ન્યાયને દિવસે ઘણાય બધાય લોકો મને કેહે, હે પરભુ! હે પરભુ! અમે તારા નામથી આગમવાણી કરી હતી, તારા નામથી મેલી આત્માઓને કાઢી છે તારા નામથી ઘણાય બધા સમત્કાર કરયા હતા.
ઈસુએ એને કીધું કે, “અજવાળું હવે થોડીકવાર લગી તમારી વસ્સે છે. જ્યાં લગી અજવાળું તમારી હારે છે, ન્યા લગી હાલતા રયો, એવુ નો થાય કે અંધારું તમને ઘેરી લેય કે, જે અંધારામાં હાલે છે, ઈ નથી જાણતા કે ક્યા જાય છે.
તમે તો એને નથી જાણતા, પણ હું એને જાણું છું, અને હું કવ કે, એને નથી ઓળખતો, તો હું પણ તમારી જેવો ખોટો ગણાય. પણ હું એને ઓળખું છું, અને એનુ વચન પાળુ પણ છું
જે લોકો ખોટા અને ઢોંગી છે, જે આ પરકારનું ખોટુ શિક્ષણ આપે છે કેમ કે, ઈ પોતે નથી હમજતા કે, હાસુ કરી રયા છે કે, ખોટુ, એવી જ રીતે જેમ કે, એક ગરમ લોખંડથી દેહના માસને હળગાવી દેવામાં આવ્યો હોય અને ખબર પણ નો પડી હોય.
હે મારા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, જો કોય કેય કે, હું પરભુ ઈસુ મસીહ ઉપર વિશ્વાસ કરું છું, પણ ઈ બીજાની હાટુ ભલુ કામ નો કરે તો ઈ કાય કામનો નથી, અને એની જેવો વિશ્વાસ કોયદી એનુ તારણ નય કરી હકે.
અને તમારામાથી કોય તેઓને કેય કે, પરમેશ્વર તને શાંતિ આપે, ટાઢથી બસો અને ખાય પીયને ધરાયેલા રયો, પણ જે વસ્તુ દેહની હાટુ જરૂરી છે, જો તમે તેઓને નય આપો તો એનાથી કાય લાભ થાહે નય.
પણ કોય કય હકે છે કે, “તમને વિશ્વાસ છે, અને હું ભલા કામો કરું છું હું કવ છું કે, તમે ભલા કામો કરયા વગર તમે ખરેખર સાબિત કરો કે, તમે ઈસુ ઉપર વિશ્વાસ કરો છો અને હું તમને પોતાના ભલા કામોથી આ સાબિત કરય કે, હું ખરેખર ઈસુ ઉપર વિશ્વાસ કરું છું”
જે કાય આપડે ઈસુ મસીહ વિષે જોયું અને હાંભળ્યું છે ઈ જ સંદેશો અમે તમને હોતન બતાવી છયી, કેમ કે, અમારી હારે તમારી પણ સંગતી છે, અને અમારી આ ભાગીદારી પરમેશ્વર બાપની હારે, અને એનો દીકરો ઈસુ મસીહની હારે છે.
જો કોય કેય કે, “હું પરમેશ્વરથી પ્રેમ કરું છું,” પણ ઈ પોતાના વિશ્વાસી ભાઈથી વેર રાખે તો ઈ ખોટો છે કેમ કે, જે પોતાના વિશ્વાસી ભાઈથી નફરત કરે છે, જેણે એને જોયો છે, ઈ પરમેશ્વરથી પ્રેમ કરી જ નથી હકતો, જેને એને જોયો નથી.