Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 13:25 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

25 નેકીવાન પોતાને સંતોષ થતાં સુધી ખાય છે; પણ દુષ્ટનું પેટ ભૂખ્‍યું ને ભૂખ્યું રહેશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

25 નેકજન પોતાની ક્ષુધા સંતોષવા પૂરતું જ આરોગે છે, પણ દુષ્ટોનું પેટ ભરાતું જ નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

25 નેકીવાન પોતાને સંતોષ થતાં સુધી ખાય છે, પણ દુષ્ટનું પેટ હંમેશાં ભૂખ્યુંને ભૂખ્યું જ રહે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

25 સજ્જન પેટ ભરીને ખાય છે, પણ દુર્જનનું પેટ ખાલીને ખાલી રહે છે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 13:25
17 Iomraidhean Croise  

તે ઉત્તમ વસ્તુથી તારા મુખને તૃપ્ત કરે છે; જેથી ગરુડની જેમ તારી જુવાની તાજી કરાય છે.


નિશ્ચે હું તેના અન્‍નને આશીર્વાદ આપીશ; હું રોટલીથી તેના કંગાલોને તૃપ્ત કરીશ.


સિંહનાં બચ્ચાંને તંગી પડે છે ને ભૂખ વેઠવી પડે છે; પણ જેઓ યહોવાને શોધે છે તેઓને કોઈ પણ સારા વાનાની અછત હોશે નહિ.


ન્યાયીની પાસે જે કંઈ થોડું છે, તે ઘણા દુષ્ટોની પુષ્કળ દોલત કરતાં શ્રેષ્ઠ છે.


યહોવા પર ભરોસો રાખ, અને ભલું કર; દેશમાં રહે, અને વિશ્વાસુપણાની પાછળ લાગ,


સદાચારીના આત્માને યહોવા ભૂખે મરવા દેશે નહિ; પણ દુષ્ટની ઇચ્છાને તે નિષ્ફળ કરે છે.


જે શિખામણનો ત્યાગ કરે છે તેને દરિદ્રતા તથા બદનામી [મળશે] ; પણ જે ઠપકાને ગણકારશે તે માન પામશે.


એમ કરવાથી તારી દરિદ્રતા લૂંટારાની જેમ, તથા તારી કંગાલાવસ્થા હથિયારબંધ માણસની જેમ ચઢી આવશે.


એમ કરવાથી તારી દરિદ્રતા લૂંટારાની જેમ, અને તારી કંગાલાવસ્થા હથિયારબંધ માણસની જેમ આવી પડશે.


તેણે બધું ખરચી નાખ્યા પછી તે દેશમાં ભારે દુકાળ પડ્યો. તેને તંગી પડવા લાગી.


માટે ભૂખમાં તથા તરસમાં તથા નગ્નતામાં તથા સંપૂર્ણ દરિદ્રતામાં તું તારા શત્રુ કે, જેઓને યહોવા તારી વિરુદ્ધ મોકલશે, તેઓની સેવા કરશે. અને તારો નાશ કરતાં સુધી તે તારા ખભા પર લોઢાની ઝૂંસરી મૂકશે.


[તેઓ] ભૂખથી સુકાઈ [જશે] , ને ઉગ્ર તાપથી તથા દારૂણ વિનાશથી ખવાઈ જશે: હું તેઓ પર પશુઓના દાંત, અને ધૂળમાં પેટે ચાલનાર જાનવરોનું ઝેર રેડીશ.


કેમ કે અમે તમારી પાસે હતા ત્યારે પણ અમે [તમને] એવી આજ્ઞા કરી હતી કે, જો કોઈ માણસ કામ ન કરે, તો તેને ખવડાવવું પણ નહિ.


કેમ કે શરીરની કસરત થોડી જ ઉપયોગી છે; પણ ઈશ્વરપરાયણતા તો સર્વ વાતે ઉપયોગી છે, કેમ કે તેમાં હમણાંના તથા હવે પછીના જીવનનું પણ વચન સમાયેલું છે.


તમારો સ્વભાવ નિર્લોભી થાય; પોતાની પાસે જે હોય તેથી સંતોષી રહો, કેમ કે તેમણે કહ્યું છે. “હું તને કદી મૂકી દઈશ નહિ, અને તને તજીશ પણ નહિ.”


Lean sinn:

Sanasan


Sanasan