યહોશુઆ 20:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 તે દિવસોમાં જે મુખ્ય યાજક તરીકેની સેવા આપતો હોય તેના મરણ સુધી, તે ન્યાયને સારું સભા આગળ ઊભો રહે ત્યાં સુધી, તે તેં જ નગરમાં રહે. પછી એ મનુષ્યઘાતક તેના પોતાના ઘરે અથવા તેના પોતાના નગરમાં કે જ્યાંથી તે નાસી ગયો હતો ત્યાં પાછો જાય.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 અને તે ઇનસાફ માગવા માટે ન્યાયાધીશો પાસે આવે ત્યાં સુધી, અથવા જે મુખ્ય યાજક તે વખતે હોય તેના મરણ સુધી, તે નગરમાં તે રહે; ત્યાર પછી મનુષ્યઘાતક પોતાના નગરમાં, એટલે જે નગરમાંથી તે નાસી આવ્યો હોય ત્યાં, પોતાને ઘેર પાછો જાય.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.6 ખૂની માણસ તેનો જાહેરમાં ન્યાય ન થાય ત્યાં સુધી અને તે સમયે જે માણસ મુખ્ય યજ્ઞકાર હોય તે મરણ પામે ત્યાં સુધી એ નગરમાં જ રહે. તે પછી તે જ્યાંથી નાસી છૂટયો હતો ત્યાં પોતાને ઘેર પાછો જાય.” Faic an caibideilપવિત્ર બાઈબલ6 હત્યાનો ન્યાય સમુદાયની સમક્ષ સંભળવવામાં આવશે અને જ્યાં સુધી તેઓ ઠરાવ પસાર કરે, તે વ્યક્તિએ શહેરમાં રહેવું. વડા યાજકના અવસાન પછી તે માંણસ પોતાના તે નગરમાં પાછો ફરી શકે છે, જયાંથી તે ભાગી આવ્યો હતો.” Faic an caibideil |