લૂકની લખેલી સુવાર્તા 8:29 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201929 કારણ કે ઈસુએ અશુદ્ધ આત્માને તે માણસમાંથી બહાર નીકળવાની આજ્ઞા કરી હતી. એ દુષ્ટાત્મા તે માણસને વારંવાર વળગ્યા કરતો હતો; અને તેઓ તેને સાંકળોથી તથા બેડીઓથી બાંધતા, પણ તે બંધનો તોડી નાખતો અને દુષ્ટાત્મા તેને જંગલમાં લઈ જતો હતો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)29 કારણ કે તેમણે તે માણસમાંથી અશુદ્ધ આત્માને નીકળવાનો હુકમ કર્યો હતો, કેમ કે તે વારે વારે તેને વળગતો હતો:અને સાંકળોથી તથા બેડીઓથી તેઓ તેને બાંધી રાખતા હતા, પણ બંધનો તોડી નાખીને તે દુષ્ટાત્મા તેને રાનમાં હાંકી જતો હતો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.29 તે એવું બોલ્યો, કારણ, ઈસુએ દુષ્ટાત્માને તે માણસમાંથી નીકળી જવાની આજ્ઞા કરી હતી. ઘણીવાર દુષ્ટાત્માએ એ માણસનો કબજો લીધો હતો, અને જોકે તે માણસને હાથેપગે સાંકળો અને બેડીઓથી બાંધીને પૂરી રાખવામાં આવતો હતો, તોપણ તે સાંકળો તોડી નાખતો અને દુષ્ટાત્મા તેને વેરાન પ્રદેશમાં દોરી જતો. Faic an caibideil |