાસ્ત્રમા વાસી છયી કે, “જે આત્માને પરમેશ્વરે આપડી અંદર વસાવ્યો છે ઈ આત્માને ઈર્ષાપુર્વક આશા રાખે છે.” આ હાસુ છે અને તમને એમા શંકા નો હોવી જોયી.


હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, એક બીજાઓ ઉપર આરોપ નો લગાડવો જેથી તમારી ઉપર પણ આરોપ નો લગાડવામાં આવે. અને ન્યાય કરનારો બોવ પાહે છે જોવો આવવાને તૈયાર છે.


તમારા હાટુ એવુ કોય નથી જે તમને ઈ કરવાથી રોકી હકે, જે તમે કરવા માગો છો કેમ કે, તમે આપડા પરભુ ઈસુ મસીહ દ્વારા પેલાથી જ સ્વતંત્ર કરી દેવામાં આવ્યા છો. પણ ખરાબ કામ કરવા હાટુ એને એક બાનું નો બનાવો. પણ તમારે પોતાના કામોથી દેખાડવું જોયી કે, તમે હાસીન પરમેશ્વરનાં ચાકર છો.


યાદ રાખો કે, કેમ મસીહે પોતાનુ સંસાલન કરયુ, એણે કોય દિ પાપ નથી કરયુ, અને એણે ક્યારેય લોકોને દગો દેવા હાટુ કાય નથી કીધું.


કેમ કે, જો કોય માણસ પોતાના જીવનનો આનંદ લેવા ઈચ્છે છે, અને હારા દિવસો ઈચ્છે છે, તો એને સેતીને રેવું જોયી કે, ઈ ખરાબ વાતુ નો કેય, અને એને આવી વાતુ કરવાનું બંધ કરી દેવું જોયી, જે હાસી નથી.


પરિણામ રૂપે ઈ માણસ આ પૃથ્વી ઉપર પોતાનુ પુરું જીવન પોતાની પાપી માનવીય ઈચ્છાઓ પુરી કરતો નય જીવે પણ ઈ ઈજ કરશે, જે પરમેશ્વર ઈચ્છે છે, ઈ પરમાણે કરે.


આ કારણે તમારા મિત્રો નવાય પામે છે, જઈ તમે એની હારે ઈ ખરાબ વસ્તુઓ કરવામા ભેગા નથી હોતા, જે ઈ કરે છે, એટલે તેઓ તમારી બદનામી કરે છે.


તેઓ કોયદી ખોટુ નથી બોલ્યા, કેમ કે, તેઓ નિરદોષ છે.


Lean sinn:

Sanasan


Sanasan