Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 20:22 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 હું ભૂંડાઈનો બદલો લઈશ એવું તારે ન કહેવું જોઈએ; યહોવાની રાહ જો, તે તને ઉગારશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

22 “હું ભૂંડાઈનો બદલો લઈશ” એવું કહીશ નહિ, પ્રભુ પર ભરોસો રાખ એટલે તે તને ઉગારશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 “હું દુષ્ટતાનો બદલો લઈશ!” એવું તારે ન કહેવું જોઈએ; યહોવાહની રાહ જો અને તે તને ઉગારી લેશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

22 હું ભૂંડાઇનો બદલો લઇશ, એવું તારે ન કહેવું જોઇએ; યહોવાની રાહ જોજે, તે તને ઉગારી લેશે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 20:22
19 Iomraidhean Croise  

કદાચ યહોવા મારા પર શિમઈ આજે મને આપે છે તેનો સારો બદલો યહોવા મને આપશે.”


યહોવાની રાહ જો; બળવાન થા, અને હિમ્મત રાખ; હા, યહોવાની રાહ જો.


યહોવાની રાહ જો, તેમને માર્ગે ચાલ, અને દેશનો વારસો પામવાને તે તને મોટો કરશે; દુષ્ટોનો ઉચ્છેદ થશે તે તું જોશે.


યહોવા તેમને મદદ કરે છે, અને તેમને છોડાવે છે; તે તેઓને દુષ્ટોથી છોડાવે છે, અને તેમને તારે છે, કારણ કે તેઓએ તેમનો આશરો લીધો છે.


જે કોઈ ભલાઈનો બદલો ભૂંડાઈથી વાળે છે, તેના ઘરમાંથી હાનિ દૂર થશે નહિ.


માણસની વિવેકબુદ્ધિ તેના ક્રોધને શાંત કરે છે; અને અપરાધની દરગુજર કરવી એ તેનો મહિમા છે.


શરૂઆતમાં તો વારસો જલદીથી સંપાદન કરવામાં આવે છે; પણ તેનું પરિણામ આશીર્વાદરૂપ થશે નહિ.


“જેવું તેણે મને કર્યું છે, તેવું હું તેને કરીશ” એમ તું ન કહે; તે માણસને તેના કામ પ્રમાણે હું બદલો આપીશ.


પણ યહોવાની રાહ જોનાર નવું સામર્થ્ય પામશે; તેઓ ગરૂડની જેમ પાંખો પ્રસારશે; તેઓ દોડશે; ને થાકશે નહિ; તેઓ આગળ ચાલશે, ને નિર્ગત થશે નહિ.”


તું વૈર ન વાળ, ને તારા લોકના વંશ પર ખાર ન રાખ, જેમ પોતા પર તેમ જ તારા પડોશી પર પ્રેમ રાખ; હું યહોવા છું.


પણ હું તમને કહું છું કે જે ભૂંડો હોય તેની સામા ન થાઓ:પણ જે કોઈ તારા જમણા ગાલ પર તમાચો મારે, તેની તરફ બીજો પણ ફેરવ.


તેઓનો પગ લપસી જશે તે કાળે, વેર વાળવું તથા બદલો લેવો એ મારું કામ છે; કેમ કે તેઓની વિપત્તિનો દિવસ પાસે છે, અને તેઓ પર જે આવી પડવાનું છે તે જલદી આવશે.’


સાવધ રહો કે, કોઈ ભૂંડાઈને બદલે પાછી ભૂંડાઈ ન વાળે. પણ સદા એકબીજાનું તથા સર્વનું કલ્યાણ કરવાને યત્ન કરો.


તેમણે નિંદા સહન કરીને સામી નિંદા કરી નહિ. દુ:ખો સહન કરીને ધમકી આપી નહિ, પણ અદલ ન્યાય કરનારને પોતાને સોંપી દીધા.


ભૂંડાઈને બદલે ભૂંડાઈ ને નિંદાને બદલે નિંદા ન કરો. પણ તેથી ઊલટું આશીર્વાદ આપો; કેમ કે તમે આશીર્વાદના વારસ થાઓ, એ માટે તમને તેડવામાં આવ્યા છે.


માટે જેઓ ઈશ્વરની ઇચ્છા પ્રમાણે દુ:ખસહન કરે છે, તેઓ સારું કરીને પોતાના આત્માઓને વિશ્વાસ ઉત્પન્‍ન કરનારને સોંપી દે.


એટલે દાઉદે પોતાના માણસોને કહ્યું, “તમે સર્વ પોતપોતાની તરવાર કમરે બાંધો.” અને પ્રત્યેક માણસે પોતાની તરવાર કમરે બાંધી. દાઉદે પણ પોતાની તરવાર કમરે બાંધી; અને દાઉદનીસાથે આસરે ચારસો માણસ ગયા; અને બસો ઉચાળા પાસે રહ્યા.


Lean sinn:

Sanasan


Sanasan