Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 119:25 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

25 મારો આત્મા ધૂળભેગો થઈ ગયો છે; તમારા વચન પ્રમાણે મને જીવાડો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

25 હું મૃત્યુને આરે આવી પડયો છું; તમારાં કથન પ્રમાણે મને જીવંત રાખો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

25 મારો આત્મા ધૂળ ભેગો થઈ ગયો છે; તમારા વચન પ્રમાણે મને જિવાડો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

25 હું મૃત્યુ પામવાની તૈયારીમાં છું. તમારા વચન આપ્યું હતું પ્રમાણે મને જિવડા.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 119:25
22 Iomraidhean Croise  

હું દુ:ખમાં બહુ દબાઈ ગયો છું; હે યહોવા, તમારા વચન પ્રમાણે મને જીવાડો.


તમારી કૃપા પ્રમાણે મારી વાણી સાંભળો; હે યહોવા, તમારાં ન્યાયવચનો પ્રમાણે મને જીવાડો.


હે યહોવા, તમારી કરુણા મહાન છે; તમારાં ન્યાયવચનો પ્રમાણે મને જીવાડો.


હું તમારાં શાસનો પર કેટલો બધો પ્રેમ રાખું છું તે તમે ધ્યાનમાં લેજો; હે યહોવા, તમારી કૃપા પ્રમાણે મને જીવાડો.


વ્યર્થતામાંથી મારી દષ્ટિ ફેરવો; તમારા માર્ગ વિષે મને આતુર કરો.


હું તમારાં શાસનોની અભિલાષા રાખું છું; તમારા ન્યાયીપણાથી મને જીવાડો. વાવ.


તમારી કૃપા પ્રમાણે મને જીવાડો; એટલે હું તમારા મુખની શિખામણ પાળીશ. લામેદ


હું તમારાં શાસનોને કદી વીસરીશ નહિ; કેમ કે તમે તેઓથી મને જીવાડ્યો છે.


હે યહોવા, તમારા નામને ખાતર મને જીવાડો; તમારા ન્યાયીપણાથી મારો જીવ સંકટમાંથી કાઢો.


મારું બળ સુકાઈને ઠીકરા જેવું થઈ ગયું છે; મારાં જડબાં સાથે મારી જીભ ચોંટી જાય છે; અને તમે મને મરણની ધૂળમાં બેસાડી દીધો છે.


કેમ કે અમારો જીવ જમીન સુધી નમી ગયો છે; અમે પેટ ઘસડતા થઈએ છીએ.


તમે અમને સહાય કરવા ઊઠો, અને તમારી કૃપાથી અમને છોડાવી લો.


તમે અમને ખેદજનક ઘણાં સંકટો દેખાડ્યાં છે, તમે અમોને ફરીથી સજીવ કરશો, અને પૃથ્વીનાં ઊંડાણોથી તમે અમને પાછા કાઢી લાવશો.


એટલે અમે તમારાથી પાછા હઠીશું નહિ; અમને પુનર્જીવન આપો, તો અમે તમારા નામની વિનંતી કરીશું.


વરુ તથા ઘેટાનું બચ્ચું સાથે ચરશે, ને સિંહ બળદની જેમ ઘાસ ખાશે; અને ધૂળ સાપનું ભોજન થશે. મારા આખા પવિત્ર પર્વતમાં તેઓ ઉપદ્રવ કરશે નહિ ને વિનાશ કરશે નહિ, ” એવું યહોવા કહે છે.


પણ તેમણે પાછા ફરીને પિતરને કહ્યું, “અરે શેતાન, મારી પછવાડે જા, તું મને ઠોકરરૂપ છે; કેમ કે ઈશ્ચરની વાતો પર નહિ, પણ માણસની વાતો પર તું ચિત્ત લગાડે છે.”


અને તારા હ્રદયથી તથા તારા ખરા જીવથી પ્રેમ કરે, ને એમ તું જીવતો રહે.


વિનાશ તેઓનો અંત, ઉદર તેઓનો દેવ અને શરમમાં તેઓનું અભિમાન છે, તેઓ સાંસારિક વાતો પર ચિત્ત લગાડે છે.


ઉપરની વાતો પર ચિત્ત લગાડો, પૃથ્વી પરની વાતો પર નહિ.


Lean sinn:

Sanasan


Sanasan