ન્યાયાધીશો 14:19 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 ત્યારે ઈશ્વરનો આત્મા અચાનક સામસૂન પર પરાક્રમ સહિત આવ્યો. સામસૂન આશ્કલોનમાં ગયો અને તેઓમાંના ત્રીસ પુરુષોને મારી નાખ્યા. તેણે તેઓનો લૂંટેલો માલ લઈ લીધો અને જેઓએ તેના ઉખાણાનો જવાબ આપ્યો હતો તેઓને તેણે ત્રીસ વસ્ત્રોની જોડ આપી. તે ક્રોધાયમાન થયો અને તે પોતાના પિતાના ઘરે જતો રહ્યો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 પછી યહોવાનો આત્મા તેના પર પરાક્રમસહિત આવ્યો, ને તેણે આશ્કલોનમાં જઈને તેઓમાંના ત્રીસ જણને માર્યા, ને તેઓનાં વસ્ત્ર લૂટી લઈને જે માણસોએ તે ઉખાણાનો અર્થ કહી બતાવ્યો હતો તેઓને તે આપ્યાં. અને તેને ક્રોધ ચઢ્યો, ને તે પોતાના પિતાના ઘેર ચાલ્યો ગયો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.19 એકાએક પ્રભુનો આત્મા શિમશોન પર આવ્યો અને તેણે આશ્કલોનમાં જઈને ત્રીસ માણસોને મારી નાખીને તેમનાં વસ્ત્ર લૂંટી લીધાં અને ઉખાણાનો ઉકેલ બતાવનાર જુવાનોને આપ્યાં. જે કંઈ બન્યું તેને લીધે તે ક્રોધથી ધૂંઆપૂંઆં થઈ ગયો, પછી તે પોતાના પિતાને ઘેર જતો રહ્યો. Faic an caibideilપવિત્ર બાઈબલ19 પછી યહોવાના આત્માંએ સામસૂનમાં પ્રવેશ કર્યો, તે તરત જ આશ્કલોન ગયો અને ત્યાં તેણે ત્રીસ માંણસોને માંરી નાખ્યા, તેણે તેઓના વસ્ત્રો લઈ લીધા, અને તેઓને નગ્ન કરી દીધા અને તેમના વસ્ત્રો તેના ઉખાણાનો જવાબ આપનારા લોકોને આપી દીધાં, પછી તે ખૂબ ગુસ્સે થયો અને પોતાના પિતાને ઘેર ચાલ્યો ગયો. Faic an caibideil |