Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 5:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 અને ઇઝરાયલી લોકોની સેર્વ પવિત્ર વસ્‍તુઓનું પ્રત્યેક ઉચ્છાલીયાર્પણ કે જે તેઓ યાજકની પાસે લાવે તે તેનું થાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

9 ઇઝરાયલી લોકો પવિત્ર વસ્તુઓના વિશિષ્ટ હિસ્સાનું અર્પણ યજ્ઞકાર પાસે લાવે તો તે યજ્ઞકારનું થાય,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 અને ઇઝરાયલી લોકોની સર્વ પવિત્ર વસ્તુઓનાં દરેક ઉચ્છાલીયાર્પણ કે જે તે યાજકની પાસે લાવે તે તેનું ગણાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 “ઇસ્રાએલીઓ દેવને જે કંઈ ઉચ્છાલીયાર્પણ ઘરાવે છે, તે યાજકની ગણાય છે.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 5:9
19 Iomraidhean Croise  

અને તે હારુનનો તથા તેના દીકરાઓનો ઇઝરાયલીઓ પાસેથી સદાનો હક થશે; કેમ કે તે ઉચ્છાલીયાર્પણ છે. અને તે ઇઝરાયલી લોકો તરફથી તેઓનાં શાંત્યર્પણના યજ્ઞનું ઉચ્છાલીયાર્પણ થાય, એટલે યહોવાને માટે તેઓનું ઉચ્છાલીયાર્પણ થાય.


અને તે તમારે પવિત્ર જગામાં ખાવું. કેમ કે યહોવાના હોમયજ્ઞમાંથી તે તારું દાપું તથા તારા પુત્રોનું દાપું છે. કેમ કે મને એ પ્રમાણે આજ્ઞા મળેલી છે.


અને આરતિક્ત છાતી તથા ઉચ્છલિત બાવડું તમારે સ્વચ્છ જગામાં ખાવાં એટલે તારે તથા તારી સાથે તારાં પુત્રપુત્રીઓએ [ખાવાં] :કેમ કે ઇઝરયલી લોકોનાં શાંત્યર્પણોના યજ્ઞમાંથી તેઓ તારા દાપા તરીકે તથા તારા પુત્રોના દાપા તરીકે તમને અપાયેલાં છે.


ઉચ્છાલિત બાવડું તથા આરતિક્ત છાતી, ચરબીના હોમયજ્ઞ સહિત, યહોવાની સમક્ષ આરતી ઉતારીને આરત્યર્પણ કરવાને તેઓ લાવે. તે પણ તારું તથા તારી સાથે તારા પુત્રોનું સદાનું દાપું થાય; કેમ કે યહોવાએ એવી આજ્ઞા આપી છે.”


જે યાજક તે વડે પાપાર્થાર્પણ કરે, તે તે ખાય; પવિત્ર જગામાં, એટલે મુલાકાતમંડપના આંગણામાં તે ખાવામાં આવે.


અને તમારાં શાંત્યર્પણોના યજ્ઞમાંથી જમણું બાવડું ઉચ્છલીયાર્પણને માટે તમારે યાજકને આપવું.


કેમ કે આરતિક્ત છાતી તથા ઉચ્છાલિત બાવડું ઇઝરાયલી લોકો પાસેથી તેઓનાં શાંત્યર્પણોના યજ્ઞમાંથી મેં લીધાં છે, ને મેં તે હારુન યાજકને તથા તેના પુત્રોને ઇઝરાયલી લોકો તરફથી તેઓના હમેશના દાપા તરીકે આપ્યાં છે.”


ઇઝરાયલી લોકો જે પવિત્ર વસ્તુઓ યહોવા પ્રત્યે ચઢાવે છે તેઓનાં સર્વ ઉચ્છાલીયાર્પણ મેં તને તથા તારી સાથે તારા દિકરાઓને તથા તારી દીકરીઓને સદાના હક્ક તરીકે આપ્યાં છે; તે સદાને માટે યહોવાની સમક્ષ તારે માટે તથા તારી સાથે તારા સંતાનને માટે લૂણનો કરાર છે.”


અને યહોવાએ મૂસાને આજ્ઞા કરી હતી તેમ મૂસાએ એ કર, એટલે યહોવાનું ઉચ્છાલીયાર્પણ, એલાઝાર યાજકને આપ્યો.


પણ ગુનાએ માટટે જેને બદલો આપવો ઘટે એવો તેનો કોઈ સગો ન હોય તો ગુનાને માટે જે બદલો યહોવાને આપવાનો છે તે યાજકને મળે. વળી પ્રાયશ્ચિત્તનો ઘેટો, કે જેથી તેને માટે પ્રાયશ્ચિત્ત કરવામઆં આવશે તે પણ [યાજકને મળે.]


ફક્ત તારી પાસેની તારી અર્પિત વસ્તુઓ, તથા તારી માનતાઓ, તે તારે લઈને યહોવા જે સ્થળ પસંદ કરે ત્યાં જવું,


Lean sinn:

Sanasan


Sanasan