વળી ચોખ્ખા સોનાનાં પ્યાલાં, કાતરો, તપેલાં, પળીઓ તથા ધૂપદાનીઓ; અને ભીતરના ઘરનાં એટલે પરમપવિત્રસ્થાનનાં કમાડને માટે, તેમ જ ઘરનાં એટલે મંદિરનાં કમાડને માટે સોનાનાં મિજાગરાં.
તેઓ તે કામ સમાપ્ત કરી રહ્યા, ત્યારે તેઓ બાકીના પૈસા રાજા તથા યહોયાદાની પાસે લાવ્યા, ને તેમાંથી યહોવાના મંદિરને માટે સેવાના તથા અર્પણનાં પાત્રો, ચમચાઓ તથા સોનારૂપાની બીજી વસ્તુઓ બનાવવામાં આવી. યહોયાદાની હૈયાતી સુધી તેઓ યહોવાના મંદિરમાં નિત્ય દહનીયાર્પણો ચઢાવતા હતા.
અને તેનું અર્પણ રૂપાની એક કથરોટ હતું, જેનું વજન એકસો ત્રીસ [શેકેલ] હતું, પવિત્રસ્થાનના શેકેલ પ્રમાણે સિત્તેર શેકેલ રૂપાનો એક પ્યાલો; બન્ને પાત્રો ખાદ્યાર્પણને માટે તેલમિશ્રિત મેંદાથી ભરેલાં હતાં.