Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 35:25 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

25 અને પ્રજા મનુષ્યઘાતકને લોહીનું વેર લેનારના હાથમાંથી છોડાવે, ને જમાત જે આશ્રયનગરમાં તે નાસી ગયો હોય તેમાં તેને પાછો પહોંચાડે. અને પવિત્ર તેલથી અભિષિક્ત થયેલા પ્રમુખ યાજકના મરણ સુધી તે ત્યાં જ રહે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

25 સમાજે એ ખૂનીનું મરનારના સૌથી નિકટના સગાથી રક્ષણ કરવું અને જે આશ્રય નગરમાં તે નાસી છૂટયો હોય ત્યાં તેને પાછો પહોંચાડવો. પવિત્ર તેલથી અભિષિક્ત થયેલા પ્રમુખ યજ્ઞકારના મૃત્યુ સુધી તેણે તે આશ્રયનગરમાં જ રહેવું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

25 જમાત મારનારને લોહીનો બદલો લેનારના હાથથી રક્ષણ કરે, જમાત તેને જે આશ્રયનગરમાં તે નાસી ગયો હોય ત્યાં પાછો લાવે. પવિત્ર તેલથી જે યાજકનો અભિષિક્ત થયો હોય તેનું મૃત્યુ થાય ત્યાં સુધી તે ત્યાં રહે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

25 સમાંજે એ માંરનારનું મરનારના બદલો લેવા ઈચ્છતા સોથી નજીકના સગાના હાથથી રક્ષણ કરવું અને તેને એણે જે શહેરમાં આશ્રય લીધો હોય ત્યાં પાછો લાવવો, પ્રમુખ યાજકનું મૃત્યુ થાય ત્યાં સુધી તેણે એ નગરમાં રહેવું.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 35:25
15 Iomraidhean Croise  

આપણે [બધાંએ] મરવું એ નક્‍કી છે, ને જમીન પર ઢળેલું પાણી ફરી એકઠું કરી શકાતું નથી, તેના જેવાં આપણે પણ છીએ; અને ઈશ્વર [કોઈનો] જીવ લેતા નથી, પણ ઉપાયો યોજે છે, એ માટે કે, જેને કાઢી મૂકવામાં આવેલો છે તે તેનાથી [હંમેશાં] દૂર ન રહે.


અને અભિષિકતનું તેલ લઈને તે તું તેના માથા પર રેડ, ને તેને અભિષિકત કર.


અને જે પોતાના ભાઈઓ મધ્યે પ્રમુખયાજક હોય, ને જેના ઉપર અભિષેકનું તેલ રેડાયું હોય, ને તે પોષાક પહેરવા માટે જેનું શુદ્ધિકરણ કરાયું હોય, તે પોતાના વળ છોડી નાખે નહિ, ને પોતાનો પોષાક ફાડે નહિ;


જો અભિષિક્ત યાજક પાપ કરીને લોકો પર દોષ લાવે, તો જે પાપ તેણે કર્યું હોય તેને લીધે પાપાર્થાર્પણને માટે તે યહોવા પ્રત્યે એક ખોડખાંપણ વગરનો જુવાન વાછરડો ચઢાવે.


અને તેણે અભિષેકના તેલમાંથી હારુનના માથા પર રેડીને તેને પાવન કરવા માટે તેનો અભિષેક કર્યો.


તો મારનાર તથા લોહીનું વેર લેનારની વચ્ચે પ્રજા આ કાનૂનો પ્રમાણે ન્યાય કરે.


પણ જે આશ્રયનગરમાં મનુષ્યઘાતક નાસી ગયો હોય તેની સરહદની બહાર જો કોઈ વેળા તે જાય,


કેમ કે પ્રમુખયાજકના મરણ સુધી પેલાએ પોતાના આશ્રયનગરમાં રહેવું જોઈતું હતું. પણ પ્રમુખયાજકના મરણ પછી મનુષ્યઘાતક પોતાના વતનની ભૂમિમાં પાછો જાય.


અને તે ઇનસાફ માગવા માટે ન્યાયાધીશો પાસે આવે ત્યાં સુધી, અથવા જે મુખ્ય યાજક તે વખતે હોય તેના મરણ સુધી, તે નગરમાં તે રહે; ત્યાર પછી મનુષ્યઘાતક પોતાના નગરમાં, એટલે જે નગરમાંથી તે નાસી આવ્યો હોય ત્યાં, પોતાને ઘેર પાછો જાય.”


Lean sinn:

Sanasan


Sanasan