Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 25:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 કોઈ બાબત ગુપ્ત રાખવી એમાં ઈશ્વરનો મહિમા છે; પણ કોઈ વાતનો પત્તો ખોળી કાઢવો એમાં રાજાનું ગૌરવ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 ઈશ્વરની પ્રશંસા તેમની અગમ્યતાને લીધે થાય છે; જ્યારે રાજાની પ્રશંસા રહસ્યો ઉકેલવાની તેની આવડતને લીધે થાય છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 કોઈ બાબત ગુપ્ત રાખવી તેમાં ઈશ્વરનો મહિમા છે, પણ કોઈ બાબત શોધી કાઢવી એમાં રાજાનું ગૌરવ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 કોઇ બાબત ગુપ્ત રહે તેમાં દેવનો મહિમા છે, પણ કોઇ બાબત શોધી કાઢવી એમાં રાજાનો ગૌરવ છે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 25:2
20 Iomraidhean Croise  

તેને ખબર આપનાર જુવાનને દાઉદે પૂછ્યું, “તેં કેમ જાણ્યું કે શાઉલ તથા તેમનો દિકરો યોનાથાન મરી ગયા છે?”


રાજાએ પૂછ્યું, “શું આ સર્વ કામમાં યોઆબનો હાથ તારી સાથે છે?” તે સ્‍ત્રીએ ઉત્તર આપ્યો, “મારા મુરબ્‍બી રાજા, તમારા જીવના સમ કે, જે કંઈ મારા મુરબ્બી રાજા બોલ્યા છે તેથી જમણી કે ડાબી બાજુ કોઈ ફરી શકતું નથી, કેમ કે તમારા ચાકર યોઆબે મને આજ્ઞા આપી, ને તેણે આ સર્વ વાતો તમારી દાસીના મોંમાં મૂકી.


જેથી આપના પૂર્વજોના લેખોનાં પુસ્તકોમાં શોધ કરવામાં આવે, તો તે ઉપરથી આપને માલૂમ પડશે કે એ નગર તો બંડખોર, તથા રાજાઓને તથા દેશોને ઉપદ્રવ કરનારું છે, પુરાતન કાળથી એમાં જ તેઓ તોફાન કરતાં આવ્યાં છે; અને એ કારણને લીધે એ નગર પાયમાલ થયું હતું.


અને અમારા હુકમથી તજવીજ કરતાં માલૂમ પડ્યું છે કે, એ નગર પુરાતન કાળથી રાજાઓની વિરુદ્ધ બંડ કરતું આવ્યું છે, અને એમાં બંડ તથા તોફાન થતાં રહ્યાં છે.


તો હવે, જો આપની ર્દષ્ટિમાં ઠીક લાગે તો, કોરેશ રાજાએ યરુશાલેમમાં ઈશ્વરનું આ મંદિર બાંધવાનો હુકમ કર્યો હતો કે નહિ, એની શોધ આપના બાબિલમાંના ભંડારમાં કરાવશો, અને તે બાબત આપની ઇચ્છા પ્રમાણે હુકમ ફરમાવશો.”


દાર્યાવેશ રાજાએ બાબિલના ભંડારોના દફતરખાનામાં શોધ કરવાનો હુકમ કર્યો.


હું કંગાલોને પિતાની ગરજ સારતો હતો. જેને હું ઓળખતો નહોતો તેની અગત્ય જાણીને હું મદદ કરતો.


જ્યારે મેં પૃથ્વીના પાયા નાખ્યા ત્યારે તું ક્યાં હતો? જો તને સમજણ હોય, તો કહી દે.


“શું નિંદાખોરથી સર્વશક્તિમાનની સાથે વિવાદ થઈ શકે? જે ઈશ્વરની સાથે વાદવિવાદ કરે છે, તે તેનો ઉત્તર આપે.”


‘અજ્ઞાનપણાથી [ઈશ્વરી] ઘટનાને અંધારામાં નાખનાર આ કોણ છે?’ [તે તમે કહ્યું તે ખરું કહ્યું]. તેથી હું સમજતો નહોતો તે બોલ્યો છું, તે બાબતો એવી અદભુત છે કે, હું તે સમજી શક્યો નહિ.


ઘણું મધ ખાવું સારું નથી; તેમ જ પોતાની પ્રતિષ્ઠા શોધવી એ કંઈ પ્રતિષ્ઠા નથી.


જેમ આકાશની ઊંચાઈ તથા પૃથ્વીનું ઊંડાણ, તેમ રાજાઓનું મન અગાધ છે.


પૃથ્વી ઉપર જે કાર્યો બને છે તે સર્વની જ્ઞાનથી શોધ કરવાને તથા તેમનું રહસ્ય સમજવાને મેં મારું મન લગાડયું. એ કષ્ટમય શ્રમ ઈશ્વરે માણસોને કેળવવાના સાધન તરીકે આપ્યો છે.


અને યહોવાએ પોતાના કોપમાં તથા ક્રોધમાં તથા ઘણા રોષમાં તેઓને તેઓના દેશમાંથી ઉખેડી નાખ્યા, ને બીજા દેશમાં કાઢી મૂક્યા, જેમ આજે છે તેમ.’


મર્મો યહોવા આપણા ઈશ્વરના છે. પણ પ્રગટ કરેલી વાતો સદા આપણી તથા આપણાં સંતાનોની છે કે, આપણે આ નિયમનાં સર્વ વચનો પાળીએ.


Lean sinn:

Sanasan


Sanasan