Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 17:14 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 કોઈ પાણીને નીકળવાનું [બાકું] કરી આપે, તે માફક જ ઝઘડાનો આરંભ છે; માટે ઝઘડો થયા પહેલાં તકરાર મૂકી દો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

14 ઝઘડાનો આરંભ બંધમાં પડેલી પ્રથમ તિરાડ જેવો છે; એ વધારે વિસ્તરે એ પહેલાં તેને પૂરી દો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 કોઈ પાણીને બહાર આવવાનું બાકું કરી આપે, તે માફક જ ઝઘડાનો આરંભ છે, માટે ઝઘડો થયા અગાઉ સમાધાન કરી લો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 ઝગડાની શરૂઆત બંધમાં પડેલી તિરાડ જેવી છે; લડાઇ ફાટી નીકળે તે પહેલાં જ વાતનો નિવેડો લાવી દો.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 17:14
28 Iomraidhean Croise  

અને જુઓ, ઇઝરાયલના સર્વ માણસોએ રાજા પાસે આવીને રાજાને કહ્યું “અમારા ભાઈઓએ, એટલે યહૂદિયાના માણસોએ, તમને કેમ ચોરી લીધા છે, અને રાજાને, તેમના પરિવારને, તથા દાઉદના સર્વ માણસોને તેમની સાથે યર્દન પાર કેમ લઈ ગયા છે?”


અબિયાએ તથા તેના સૈન્યે તેઓની કતલ કરીને મોટો સંહાર કર્યો. તે વખતે ઇઝરાયલીમાંના પાંચ લાખ ચૂંટી કાઢેલા પુરુષો માર્યા ગયા.


રમાલ્યાના પુત્ર પેકાહે યહૂદિયામાં એક જ દિવેસે એક લાખ વીસ હજાર પુરુષો કે, જેઓ બધા શૂરવીર પુરુષો હતા, તેઓને મારી નાખ્યાં; કેમ કે તેઓએ પોતાના પોતૃઓના ઈશ્વર યહોવાને તજી દીધા હતા.


અભિમાનથી તો કેવળ તકરાર ઉત્પન્‍ન થાય છે. પણ સારી સલાહ માનનારાઓ પાસે જ્ઞાન છે.


જે ક્રોધ કરવે ધીમો છે તે ઘણો બુદ્ધિમાન છે; પણ ઉતાવળિયા સ્વભાવનો માણસ મૂર્ખાઈને ઉત્તેજન આપે છે.


નમ્ર ઉત્તર ક્રોધને શાંત કરી દે છે; પણ કઠોર શબ્દો રીસ ચઢાવે છે;


જે ક્રોધ કરવે ધીમો તે પરાક્રમી કરતાં સારો છે; અને જે પોતાના મિજાજને કાબૂમાં રાખે છે તે શહેર જીતનારના કરતાં ઉત્તમ છે.


કજિયો ચાહનાર ગુનો ચાહે છે; જે પોતાનો દરવાજો ઊંચો કરે છે તે પોતાનો નાશ શોધે છે.


માણસની વિવેકબુદ્ધિ તેના ક્રોધને શાંત કરે છે; અને અપરાધની દરગુજર કરવી એ તેનો મહિમા છે.


કજિયાથી દૂર રહેવું એમાં માણસની આબરૂ છે; પણ દરેક મૂર્ખ ઝઘડો કર્યા વગર રહેતો નથી.


દાવામાં જલદી ઊતરી ન પડ, રખેને આખરે તારો પ્રતિવાદી તને ઝંખવાણો પાડે, ત્યારે શું કરવું તે તને સૂઝે નહિ.


જેમ અંગારા કોલસાને, અને અગ્નિ લાકડાંને [સળગાવે છે] ; તેમ ઝઘડાખોર માણસ કજિયા સળગાવે છે.


ક્રોધી માણસ કજિયો સળગાવે છે, અને ગુસ્સાવાળો માણસ પુષ્કળ ગુના કરે છે.


જો બની શકે, તો ગમે તેમ કરીને બધાં માણસોની સાથે હળીમળીને ચાલો.


અને જેમ અમે તમને આજ્ઞા આપી તેમ શાંત રહેવાને, પોતપોતાનાં જ કામ કરવાને અને પોતાને હાથે ઉદ્યોગ કરવાને, યત્ન કરો,


Lean sinn:

Sanasan


Sanasan