Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઓબાદ્યા 1:14 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 તેના લોકોમાંથી નાસી છૂટતા હોય તેમને કાપી નાખવાને તું માર્ગમાં આડો ઊભો ન રહે. અને તેના લોકોમાંના જેઓ બચી રહેલા હોય તમને સંકટ સમયે [શત્રુઓના હાથમાં] સોંપી ન દે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

14 લોકો બચવાને નાસભાગ કરી રહ્યા હતા ત્યારે તેમની ક્તલ કરવા તારે ધોરી માર્ગની ચોકડીએ ઊભા રહેવું જોઈતું નહોતું; તેમજ બચી ગયેલા લોકને તેમની આપત્તિના વખતે તારે તેમના શત્રુઓને હવાલે કરવા જોઈતા નહોતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 નાસી જતા લોકને કાપી નાખવા માટે તું તેઓના રસ્તામાં આડો ઊભો ન રહે. અને તેના લોકના જેઓ બચેલા હોય તેઓને સંકટ સમયે શત્રુઓના હાથમાં સોંપી ન દે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 તારે તારા ભાગી જતા ભાઇઓની હત્યા કરવા રસ્તાના ફાંટા આગળ ઊભા રહેવું જોઇતું નહોતું. મુશ્કેલીનાં સમયમાં તારે બચેલા લોકોને બંદીવાન કરી લેવા જોઇતા ન હતાં.

Faic an caibideil Dèan lethbhreac




ઓબાદ્યા 1:14
10 Iomraidhean Croise  

અને આપણે ઊઠીને બેથેલ જઈએ; અને જે ઈશ્વરે મારા દુ:ખના દિવસે મારું સાંભળ્યું, ને જે રસ્તે હું ચાલ્યો તેમાં જે મારી સાથે રહ્યા, તેમને માટે ત્યાં હું વેદી બાંધીશ.”


અને તમે શત્રુઓના હાથમાં મને કેદ થવા દીધો નથી; તમે વિશાળ જગા પર મારા પગ સ્થિર કર્યા છે.


સલાહ આપો, ઇનસાફ કરો; ખરે બપોરે તારી છાયા રાતના જેવી કર; કાઢી મૂકેલાઓને સંતાડ; ભટકાનારાં વિષે ખબર ન આપ.


મોઆબના કાઢી મૂકેલાઓ તારી પાસે રહે; તું તેઓને માઠે વિનાશ કરનારાના મુખથી સંતાવાની જગા થા. કેમ કે જુલમ કરનારનો અંત આવ્યો છે, લૂંટ બંધ થઈ છે, પાયમાલી કરનારા દેશમાંથી નષ્ટ થયા છે.


તેઓએ તેને કહ્યું, “હિઝકિયા એવું કહે છે કે, આ તો સંકટનો, ઠપકાનો તથા ફજેતીનો દિવસ છે; કેમ કે છોકરાંનો પ્રસવ થવાની તૈયારી છે, ને જન્મ આપવાની શક્તિ નથી.


હાય હાય! તે દિવસ એવો ભારે છે કે તેના જેવો બીજો કોઈ નથી. તે તો યાકૂબના સંકટનો વખત છે; તોપણ તે તેમાંથી બચશે.”


યહોવા કહે છે: “ગાઝાના ત્રણ ગુનાને લીધે, હા, ચારને લીધે હું તેની શિક્ષા માંડી વાળીશ નહિ; કેમ કે અદોમને સોંપી દેવા માટે તેઓ આખી પ્રજાને ગુલામ કરીને લઈ ગયા.


યહોવા કહે છે: “તૂરના ત્રણ ગુનાને લીધે, હા, ચારને લીધે હું તેની શિક્ષા માંડી વાળીશ નહિ, કેમ કે તેઓએ ભાઈબંધીનો કરાર યાદ ન રાખતાં આખી પ્રજા અદોમને સોંપી દીધી.


પણ તારા ભાઈના સંકટ સમયે તેના હાલ તું જોઈ ન રહે, ને યહૂદાના વંશજોના વિનાશને સમયે તું તેમને જોઈને ખુશી ન થા; અને સંકટને સમયે અભિમાનથી ન બોલ.


એ માટે તમે રસ્તાઓનાં નાકાં પર જાઓ, ને જેટલા તમને મળે તેટલાને લગ્નમાં બોલાવો.”


Lean sinn:

Sanasan


Sanasan