Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સંદર્શન 16:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 ત્યારે મેં વેદીને એમ કહેતાં સાંભળી, “હા, હે સર્વશક્તિમાન પ્રભુ ઈશ્વર, તમારા ન્યાયચુકાદા સત્ય તથા યથાર્થ છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

7 પછી મેં વેદીનો પ્રતિભાવ પણ સાંભળ્યો: “હા પ્રભુ, સર્વશક્તિમાન ઈશ્વર, તમારા ચુકાદા ખરેખર સાચા અને ન્યાયી છે!”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 યજ્ઞવેદીમાંથી એવો અવાજ મેં સાંભળ્યો કે, ‘હા, ઓ સર્વસમર્થ પ્રભુ ઈશ્વર, તમારા ન્યાયચુકાદા સત્ય તથા ન્યાયી છે.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 અને મેં વેદીને એમ કહેતાં સાભળી કે: “હા, પ્રભુ દેવ, સર્વશક્તિમાન, તારા ન્યાયના ચૂકાદા સત્ય તથા યથાર્થ છે.”

Faic an caibideil Dèan lethbhreac




સંદર્શન 16:7
11 Iomraidhean Croise  

પછી સરાફોમાંનો એક, વેદી પરથી ચીપિયા વડે લીધેલો અંગાર હાથમાં રાખી, મારી પાસે ઊડી આવ્યો.


તેણે શણના વસ્ત્ર પહેરેલા માણસને કહ્યું, “ફર્યા કરતાં પૈડાની વચમાં, એટલે કરુબ નીચે, પેસ, ને કરુબોની વચ્ચેથી ખોબો ભરીને અગ્નિના અંગારા લે, ને તેને નગર પર નાખ.” અને મારા દેખતાં તે અંદર પ્રવેશ્યો.


અને કરુબોની વચ્ચેથી એક કરુબે પોતાનો હાથ કરુબોની વચમાંના અગ્નિ તરફ લંબાવીને તેમાંથી કેટલોક અગ્નિ લઈને શણનાં વસ્ત્ર પહેરેલા માણસના ખોબામાં મૂક્યો, ને એ તે લઈને બહાર નીકળ્યો.


પ્રભુ પરમેશ્વર જે છે, જે હતા ને જે આવનાર છે, જે સર્વશક્તિમાન છે, તે કહે છે કે, હું આલ્ફા તથા ઓમેગા છું.


જો કોઈ બીજાને દાસત્વમાં લઈ જાય, તો તે પોતે દાસત્વમાં જશે. જો કોઈ બીજાને તરવારથી મારી નાખે, તો તેને પોતાને તરવારથી માર્યા જવું પડશે. આમાં સંતોનું ધૈર્ય તથા [તેઓનો] વિશ્વાસ [રહેલાં] છે.


તો તે પણ ઈશ્વરનો કોપરૂપી દ્રાક્ષારસ, જે તેમના ક્રોધના પ્યાલામાં નર્યો રેડેલો છે, તેમાંથી પીશે; અને પવિત્ર દૂતોની સમક્ષ તથા હલવાનની સમક્ષ અગ્નિથી તથા ગંધકથી તે રિબાશે.


અને બીજો એક દૂત, એટલે જેને અગ્નિ પર અધિકાર છે તે, વેદી પાસેથી બહાર આવ્યો. તેણે જેની પાસે ધારવાળું દાતરડું હતું તેને મોટે સ્વરે કહ્યું, “તું તારું ધારવાળું દાતરડું લગાડીને પૃથ્વીના દ્રાક્ષાવેલાનાં ઝૂમખાંને લણી લે, કેમ કે તેની દ્રાક્ષા પાકી ચૂકી છે.”


કારણ કે તેમના ન્યાયચુકાદા સત્ય તથા યથાર્થ છે. કેમ કે જે મોટી વેશ્યાએ પોતાના વ્યભિચારથી પૃથ્વીને ભ્રષ્ટ કરિ, તેનો તેમણે ન્યાય કર્યો છે, અને પોતાના સેવકોના લોહીનો બદલો તેની પાસેથી લીધો છે.”


જ્યારે તેણે પાંચમી મુદ્રા તોડી, ત્યારે ઈશ્વરના વચનને લીધે તથા પોતે જે સાક્ષીને વળગી રહ્યા હતા તેને લીધે મારી નાખવામાં આવેલાના આત્માઓને મેં વેદી નીચે જોયા.


Lean sinn:

Sanasan


Sanasan