Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 પિતરનો પત્ર 1:8 - કોલી નવો કરાર

8 તમે ઈસુને પ્રેમ કરો છો, જો કે તમે એને કોયદી જોયો નથી, જેમ કે, તમે એને હવે નથી જોય હકતા, તોય તમે એની ઉપર વિશ્વાસ કરો છો. અને એવા આનંદથી રાજી થાવ છો. જેને તમે કદાસ જ દેખાડી હકો.

Faic an caibideil Dèan lethbhreac




1 પિતરનો પત્ર 1:8
37 Iomraidhean Croise  

મારા કરતાં જે બાપ કા એની માં વતી પ્રેમ કરે છે, ઈ મારી લાયક નથી, અને જે દીકરી કા દીકરાને મારાથી વધારે વાલો માંને છે, ઈ મારો ચેલો બનવાને લાયક નથી.


જો તમે મને પ્રેમ કરો છો, તો મારી આજ્ઞાઓને માનશો.


જેની પાહે મારી આજ્ઞાઓ છે અને જે તેઓને પાળે છે, ઈજ મારી ઉપર પ્રેમ રાખે છે; અને જે મારી ઉપર પ્રેમ રાખે છે એની ઉપર મારા બાપ પ્રેમ રાખે છે અને હું એની ઉપર પ્રેમ રાખય અને એની હામે હું પોતાને પરગટ કરય.”


જે મને પ્રેમ નથી કરતો ઈ મારા વચનોને નથી માનતો, અને જે વચનોને તમે હાંભળો છો, ઈ મારા નથી પણ બાપના છે, જેણે મને મોકલ્યો છે.


આવી રીતે તમને પણ આઘડી તો દુખ થાહે, પણ હું તમને પાછો મળય, તઈ તમે રાજી થય જાહો, અને તમારી પાહેથી તમારી ખુશી કોય આસકી નય હકશે.


ઈસુએ એને કીધું કે, “ઈ તો વિશ્વાસ ઈ હાટુ કરયો છે કેમ કે, ઈ મને જોયો છે, તેઓ આશીર્વાદિત છે, જેણે વગર જોયે વિશ્વાસ કરયો છે.”


ઈસુએ તેઓને કીધું કે, “જો પરમેશ્વર તમારો બાપ હોત, તો તમે મને પ્રેમ કરત, કેમ કે હું પરમેશ્વરની તરફથી આવ્યો છું, હું પોતે નથી આવ્યો, પણ એણે મને મોકલ્યો છે.


તઈ એણે એને પોતાના ઘરે લય જયને ભોજન ખવડાવ્યુ, અને પોતાના પુરા પરિવારની હારે પરમેશ્વર ઉપર વિશ્વાસ કરયો, અને બોવ રાજી થયા.


પરમેશ્વરનાં રાજમાં, ખાવું પીવું મહત્વનું નથી, મહત્વની વાતો ઈ છે કે, પરમેશ્વરની હારે હારું જીવન જીવવું, પવિત્ર આત્મામાં શાંતિ અને આનંદ મળે છે જે પવિત્ર આત્મા આપે છે.


હવે પરમેશ્વર કે, જેની ઉપર તમે આશા રાખો છો, ઈ તમને વિશ્વાસ રાખવામાં એક ધારો આનંદ અને શાંતિથી ભરપૂર કરે, જેથી પવિત્ર આત્માના સામર્થ્યથી તમારી આશા વધતી જાય.


જો કોય પરભુને પ્રેમ રાખે નય, તો ઈ હરાપિત થાય, અમારા પરભુ, આવો!


જેણે આપડી ઉપર પોતાની મહોર હોતન લગાડી દીધી છે, અને સાક્ષીની જેમ પોતાની પવિત્ર આત્માને પોતાના મનોમાં આપ્યો છે.


કે ઈ સ્વર્ગલોક ઉપર લય લેવામાં આવ્યો, અને જે વાતો બોલવી માણસને હારી નથી એવી વાતો એણે હાંભળી.


ઈ હાટુ કે, જે દેખાય છે ઈ નય, પણ જે નથી દેખાતું એની ઉપર અમે ધ્યાન રાખી છયી; કેમ કે, જે દેખાય છે ઈ ઘડીકવારનું જ છે, પણ જે નથી દેખાતું ઈ અનંતકાળનું છે.


કેમ કે જઈ આપડે આ પૃથ્વી ઉપર જીવી રયા છયી, આપડે વિશ્વાસથી પરભુનું અનુસરણ કરી છયી, નજરે જોયીને નય.


પરમેશ્વરની વરણવી નો હકાય એટલી ભેટ હાટુ ઈસુ મસીહમાં આભાર માની.


જઈ પવિત્ર આત્માનું આપણને કાબુ કરે છે તો ઈ આપણને પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, દયા, ભલાય, વિશ્વાસુપણું.


જો તમે મસીહ ઈસુને માનનારા છો તો આ વાતથી કાય ફરક પડતો નથી કે, તમારી સુન્‍નત થય છે કે નય. જે વાતનું મહત્વ રાખે છે ઈ મસીહ ઉપર વિશ્વાસ રાખવું છે, જે પોતાની જાતને પરમેશ્વર અને બીજા લોકોથી પ્રેમ રાખવા દ્વારા દેખાડે છે.


મસીહનો પ્રેમ જે માણસની હમજશક્તિની મર્યાદાની બારે છે ઈ પણ તમે હમજી હકો; કે તમે પરમેશ્વરની પૂર્ણતા પરમાણે પુરેપુરા થાવ.


જેઓ આપડા પરભુ ઈસુ મસીહ ઉપર કપટ વગરનો પ્રેમ રાખે છે તેઓ બધાય ઉપર કૃપા થાય. આમીન.


ઈ હાટુ મને પાકી ખાતરી છે કે, હું જીવતો રેય, જેનાથી હું તમને વિશ્વાસમા મજબુત કરવા હાટુ અને એમા રાજી રેવા હાટુ મદદ કરય.


કેમ કે, ખરેખર તો આપડે પરમેશ્વરનાં લોકો છયી, જે એના આત્માની દોરવણીથી ભજનકરનારા છયી અને મસીહ ઈસુ ઉપર અભિમાન કરનારા છયી અને આપડા પોતાના દેહની ઉપર ભરોસો નો રાખનારા, પણ હાસા સુન્‍નતી છયી.


પરભુમાં સદાય રાજી રયો, હું ફરીથી કવ છું, રાજી રયો.


હવે વિશ્વાસ તો આપડે જે આશા રાખી છયી; એની ખાતરી અને જે વસ્તુઓ જોય નથી હકાતી એનો પુરાવો છે.


વિશ્વાસથી જ રાજાના ગુસ્સાથી નો બીયને ઈ મિસર દેશને છોડીને વયો ગયો, કેમ કે ઈ હમજી ગયો હતો કે માનો એણે પરમેશ્વરને જોય લીધા છે, બીજા કોય પણ એને જોય હક્તા નથી.


તમારે આ બધીય વસ્તુઓના વિષે રાજી થાવુ જોયી, ભલેને અત્યારે થોડાક વખત હાટુ જુદા-જુદા પરકારની હેરાનગતિઓ તમને દુખી કરતી હોય.


પણ જે એની ઉપર વિશ્વાસ કરવાથી મનાય કરે છે ઈ કડીયા એની જેવા છે જેની વિષે શાસ્ત્ર વાત કરે છે “ઈ પાણો જે કડીયાઓએ નકારી દીધો હતો ઈ મકાનમાં બધાયથી મુખ્ય પાણો બની ગયો છે.”


જઈ ઈસુ મસીહ જે આપડો મુખ્ય સરાવનાર છે, ઈ પાછો આયશે, તઈ તમને ઈ એક સુંદર મુગટ આપશે, જે કોય દિ પોતાની સમક ગુમાવશે નય.


Lean sinn:

Sanasan


Sanasan