Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 યોહાન 1:1 - કોલી નવો કરાર

1 આપડે તમને જીવનના વચન વિષે લખી રયા છયી, જે જગતના શરુઆતથી છે જેને અમે હાંભળ્યું છે, અમે પોતાની આંખોથી જોયું છે, અને અમે ધ્યાનથી નિરખુ છે, અને અમે એને અમારા હાથોથી અડયા છયી.

Faic an caibideil Dèan lethbhreac




1 યોહાન 1:1
23 Iomraidhean Croise  

અમે આ વાતુ વિષે હાંભળ્યું છે કે, જે લોકોએ એવુ થાતા જોયું, ઈ વખતથી બધાય વખત પરમાણે સાલું થયુ અને આ લોકોએ બીજાઓને પરમેશ્વરનાં સંદેશા વિષે શીખવાડુ.


મારા હાથ-પગને જોવો, હું ઈ જ છું; મને અડીને જોવો કેમ કે, ભૂતને માસ અને હાડકા નથી હોતા જેવું તમે મારામાં જોવ છો.”


જેણે આ જોયું છે, એણે એની સાક્ષી આપી છે અને એની સાક્ષી હાસી છે, ઈ જાણે છે કે, ઈ હાસુ બોલી રયો છે, જેથી તમે પણ ઈસુ ઉપર વિશ્વાસ કરો.


તઈ ઈસુએ થોમાને કીધું કે, “તારી આંગળી મારા હાથના છેદમાં નાખને જોય અને તારો હાથ મારી છાતીના પડખામા નાખીને અને શંકા કરવાનું બંધ કર અને વિશ્વાસ કરીલે.”


કેમ કે, જેમ બાપને પોતાનામાં જીવન છે, ઈ જ રીતે દીકરાને પણ પોતાનામાં જીવન આપવાનો અધિકાર એણે આપ્યો છે.


ઈસુએ તેઓને કીધું કે, “હું તમને હાસે હાસુ કવ છું કે, ઈબ્રાહિમના જનમ પેલાનો હું છું”


એને દુખ સહન અને મરણ પછી બોવ જ પાકા પુરાવા હારે પોતાની જાતને જીવતો બતાવ્યો, અને સ્યાલીસ દિવસ હુધી એને દરશન દેતો અને પરમેશ્વરનાં રાજ્યની વાતુ કરતો રયો.


કેમ કે, આ તો અમારાથી નય થાય કે, અમે જે જોયું છે અને અમે જે હાંભળ્યું છે, એના વિષે નો બતાવી.”


તો આપડે આ મહાન તારણ વિષે બેદરકાર રેયી તો આપડે બસી હક્તા નથી, ઈ તારણની વાતો પેલા પરમેશ્વરે પોતે કીધી, પછી હાંભળનારાઓએ એની ખાતરી આપણને કરી દીધી.


અને આપડે દીકરાને જોયો છે અને સાક્ષી આપી છયી કે, પરમેશ્વર બાપે દીકરાને જગતના લોકોના તારનાર થાવા મોકલ્યો છે.


અને આ સાક્ષી દેનારા ત્રણ છે,


એણે મને કીધું કે, “જે કાય તુ ભાળશો, એને સોપડીમા લખીને ઈ હાત મંડળીઓને મોકલ જે આ શહેરોમાં છે. એફેસસ, સ્મર્ના, પર્ગામમ, થુઆતૈરા, સાર્દિસ, ફિલાડેલ્ફિયા અને લાઓદિકિયા.”


પરમેશ્વર જાહેર કરે છે કે, “હું આલ્ફા છું જેણે બધીય વસ્તુઓની શરુઆત કરી, અને હુ જ ઓમેગા છું, જે બધીય વસ્તુઓનાં અંતનુ કારણ બનય. હુ ઈ જ છું; જે હાજર છે, જે સદાયથી હાજર હતો, અને જે સદાય હાજર રેહે. હું ઈ જ છું; જે બધીય વસ્તુઓ ઉપર અને બધાય લોકો ઉપર રાજ્ય કરું છું.”


એણે લોહીમાં ડુબાડેલુ લુગડુ પેરયુ છે, અને એનુ નામ “પરમેશ્વરનુ વચન” છે.


આ સંદેશાને સ્મર્ના શહેરની મંડળીના જુથના સ્વર્ગદુતને લખ, “હું તમને આ વાતુ કય રયો છું હું પેલો છું જેણે બધીય વસ્તુઓની શરુઆત કરી, અને હું જ છેલ્લો છું, જે બધીય વસ્તુઓનો અંત કરય. હું ઈ જ છું; જે મરી ગ્યોતો અને ફરીથી જીવતો થય ગયો.


Lean sinn:

Sanasan


Sanasan