યર્મિયાનો વિલાપ 3:39 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201939 જીવતો માણસ શા માટે ફરિયાદ કરે છે, પોતાના પાપની સજા થવાથી તે શા માટે કચકચ કરે? Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)39 જીવતો માણસ શા માટે બડબડ કરે છે, પોતાનાં પાપની સજા થવાથી તે કેમ કચકચ કરે? Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.39 આપણને આપણા પાપને લીધે શિક્ષા થઈ હોય તો આપણે શા માટે ફરિયાદ કરવી જોઈએ? Faic an caibideilપવિત્ર બાઈબલ39 પાપની સજા સામે કોઇ માણસે શા માટે ફરિયાદ કરવી જોઇએ? Faic an caibideil |
એલિશા પોતાના ઘરમાં બેઠો હતો અને તેની સાથે વડીલો બેઠા હતા. રાજાએ પોતાની પાસેથી તેની આગળ એક માણસ મોકલ્યો, પણ તે સંદેશાવાહક આવી પહોંચ્યો તે પહેલાં જ એલિશાએ વડીલોને કહ્યું હતું કે, “જો, એ ખૂનીના દીકરાએ મારું માથું કાપી નાખવાને માણસ મોકલ્યો છે. જુઓ જ્યારે સંદેશાવાહક આવે ત્યારે તેને બહાર ઊભો રાખીને બારણું બંધ કરી દેજો. શું તેના માલિકના પગનો અવાજ તેની પાછળ નથી સંભળાતો?’