Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 13:20 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 જો તું જ્ઞાની પુરુષોની સંગત કરશે, તો તું જ્ઞાની થશે, પણ જે મૂર્ખનો સાથી છે તેને નુકસાન થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

20 જ્ઞાનીઓનો સત્સંગ કરનાર જ્ઞાની બને છે, પણ મૂર્ખોની સોબત પાયમાલી નોતરે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 જો તું જ્ઞાની માણસોની સંગત કરશે, તો તું જ્ઞાની થશે. પણ જે મૂર્ખની સોબત કરે છે તેને નુકસાન થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 જો તું જ્ઞાની માણસોની સંગત કરશે, તો તું જ્ઞાની થશે. પરંતુ જે મૂર્ખની સોબત કરે છે તેના બૂરા હાલ થાય છે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 13:20
27 Iomraidhean Croise  

અને ઇબ્રામનો ભત્રીજો લોત સદોમમાં રહેતો હતો, તેને પકડીને તથા તેની સર્વ સંપત્તિને લઈને તેઓ ચાલ્યા ગયા.


જે જુવાનિયા તેની સાથે મોટા થયા હતા તેઓએ તેને કહ્યું, “આ જે લોકે તમને એમ કહ્યું કે, તમારા પિતાએ અમારા પરની ઝુંસરી ભારે કરી હતી, પણ તમે તે અમારા પરની હલકી કરો. તેઓને તમારે એમ કહેવું, ‘મારી ટચલી આંગળી મારા પિતાની કમર કરતાં જાડી છે.


પણ વડીલોએ તેને આપેલી સલાહનો તેણે ત્યાગ કર્યો; અને જે જુવાનિયા તેની સાથે મોટા થયા હતા, ને જે તેની હજૂરમાં ઊભા રહેતા હતા, તેઓની સલાહ તેણે પૂછી.


અને રથાધિપતિઓએ યહોશાફાટને જોયો ત્યારે એમ થયું કે તેઓએ કહ્યું, ”નક્કી એ ઇઝરાયલનો રાજા છે.” એટલે તેઓ તેની સાથે યુદ્ધ કરવા માટે વળ્યા; એટલે યહોશાફાટે બૂમ પાડી.


ઇઝરાયલના રાજાએ યહોશાફાટને પૂછ્યું, “શું તમે યુદ્ધ કરવા માટે મારી સાથે રામોદ-ગિલ્યાદ આવશો?” યહોશાફાટે ઇઝરાયલના રાજાને કહ્યું, “જેવા તમે છો તેવો હું છું. જેવા તમારા લોક તેવા મારા લોક, ને જેવા તમારા ઘોડા તેવા મારા ઘોડા છે.”


પણ વડીલોએ એને જે સલાહ આપી હતી તે તેણે ગણકારી નહિ, ને પોતાની સાથે મોટા થયેલા જે જુવાનો તેની ખિજમતમાં રહેતા હતા તેઓની તેણે સલાહ લીધી.


દષ્ટા હનાનીનો પુત્ર યેહૂ યહોશાફાટ રાજાને મળવા આવ્યો, ને તેને કહ્યું, “શું તારે ભૂંડાને મદદ કરવી તથા યહોવાના વેરીઓ પર પ્રેમ કરવો જોઈએ? એને લીધે યહોવાનો કોપ તારા પર પ્રગટ થયો છે.


તેણે આહાબના કુટુંબના માણસોની માફક યહોવાની ર્દષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું; કેમ કે તેના પિતાના મરણ પછી તેઓએ તેને એવી શિખામણ આપી હતી કે તેથી તેનો નાશ થયો.


જે કોઈ તમારાં શાસનો પાળનારા તમારા ભક્તો છે, તે સર્વનો હું સોબતી છું.


ઇચ્છાની તૃપ્તિ આત્માને મીઠી લાગે છે; પણ દુષ્ટતાથી દૂર થવું એ મૂર્ખોને કંટાળારૂપ છે.


જો તું મૂર્ખ માણસની પાસે જશે, તો જ્ઞાની હોઠો તારા જોવામાં આવશે નહિ.


જે ઠપકાનું પરિણામ જીવન છે તે પર જે કાન ધરે છે તે જ્ઞાનીઓમાં ગણાશે.


ક્રોધી માણસ સાથે મિત્રતા ન કર; અને તામસી માણસની સોબત ન કર;


રખેને તું તેના માર્ગો શીખે, અને તારા આત્માને ફાંદામાં લાવી નાખે.


તેનું ઘર શેઓલનો માર્ગ છે કે, જે મૃત્યુના ઓરડામાં પહોંચાડે છે.


હે મૂર્ખો, [હઠ] છોડી દો, ને જીવો; અને બુદ્ધિને માર્ગે ચાલો.’


ત્યારે યહોવાનો ભય રાખનારાઓએ એકબીજા સાથે વાત કરી; અને યહોવાએ તે ધ્યાન દઈને સાંભળ્યું, અને યહોવાનું ભય રાખનારાઓને માટે તથા તેમના નામનું ચિંતન કરનારાઓને માટે યાદીનું પુસ્તક પ્રભુની હજૂરમાં લખવામાં આવ્યું.


તેઓ પ્રેરિતોના બોધમાં, સંગતમાં, રોટલી ભાંગવામાં તથા પ્રાર્થનામાં દઢતાથી લાગુ રહ્યાં.


અને પ્રેમ રાખવાને તથા સારાં કામ કરવા અરસપરસ ઉત્તેજન મળે માટે આપણે એકબીજાનો વિચાર કરીએ.


પછી આકાશમાંથી મેં બીજી એક વાણી બોલતી સાંભળી, “ઓ મારા લોકો, તમે તેનાં પાપના ભાગીદાર ન થાઓ, અને તેના પર આવનારા અનર્થોમાંનો કોઈ પણ તમારા પર ન આવે, માટે તેમાંથી નીકળી જાઓ.


Lean sinn:

Sanasan


Sanasan