Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 95:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 જેમ મરીબામાં, અને જેમ અરણ્યમાં માસ્સાને દિવસે,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8 “તમારા પૂર્વજોએ, રણપ્રદેશમાં મરીબા અને માસ્સામાં હઠીલા દયના બનીને મારી ક્સોટી કરી તેવા તમે ન બનો;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 “મરીબાહમાં કર્યાં હતાં તેમ, તમારા હૃદય કઠણ ન કરો, અને જેમ અરણ્યમાં માસ્સાને દિવસે,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 દેવ કહે છે, “ઇસ્રાએલી લોકોએ અરણ્યમાં મરીબાહમાં તથા માસ્સાહમાં, પોતાના હૃદય કઠણ કર્યા, તેવું તમે કરશો નહિ.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 95:8
18 Iomraidhean Croise  

માટે લોકોએ મૂસાની સાથે તકરાર કરીને કહ્યુમં, “અમને પીવાને પાણી આપ.” અને મૂસાએ તેઓને કહ્યું, “તમે મારી સાથે શા માટે તકરાર કરો છો? તમે યહોવાની પરીક્ષા કેમ કરો છો?”


અને તેણે તે જગાનું નામ માસ્સા તથા મરીબા પાડયું; કેમ કે ઇઝરાયલી લોકોએ તકરાર કરી, ને યહોવા અમારામાં છે કે નહિ, એમ કહીને તેઓએ યહોવાની પરીક્ષા કરી.


પણ ફારુને જોયું કે છૂટકો મળ્યો છે, ત્યારે યહોવાના કહ્યા પ્રમાણે ફારુને પોતાનું હ્રદય હઠીલું કરીને તેઓનું માન્યું નહિ.


પણ જ્યારે તેમનું મન ગર્વિષ્ઠ થયું, ને તેમનો મિજાજ કરડો થયાથી તે મગરૂરીથી વર્તવા લાગ્યા, ત્યારે તેમને પોતાનાં રાજ્યાસન પરથી પદભ્રષ્ટ કરવામાં આવ્યા, ને તેમનો બધો માનમરતબો તેમની પાસેથી લઈ લેવામાં આવ્યો.


અને યહોવાએ મૂસાને કહ્યું, “આ લોક મને ક્યાં સુધી તુચ્છકારશે? અને તેઓ મધ્યે જે સર્વ ચિહ્નો મેં કર્યાં છે તે છતાં, તેઓ ક્યાં સુધી મારા પર વિશ્વાસ રાખશે નહિ?


જે બધા માણસોએ મારું ગૌરવ ને મિસરમાં તથા અરણ્યમાં મારા ચમત્કારો જોયા છતા દશ વખત મારી પરીક્ષા કરી છે, ને મારી વાણી સાંભળી નથી,


“આ દુષ્ટ પ્રજા જે મારી વિરુદ્ધ કચકચ કરે છે તેનું ક્યાં સુધી હું સહન કરું? ઇઝરાયલી લોકોની કચકચ કે જે તેઓ મારી વિરુદ્ધ કરે છે તે મેં સાંભળી છે.


એ તો મરીબા [એટલે તકરાર] નાં પાણી છે, કેમ કે ઇઝરાયલી લોકોએ યહોવાની સાથે તકરાર કરી, અને તેઓ મધ્યે તેણે પોતાને પવિત્ર મનાવ્યો.


પણ કેટલાકે દુરાગ્રહી થઈને, તથા [પ્રભુની વાતનો] અનાદર કરીને, લોકોની આગળ એ માર્ગની નિંદા કરી, ત્યારે તેણે તેઓની પાસેથી જઈને શિષ્યોને જુદા પાડ્યા, અને પોતે તુરાનસની શાળામાં રોજ વાદવિવાદ કરતો રહ્યો.


તું તો તારા કઠણ તથા પશ્ચાત્તાપસહિત અંત:કરણ પ્રમાણે તારે પોતાને માટે કોપના તથા ઈશ્વરના યથાર્થ ન્યાયના પ્રગટીકરણને દિવસે થનાર કોપનો સંગ્રહ કરે છે.


જેમ તમે માસ્સામાં તેમની પરીક્ષા કરી તેમ તમે યહોવા તમારા ઈશ્વરની પરીક્ષા ન કરો.


જે બોલે છે તેનો તમે અનાદર ન કરો, માટે સાવધ રહો. કેમ કે પૃથ્વી પર ચેતવનારનો જેઓએ અનાદર કર્યો તેઓ જો બચ્યા નહિ, તો આકાશમાંથી ચેતવનારની પાસેથી જો આપણે ફરીએ તો ખરેખર બચીશું નહિ.


પણ જ્યાં સુધી “આજ” કહેવાય છે, ત્યાં સુધી તમે દિનપ્રતિદિન એકબીજાને ઉત્તેજન આપો કે, પાપના કપટથી તમારામાંનો કોઈ કઠણ [હ્રદયનો] ન થાય.


હવે તમે બધું જાણી ચૂકયા છો ખરા, તોપણ હું તમને યાદ દેવડાવવા ચાહું છું કે પ્રભુએ લોકોનો મિસર દેશમાંથી બચાવ કર્યા પછી અવિશ્વાસીઓનો નાશ કર્યો.


તો જેમ મિસરીઓએ તથા ફારુને પોતાનાં અંત:કરણ કઠણ કર્યાં તેમ તમે તમારા અંત:કરણો કેમ કઠણ કરો છો? તેણે તેઓ મધ્યે અદભૂતકૃત્યો કર્યાં, ત્યારે પછી તેઓએ [ઇઝરાયલી લોકને] જવા દીધા, ને તેઓ ગયા, શું એમ ન બન્યું?


Lean sinn:

Sanasan


Sanasan