Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 22:23 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 હે યહોવાનો ભય રાખનારાઓ, તમે તેમની સ્તુતિ કરો; હે યાકૂબનાં સર્વ સંતાનો, તમે તેમને ગૌરવ આપો; અને હે ઇઝરાયલનાં સર્વ પરિવાર, તમે તેમનું ભય રાખો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

23 હે પ્રભુના ભક્તો, તમે તેમની સ્તુતિ કરો, હે યાકોબના વંશજો, તેમને ગૌરવ આપો, હે ઇઝરાયલના સર્વ લોકો, તમે તેમની આરાધના કરો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 હે યહોવાહનો ભય રાખનારાઓ, તેમનાં ગુણગાન ગાઓ! તમે બધા યાકૂબના વંશજો, તેમને માન આપો! હે ઇઝરાયલના સર્વ વંશજો, તમે તેમનું ભય રાખો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

23 હે યહોવાનો ભય રાખનારાઓ, તેમના ગુણગાન ગાઓ. તમે બધા યાકૂબના વંશજો, તેને માન આપો. હે ઇસ્રાએલી પરિવારો, તેમનો ભય રાખો.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 22:23
22 Iomraidhean Croise  

જેથી હું તમારા પસંદ કરેલાઓનું કલ્યાણ જોઉં, તમારી પ્રજાના આનંદમાં હું આનંદ માણું, ને તમારા વારસાની સાથે હું હર્ષનાદ કરું.


હું મારે મુખે યહોવાનો બહુ જ આભાર માનીશ; હા, ઘણા લોકોમાં હું તેમની સ્તુતિ ગાઈશ.


યહોવાની સ્તુતિ કરો. ન્યાયીઓની સભામાં તથા મંડળીમાં હું ખરા હ્રદયથી યહોવાની આભારસ્તુતિ કરીશ.


યહોવાના ભક્તો, તમે યહોવા પર ભરોસો રાખો; તેઓના તે સહાયકારી તથા ઢાલ છે.


હે યહોવાના ભક્તો, નાનાં મોટાં સર્વને તે આશીર્વાદ આપશે.


તેમના ભક્તોની ઇચ્છાને તે તૃપ્ત કરશે; તે તેઓનો પોકાર પણ સાંભળશે, અને તેઓને તારશે.


તેમના વંશજો ઈશ્વરની સેવા કરશે; આવતી પેઢીની આગળ યહોવા વિષેની વાત પ્રગટ કરવામાં આવશે.


મારો પગ મેં સપાટ જગા પર મૂકેલો છે; જનસમૂહમાં હું યહોવાને ધન્યવાદ આપીશ.


આખી પૃથ્વી યહોવાથી બીઓ; દુનિયાના સર્વ રહેવાસીઓ તેમનું ભય રાખો.


હું મહા મંડળીમાં તમારી આભારસ્તુતિ કરીશ; ઘણા લોકોમાં હું તમારી પ્રશંસા કરીશ.


જે ઉપકારસ્તુતિનાં અપર્ણ ચઢાવે છે તે મારો મહિમા [પ્રગટ] કરે છે; અને જે પોતાની વર્તણૂક [નિયમસર] રાખે છે, તેને હું ઈશ્વરનું તારણ દેખાડીશ.”


હે પ્રભુ, મારા ઈશ્વર, હું મારા ખરા હ્રદયથી તમારી આભારસ્તુતિ કરીશ; હું સદાકાળ તમારા નામનો મહિમા ગાઈશ.


તેથી સમર્થ લોકો તમારો મહિમા ગાશે, ભયંકર પ્રજાઓનું શહેર તારાથી બીશે.


જેઓ તેમનું ભય રાખે છે તેઓ પર પેઢી દરપેઢી તેમની દયા રહે છે.


ઘેટાંપાળકોને જેમ કહેવામાં આવ્યું હતું તેમ તેઓએ બધું સાંભળ્યું તથા જોયું, તેને લીધે તેઓ ઈશ્વરનો મહિમા તથા સ્‍તુતિ કરતા પાછા ગયા.


માટે તમે ખાઓ કે, પીઓ કે, જે કંઈ કરો તે સર્વ ઈશ્વરના મહિમાને અર્થે કરો.


હે પ્રભુ, [તમારાથી] કોણ નહિ બીશે, અને તમારા નામની સ્તુતિ કોણ નહિ ગાશે? કેમ કે એકલા તમે પવિત્ર છો. હા, સર્વ પ્રજાઓ તમારી આગળ આવશે ને તમારી આરાધના કરશે. કેમ કે તમારાં ન્યાયી કૃત્યો પ્રગટ થયાં છે.”


Lean sinn:

Sanasan


Sanasan