મસીહના સંદેશને દરેક વખતે વિચારતા રયો, અને પુરા જ્ઞાન હારે એકબીજાને શીખવાડો, અને સેતવણી આપું, અને પોતપોતાના મનમા આભારી હ્રદય હારે પરમેશ્વર હાટુ ભજન અને આભાર સ્તુતિ અને આત્મિક ગીતો ગાવ.
હે બાપાઓ, હુ તમને ઈ હાટુ લખું છું કેમ કે, તમે મસીહને ઓળખો છો, જે શરુઆત છે. હે જુવાનો, મે તમને ઈ હાટુ લખી રયો છું કેમ કે, તમે તાકાતવાળા છો અને પરમેશ્વરનું વચન તમારામા છે, અને તમે શેતાન ઉપર જીત મેળવી છે.
જે પરમેશ્વરનો દીકરો ઈસુ ઉપર વિશ્વાસ કરે છે, ઈ જાણે છે કે, પરમેશ્વરે જે કાય કીધું છે ઈ હાસુ છે. પણ જેણે પરમેશ્વર ઉપર વિશ્વાસ નથી કરયો, એણે પરમેશ્વરને ખોટો ગણયો કેમ કે, એણે સાક્ષી ઉપર વિશ્વાસ નથી કરયો, જે પરમેશ્વરે પોતાના દીકરાની વિષે આપી છે.