નિર્ગમન 8:26 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201926 પરંતુ મૂસાએ કહ્યું, “એ પ્રમાણે કરવું ઉચિત નથી, કારણ કે અમે અમારા ઈશ્વર યહોવાહને અર્પણ ચઢાવીએ તેને મિસરના લોકો અપવિત્ર ગણે છે. તેથી મિસરના લોકો જેને પવિત્ર ગણે છે તેવી આહુતિ જો અમે આપીએ તો તેઓ અમને પથ્થરો મારીને મારી નાખે નહિ? Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)26 અને મૂસાએ કહ્યું, “એમ કરવું અમારે માટે યોગ્ય નથી. કેમ કે એથી તો અમારા ઈશ્વરે યહોવા આગળ મિસરીઓને અમંગળ લાગે એવા યજ્ઞ થાય. જો અમે મિસરીઓના જોતાં તેમને અમંગળ લાગે એવા યજ્ઞ કરીએ તો શું તેઓ અમને પથ્થરે નહિ મારે? Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.26 પરંતુ મોશેએ જવાબ આપ્યો, “એમ કરવું યોગ્ય નથી; કારણ, અમે અમારા ઈશ્વર પ્રભુને જે બલિદાનો ચડાવીએ છીએ તેનાથી ઇજિપ્તીઓને નફરત થશે. ઇજિપ્તીઓને નફરત આવે એવાં બલિદાનો અમે ચડાવીએ તો તેઓ અમને પથ્થરે નહિ મારે? Faic an caibideilપવિત્ર બાઈબલ26 પરંતુ મૂસાએ કહ્યું, “એ પ્રમાંણે કરવું એ યોગ્ય નથી, કારણ કે અમે અમાંરા દેવ યહોવાને પશુઓને યજ્ઞમાં અર્પીએ તેને મિસરના લોકો અપવિત્ર ગણે છે. એથી મિસરના લોકો જેને પવિત્ર ગણે છે તે પશુઓની આહુતિ આપીએ તો તેઓ અમને પથ્થરો માંરીને માંરી નહિ નાંખે? Faic an caibideil |