Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 6:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 અને જો કોઈ તેની પડખે એકાએક મરી જાય, ન તેથી તે વૈરાગીનું માથું અભડાય, તો તે પોતાના શુદ્ધિકરણને દિવસે પોતાનું માથું મૂંડાવે, સાતમે દિવસે તે મૂંડાવે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

9 “જો કોઈ માણસ નાઝીરીની નજીક અચાનક મૃત્યુ પામે અને તેથી નાઝીરીના સમર્પિત વાળ અશુદ્ધ થાય તો તેણે સાત દિવસ સુધી રાહ જોવી અને પછી સાતમે દિવસે પોતાના વાળ કાપી નંખાવવા અને આમ તે વિધિગત રીતે શુદ્ધ ગણાશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 પરંતુ જો કોઈ વ્યક્તિનું અચાનક તેની પડખે જ અવસાન થાય અને તેથી તે વૈરાગીનું માથું અશુદ્ધ બને, તો તે પોતાના શુદ્ધિકરણના દિવસે એટલે સાતમે દિવસે તેણે પોતાના અશુદ્ધ થયેલા માથાના વાળ કપાવવા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 પરંતુ જો કોઈ વ્યક્તિનું અચાનક તેની પડખે જ અવસાન થાય અને તે અશુદ્ધ બને, તો સાત દિવસ પછી તેણે પોતાના અશુદ્ધ થયેલા માંથાના વાળ કપાવવા. કારણ કે તે દિવસે તેની શુદ્ધિ થાય છે.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 6:9
11 Iomraidhean Croise  

[તે પછી જે દિવસે] તે પવિત્રસ્થાનમાં સેવા કરવા માટે અંદરના આંગણામાં પવિત્રસ્થાનમાં જાય તે દિવસે તે પોતાનું પાપાર્થાર્પણ ચઢાવે, એમ પ્રભુ યહોવા કહે છે.


અને જેનું શુદ્ધિકરણ કરવાનું હોય, તે પોતાનાં વસ્‍ત્ર ધોઈ નાખે, ને પોતાના સર્વ વાળ મૂંડાવે, ને પાણીમાં સ્‍નાન કરે, એટલે તે શુદ્ધ થશે, અને ત્યાર પછી તે છાવણીમાં આવે, પણ તે સાત દિવસ સુધી પોતાના તંબુની બહાર રહે.


અને સાતમે દિવસે એમ થાય કે તે પોતાના માથાના બધા વાળ તથા પોતાની દાઢી તથા પોતાના ભમર મુંડાવે, એટલે પોતાના બધા વાળ ને મૂંડાવી નાખે; અને તે પોતાનાં વસ્‍ત્ર ધોઇ નાખે, ને તે પોતાનું શરીર પાણીથી ધોઈ નાખે, એટલે તે શુદ્ધ થશે.


અને નાજરી મુલાકાતમંડપના દ્રાર પાસે પોતાનું વૈરાગી માથું મૂંડાવે, ને પોતાના વૈરાગી માથાના વાળ લઈને શાંત્યર્પણોના યની નીચેના અગ્નિ પર તે મૂકે.


તેના વૈરાગ [વ્રત] ના બધા દિવસો પર્યંત તે યહોવાને માટે શુદ્ધ છે.


ત્યાર પછી ઘણા દિવસ ત્યાં રહ્યા બાદ પાઉલે ભાઈઓની વિદાય લીધી, અને પ્રિસ્કીલા તથા આકુલાની સાથે વહાણમાં બેસીને તે સિરિયા જવા ઊપડ્યો. [તે પહેલાં] તેણે કેંખ્રિયામાં માથું મુંડાવ્યું હતું, કેમ કે તેણે માનતા લીધેલી હતી.


તે સાત દિવસ પૂરા થવા આવ્યા ત્યારે આસિયાના યહૂદીઓએ તેને મંદિરમાં જોઈને સર્વ લોકોને ઉશ્કેરીને તેના પર હાથ નાખીને પકડી લીધો.


તો તારે તેને તારે ઘેર લાવવી; અને તે પોતાનું માથું મૂંડાવે, ને પોતાના નખ લેવડાવે.,


Lean sinn:

Sanasan


Sanasan