Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




રોમનોને પત્ર 3:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 પણ જો મારા અસત્યથી ઈશ્વરનું સત્ય તેમના મહિમાને અર્થે વધારે પ્રગટ થયું, તો હજુ સુધી અપરાધી તરીકે મારો ન્યાય કેમ કરવામાં આવે છે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

7 જો મારા જૂઠ્ઠથી ઈશ્વરનું સત્ય પ્રગટ થાય, અને એમ ઈશ્વરને મહિમા મળે, તો પછી મને પાપી તરીકેની સજા થાય ખરી?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 પણ જો મારા અસત્યથી ઈશ્વરનું સત્ય તેમના મહિમાને અર્થે વધારે પ્રગટ થયું, તો હજુ સુધી અપરાધી તરીકે મારો ન્યાય કેમ કરવામાં આવે છે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 કોઈ વ્યક્તિ આવી દલીલ કરી શકે? “જો હું જૂઠ્ઠુ બોલું, તો તેનાથી દેવની કીર્તિ વધશે, કેમકે મારું અસત્ય દેવના સત્યને પ્રગટ કરશે. તો પછી શા માટે મને પાપી ઠેરવો છો?”

Faic an caibideil Dèan lethbhreac




રોમનોને પત્ર 3:7
17 Iomraidhean Croise  

અને હવે ચાલો, આપણે તેને મારી નાખીએ, ને કોઈએક ખાડામાં તેને નાખી દઈએ, ને આપણે કહીશું કે, કોઈક રાની પશુ તેને ખાઈ ગયું છે. અને તેના સ્વપ્નનું શું થશે તે જોઈશું.”


એવી રીતે તે દિવસે યહોવાએ ઇઝરાયલને મિસરીઓના હાથમાંથી બચાવ્યા; અને ઇઝરાયલે સમુદ્રકાંઠે મિસરીઓને મરી ગયેલા દીઠા.


અને મિસરના રાજાએ ખબર મળી કે લોકો નાસી ગયા છે. અને ફારુન તથા તેના સેવકોનું મન લોકો વિષે ફરી ગયું, ને તેઓએ કહ્યું, “ઇઝરાયલને અમારી ચાકરીમાંથી જવા દઈને અમે આ શું કર્યું?”


અને હું જાણું છું કે મિસરનો રાજા તમને જવા દે. હા, માત્ર બળવાન હાથથી તમને [જવા દેશે].


ઈસુએ તેને કહ્યું, હું તને સાચે જ કહું છું કે, આજ રાત્રે મરઘો બોલ્યા અગાઉ તું ત્રણ વાર મારો નકાર કરીશ.”


ઈશ્વરના સંકલ્પ તથા પૂર્વજ્ઞાન પ્રમાણે તેમને પરસ્વાધીન કરવામાં આવ્યા. તેમને તમે પકડીને દુષ્ટોની હસ્તક વધસ્તંભે જડાવીને મારી નાખ્યા.


ના, એવું ન બને. હા, દરેક માણસ ભલે જૂઠું ઠરે તોપણ ઈશ્વર સાચા ઠરો; લખેલું છે, ‘તમે તમારાં વચનોમાં ન્યાયી ઠરો, અને તમારો ન્યાય કરવામાં આવે ત્યારે તમારો વિજય થાય.’


Lean sinn:

Sanasan


Sanasan