Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 39:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 મારા સર્વ અપરાધોથી મારો છૂટકો કરો, મૂર્ખો મારી મશ્કરી કરે, એવું થવા ન દો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8 મારા સર્વ અપરાધોથી મને ઉગારો, મૂર્ખ લોકો મારી ઠેકડી ઉડાડે એવું થવા ન દો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 મારા સર્વ અપરાધો પર મને વિજય અપાવો: મૂર્ખો મારી મશ્કરી કરે, એવું થવા ન દો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 હે યહોવા, મને મારા પાપોમાંથી ઉગારો, દુષ્ટ માણસની જેમ મને તિરસ્કૃત ન થવા દો.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 39:8
19 Iomraidhean Croise  

જે અપમાનથી હું બીહું છું તે મારાથી દૂર કરો; કેમ કે તમારાં ન્યાયવચનો ઉત્તમ છે.


સવારની રાહ જોનારા કરતાં, હા, સવારની રાહ જોનારા કરતાં મારો આત્મા પ્રભુની રાહ વધારે જુએ છે.


તે ઇઝરાયલને તેના સર્વ અન્યાયોથી તારશે.


હે યહોવા, તમારા નામની ખાતર મારા અન્યાયની ક્ષમા કરો, કેમ કે તે ઘણા છે.


મારાં દુ:ખ તથા વેદના તરફ જોઈને મારાં સર્વ પાપની ક્ષમા કરો.


તેઓ મારી વિરુદ્ધ પહોળા મોઢે બહુ બોલ્યા છે; તેઓએ કહ્યું, “આહા, આહા, અમે તે નજરે જોયું છે.”


તમે અમને અમારા પડોશીઓની આગળ મહેણારૂપ, તથા આસપાસ રહેનારાઓની આગળ તિરસ્કાર તથા મશ્કરીરૂપ કરો છો.


હે ઈશ્વર, મારા તારણના ઈશ્વર, ખૂનના દોષથી મને મુક્ત કરો; એટલે મારી જીભ તમારા ન્યાયીપણા વિષે મોટેથી ગાશે.


જે મને ગળી જવા ચાહે છે, તે મારી નિંદા કરે છે, [ત્યારે] ઈશ્વર આકાશથી [સહાય] મોકલીને મને બચાવશે. (સેલાહ) તે પોતાની કૃપા તથા સત્યતા મોકલશે.


ભૂંડાઈની વાતો મારા પર જય પામે છે. અમારાં ઉલ્લઘંનો તમે નિવારશો.


અમે અમારા પડોશીઓને નિંદારૂપ થયા છીએ, જેઓ અમારી આસપાસ છે તેઓની આગળ તિરસ્કારરૂપ તથા મશ્કરીપાત્ર થયા છીએ.


યાજકો, એટલે યહોવાના સેવકો, પરસાળ તથા વેદીની વચ્ચે રડીને કહે, ‘હે યહોવા, તમારા લોકોને દરગુજર કરો, અને વિદેશીઓ તેમના પર રાજ કરે, ને તમારો વારસો નિંદાપાત્ર થાય, એવું થવા ન દો.’ લોકોમાં એવું શા માટે કહેવાય કે, ‘તેઓનો ઈશ્વર ક્યાં છે?’


યહોવાએ ઉત્તર આપ્યો, ને પોતાના લોકોને કહ્યું, ”જુઓ, હું તમને અનાજ, દ્રાક્ષારસ તથા તેલ મોકલી આપીશ. ને તમે તેઓથી તૃપ્ત થશો. હું હવે પછી કદી પણ તમને બીજી પ્રજાઓમાં નિંદાપાત્ર કરીશ નહિ;


તે ફરશે અને ફરીથી આપણા પર કરુણા રાખશે. તે આપણાં પાપોને પગ નીચે ખૂંદશે; અને તમે તેઓનાં સર્વ પાપો સમુદ્રનાં ઊંડાણમાં ફેંકી દેશો.


અને તેને દીકરો થશે, ને તું તેનું નામ ઈસુ પાડશે, કેમ કે જે પોતાના લોકોને તેઓનાં પાપથી તારશે તે એ જ છે.”


તેમણે આપણે માટે પોતાનું સ્વાર્પણ કર્યું, જેથી સર્વ અન્યાયથી તે આપણો ઉદ્ધાર કરે, અને આપણને પવિત્ર કરીને પોતાને માટે ખાસ પ્રજા તથા સર્વ સારાં કામ કરવાને આતુર એવા લોકો તૈયાર કરે.


Lean sinn:

Sanasan


Sanasan