Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઝખાર્યા 14:20 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 તે દિવસે ઘોડાઓની ઘંટડીઓ ઉપર ‘યહોવાને માટે પવિત્ર’ [એ શબ્દો] હશે; અને યહોવાના મંદિરમાંનાં તપેલાં વેદી આગળના પ્યાલા જેવાં થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

20 તે વખતે ઘોડાઓની ઘંટડીઓ પર આવા શબ્દો કોતરેલા હશે: “પ્રભુને સમર્પિત.” મંદિરનાં રાંધવાનાં તપેલાં પણ વેદી પરનાં પ્યાલાં જેવાં પવિત્ર ગણાશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 પણ તે દિવસે, ઘોડાઓ પરની ઘંટડીઓ કહેશે, “યહોવાહને સારુ પવિત્ર” અને યહોવાહના સભાસ્થાનનાં તપેલાં વેદી આગળના વાટકા જેવાં થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 તે દિવસે ઘોડાઓ પરની ઘંટડીઓ ઉપર લખેલું હશે, યહોવાને સમર્પિત અને યહોવાના મંદિરમાં સામાન્ય વાસણો વેદી આગળનાં વાસણો જેવા પવિત્ર હશે;

Faic an caibideil Dèan lethbhreac




ઝખાર્યા 14:20
43 Iomraidhean Croise  

વળી ચોખ્ખા સોનાનાં પ્યાલાં, કાતરો, તપેલાં, પળીઓ તથા ધૂપદાનીઓ; અને ભીતરના ઘરનાં એટલે પરમપવિત્રસ્થાનનાં કમાડને માટે, તેમ જ ઘરનાં એટલે મંદિરનાં કમાડને માટે સોનાનાં મિજાગરાં.


વળી તેણે દશ મેજ બનાવી, ને તેમને મંદિરમાં પાંચ જમણી બાજુએ તથા પાંચ ડાબી બાજુએ મૂકી. તેણે સોનાનાં એકસો તપેલાં બનાવ્યાં.


તમારી સત્તાના સમયમાં તમારા લોક ખુશીથી અર્પણ થાય છે; પવિત્ર વસ્‍ત્ર પહેરીને, અને મળસકાના ગર્ભસ્થાનમાંથી [નીકળીને તમે આવો છો] , તમારી પાસે તમારી યુવાવસ્થાનો ઓસ છે.


અને તું તેની થાળીઓ તથા કડછીઓ તથા વાડકા તથા રેડવાને માટે પ્યાલા બનાવ; તું તેમને ચોખ્ખા સોનાનાં બનાવ;


અને તેણે મેજ પરની સામગ્રી, એટલે તેની થાળીઓ તથા તેની કડછીઓ તથા તેના વાટકા તથા રેડવા માટે ચોખ્ખા સોનાનાં પ્યાલાં બનાવ્યાં.


અને તેઓએ ચોખ્ખા સોનાનું પવિત્ર મુગટનું પતરું બનાવ્યું, ને તેના પર, ‘યહોવાને માટે પવિત્ર, ’ એવો લેખ, મુદ્રાના જેવી કોતરણીથી કોતર્યો.


પણ તેની કમાઈ તથા તેનો પગાર યહોવાને અર્પણ થશે; તે ખજાનામાં ભરાશે નહિ, ને રાખી મુકાશે નહિ; કેમ કે તેની કમાઈ યહોવાની હજૂરમાં રહેનારાને માટે થશે કે, તેઓ ધરાઈને ખાય, ને ઉત્તમ વસ્ત્ર પહેરે.


હે સિયોન જાગૃત થા, જાગૃત થા, તારા સામર્થ્યથી વેષ્ઠિત થા; હે યરુશાલેમ, પવિત્ર નગર, તારાં સુંદર વસ્ત્ર પહેર; કેમ કે હવે પછી બેસુન્નતી તથા અશુદ્ધ કદી તારામાં પેસશે નહિ.


મુડદાંઓની તથા રાખની આખી ખીણ, કિદ્રોનના વહેળા સુધીનાં સર્વ ખેતરસહિત, પૂર્વ તરફ ઘોડાભાગળના ખૂણા સુધી, યહોવાને માટે પવિત્ર થશે; તે ફરી કદી પણ ઉખેડવામાં આવશે નહિ, ને પાડી નાખવામાં આવશે નહિ.”


વળી, જ્યારે તમે ઈશ્વર સમક્ષ ચિઠ્ઠી નાખીને દેશનો વારસો વહેંચી લો ત્યારે તમારે યહોવાને એક અર્પણ ચઢાવવું, એટલે તે દેશનો અમુક ભાગ અર્પણ કરવો; તે ભાગ પચીસ હજાર દંડ લાંબો, ને દશ હજાર દંડ પહોળો હોય. તે તેની ચારે તરફની સીમા સુધી પવિત્ર ગણાય.


પણ જે હાંલ્લામાં તે બફાયું હોય, તે હાંલ્લાને ભાંગી નાખવું. અને જો પિત્તળના વાસણમાં તે બફાયું હોય, તો તેને માંજીને પાણીએ વીછળવું.


અને તેણે તેને માથે પાઘડી પહેરાવી. અને પાઘડીની આગળ તેણે સોનાનું પતરું એટલે પવિત્ર મુગટ ચોઢયો, જેમ યહોવાએ મૂસાને આજ્ઞા કરી હતી તેમ.


પણ સિયોન પર્વત પર બચી રહેલાઓ હશે, ને તે પવિત્ર થશે; અને યાકૂબના વંશજો પોતાના વતનો ભોગવશે.


યહોવા તેમને ભયંકર થઈ પડશે, કેમ કે તે પૃથ્વીના સર્વ દેવોનો ક્ષય કરશે. માણસો પોતપોતાને સ્થાનેથી, હા, સર્વ દ્વીપોની પ્રજાઓ તેમને ભજશે.


મિસરને તથા માંડવાપર્વ પાળવા નહિ જનારી સર્વ પ્રજાઓને એ સજા થશે.


યહોવા કહે છે કે, હું સિયોનમાં પાછો આવ્યો છું, ને હું યરુશાલેમમાં રહીશ. યરુશાલેમ સત્યનું નગર કહેવાશે. તે સૈન્યોના [ઇશ્વર] યહોવાનો પર્વત, પવિત્ર પર્વત કહેવાશે.


સૈન્યોના [ઇશ્વર] યહોવા તેમનું રક્ષણ કરશે. તેઓ [દુશ્મનોને] ખાઈ જશે, ને [તેમોના] ગોફણના ગોળાઓને [પગ નીચે] ખૂંદી નાખશે. જાણે દ્રાક્ષારસ [પીતા હોય] તેમ તેઓ [રક્ત] પીશે, ને કોલાહલ કરશે; તેઓ પ્યાલાઓની જેમ, વેદીના ખૂણાઓ [ઉપરના પ્યાલાઓ] ની જેમ, ભરપૂર થશે.


કેમ કે સૂર્યોદયથી તે સૂર્યાસ્ત સુધી મારું નામ વિદેશીઓમાં મહાન મનાય છે, અને સર્વ સ્થળે મારે નામે ધૂપ [બાળવામાં] તથા પવિત્ર અર્પણ ચઢાવવામાં આવે છે.” કેમ કે સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે, “મારું નામ વિદેશીઓમાં મહાન મનાય છે.”


અને તેના ઉપર તેઓ તેને લગતું કામ કરવાની સર્વ સામગ્રી એટલે સગડીઓ, તથા ત્રિશૂળો, તથા પાવડા, તથા તપેલીઓ, એટલે વેદીનાં સર્વ પાત્રો મૂકે. અને તેના ઉપર તેઓ સીલના ચામડાનું આચ્છાદાન નાખે, ને તેના દાંડા તેમાં નાખે.


અને અર્પેલી રોટલીની મેજ પર નીલ રંગનું કપડું પાથરે, ને તેના ઉપર થાળીઓ તથા ચમચા તથા પ્યાલા તથા તર્પણને માટે વાટકા મૂકે; અને નિત્યની રોટલી તેના ઉપર રહે.


અને તેનું અર્પણ રૂપાની એક કથરોટ હતું, જેનું વજન એકસો ત્રીસ [શેકેલ] હતું, પવિત્રસ્થાનના શેકેલ પ્રમાણે સિત્તેર શેકેલ રૂપાનો એક પ્યાલો; બન્‍ને પાત્રો ખાદ્યાર્પણને માટે તેલમિશ્રિત મેંદાથી ભરેલાં હતાં.


તેણે આ અર્પણ ચઢાવ્યું, એટલે રૂપાની એક કથરોટ, જેનું વજન એકસો ત્રીસ [શેકેલ] હતું, ને પવિત્રસ્થાનના શેકેલ પ્રમાણે સિત્તેર શેકેલ રૂપાનો એક પ્યાલો. બન્‍ને પાત્રો ખાદ્યાર્પણને માટે તેલે મોહેલા મેંદાથી ભરેલાં હતાં.


પરંતુ અંદરની વસ્તુઓ દાનધર્મમાં આપો. અને, જુઓ, બધું તમને શુદ્ધ છે.


ત્યારે બીજી વાર [તેના સાંભળવામાં] એવી વાણી આવી, “ઈશ્વરે જે શુદ્ધ કર્યું છે, તેને તું અશુદ્ધ ન ગણ.”


તેણે તેઓને કહ્યું, “તમે પોતે જાણો છો કે બીજી પ્રજાના માણસની સાથે સંબંધ રાખવો, અથવા તેને ત્યાં જવું, એ યહૂદી માણસને ઉચિત નથી, પણ ઈશ્વરે તે મને દેખાડ્યું છે કે, મારે કોઈ પણ માણસને નાપાક અથવા અશુદ્ધ કહેવું નહિ.


પણ તેના ઉત્તરમાં આકાશમાંથી બીજી વાર વાણી થઈ, ‘ઈશ્વરે જે શુદ્ધ કર્યું છે, તેને તું અશુદ્ધ ન ગણ.’


અને વિશ્વાસથી તેઓનાં મન પવિત્ર કરીને આપણામાં તથા તેઓમાં કંઈ ભેદ રાખ્યો નથી.


વચનથી કે કાર્યથી જે કંઈ તમે કરો તે સર્વ પ્રભુ ઈસુને નામે કરો, અને તે દ્વારા ઈશ્વર પિતાની આભારસ્તુતિ કરો.


તેમની પાસે આવીને તમે પણ જીવંત પથ્થરોના જેવા આત્મિક ઘરમાં ચણાયા છો, અને જે આત્મિક યજ્ઞ ઈસુ ખ્રિસ્ત દ્વારા ઈશ્વરને પ્રસન્‍ન છે એ યજ્ઞ કરવાને માટે તમે પવિત્ર યાજકવર્ગ થયા છો.


પણ તમે તો પસંદ કરેલી જાતિ, રાજમાન્ય યાજકવર્ગ, પવિત્ર પ્રજા તથા [પ્રભુના] ખાસ લોક છો કે, જેથી જેમણે અંધકારમાંથી પોતાના આશ્વર્યકારક પ્રકાશમાં [આવવાનું] આમંત્રણ આપ્યું છે, તેમના સદગુણો તમે પ્રગટ કરો.


જો કોઈ બોધ કરે, તો તેણે ઈશ્વરનાં વચન પ્રમાણે બોધ કરવો. જો કોઈ સેવા કરે, તો તેણે ઈશ્વરે આપેલા સામર્થ્ય પ્રમાણે [સેવા] કરવી. જેથી સર્વ બાબતમાં ઈસુ ખ્રિસ્ત દ્વારા ઈશ્વર મહિમાવાન થાય. તેમને સદાસર્વકાળ મહિમા તથા સત્તા છે. આમીન.


અને ઈશ્વર એટલે પોતાના પિતાને માટે આપણને યાજકો [નું] રાજ્ય બનાવ્યું, તેમને મહિમા તથા અધિકાર સદાસર્વકાળ સુધી હોજો. આમીન.


પહેલા પુનરુત્થાનમાં જેને ભાગ છે તે ધન્ય તથા પવિત્ર છે! એવાઓ પર બીજા મરણનો અધિકાર નથી! પણ તેઓ ઈશ્વરના તથા ખ્રિસ્તના યાજક થશે, અને તેમની સાથે હજાર વર્ષ રાજ કરશે.


અને અમારા ઈશ્વરને માટે, તેમને રાજ્ય તથા યાજકો કર્યા છે, અને તેઓ પૃથ્વી પર રાજ કરે છે.”


અને તે કઢાઈમાં, દેગમાં, તાવડામાં કે હાંલ્‍લામાં તે ભોંકતો; ત્રિશૂળની સાથે જેટલું [માંસ] બહાર આવતું તે બધું યાજક પોતાને માટે લઈ જતો. જે સર્વ ઇઝરાયલીઓ શીલોમાં આવતા તેઓની સાથે એ જ પ્રમાણે તેઓ વર્તતા.


Lean sinn:

Sanasan


Sanasan