યહોશુઆ 5:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 તેઓને સ્થાને યહોવાહે તેઓના દીકરાઓને ઊભા કર્યા હતા, યહોશુઆએ તેઓની સુન્નત કરી, કેમ કે માર્ગમાં તેઓની સુન્નત કરાઈ ન હતી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 અને તેઓને સ્થાને તેઓના જે દીકરાઓને તેમણે ઊભા કર્યા હતા, તેઓની સુન્નત મુસાફરીમં થઈ નહોતી, માટે તેઓ બેસુન્નત હતા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.7 એ માણસોના પુત્રોની તો સુન્નત થઈ નહોતી અને એ નવી પેઢીની યહોશુઆએ સુન્નત કરી. મુસાફરી દરમ્યાન તેમની સુન્નત થઈ ન હોવાથી તેઓ સુન્નતરહિત હતા. Faic an caibideilપવિત્ર બાઈબલ7 પણ મિસરમાંથી પ્રવાસ દરમ્યાન જેઓ રણમાં જન્મ્યા હતા તેમાંનાં એકેય છોકરાની સુન્નત નહોતી થઈ. તેથી યહોશુઆએ તેમની સુન્નત કરી. Faic an caibideil |
મિસરમાંથી નીકળેલા યોધ્ધાઓ, કે જે અરણ્યમાં મરી ગયા, ત્યાં સુધી ઇઝરાયલના લોકો ચાળીસ વર્ષ સુધી અરણ્યમાં ફરતા રહ્યા, કેમ કે, તેઓએ યહોવાહની આજ્ઞાઓ પાળી ન હતી. જે દૂધ તથા મધથી રેલછેલવાળો દેશ તેઓને આપવાનો યહોવાહે તેઓના પૂર્વજો સાથે કરાર કર્યો હતો તે દેશ તેઓને જોવા દેવો નહિ તેવા સમ યહોવાહે તેઓ વિષે ખાધા હતા.