Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 35:20 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 અને જો તેણે તેને દ્વેષથી ધક્કો માર્યો હોય, અથવા લાગ જોઈ સંતાઈ રહીને તેના પર કંઈ ફેંક્યુમ હોય, ને તેથી તેનું મોત નીપજ્યું હોય,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

20-21 “જો કોઈ માણસ દ્વેષભાવને લીધે કોઈને ગબડાવી દઈને અથવા લાગ જોઈને સંતાઈ રહીને કોઈ હથિયાર ફેંકીને અથવા મુક્કા મારીને તેનું ખૂન કરે તો તે ખૂનનો દોષી છે અને તે માર્યો જાય. મરનારના સૌથી નિકટના સગાની જવાબદારી છે કે તે ખૂનીને શોધીને મારી નાખે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 તેથી જો તેણે તેને દ્વેષથી ધક્કો માર્યો હોય અથવા છુપાઇને તેના પર કંઈ ફેંક્યું હોય અને જો તે વ્યક્તિ મરી જાય,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 “તેથી જો કોઈ દ્વેશને કારણે બીજી વ્યક્તિ પર કોઈ વસ્તુનો ઘા કરીને માંરી નાખે અથવા છુપાઈને લાગ જોઈને માંરી નાખે.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 35:20
30 Iomraidhean Croise  

પણ કાઈનને તથા તેના અર્પણને માન્ય કર્યા નહિ. માટે કાઈનને બહુ રોષ ચઢયો, ને તેનું મોં ઊતરી ગયું.


અને કાઈને પોતાના ભાઈ હાબેલને કહ્યું, “આપણે ખેતરમાં જઈએ. અને તેઓ ખેતરમાં હતા ત્યારે એમ થયું કે કાઈને પોતાના ભાઈ હાબેલ સામે ઊઠીને તેને મારી નાખ્યો.


આબ્શાલોમે આમ્‍નોનને સારું કે નરસું કંઈ કહ્યું નહિ, કેમ કે આબ્શાલોમને આમ્‍નોન પર ક્રોધ ચઢ્યો હતો, કારણ કે તેણે તેની બહેન તામાર પર બળાત્કાર કર્યો હતો.


પણ યોઆબના હાથમાં તરવાર હતી તે પર અમાસાનું ધ્યાન રહ્યું નહિ; અને તેણે તે તરવાર તેના પેટમાં મારીને તેનાં આંતરડાં ભૂમિ પર પડ્યાં, તેણે તેને બીજો ઘા કર્યો નહિ; અને તે [તરત] મરી ગયો. પછી યોઆબ તથા તેનો ભાઈ અબિશાય બિખ્રીના દિકરા શેબાની પાછળ પડ્યા.


આબ્નેર પાછો હેબ્રોન આવ્યો, એટલે યોઆબ તેની સાથે એકાંતે વાત કરવા માટે તેને એક બાજુએ દરવાજામાં લઈ ગયો. ત્યાં તેણે પોતાના ભાઈ અસાહેલના ખૂનને માટે તેના પેટમાં [ખંજર] ભોકી દીધું, જેથી તે મરણ પામ્યો.


કેમ કે, જુઓ, દુષ્ટો ધનુષ્ય તાણે છે, પણછ પર બાણ તૈયાર કરે છે કે, તેઓ અંધારામાં શુદ્ધ હ્રદયવાળાઓને મારે.


અને જો કોઈ માણસ જાણીજોઈને પોતાના પડોશી પર ઘસી પડીને તેને કપટથી મારી નાખે; તો એવાને મારી વેદી આગળથી પણ કાઢીને મારી નાખવો.


દ્વેષી માણસ પોતાના હોઠોથી છળ કરે છે, પણ પોતાના અંતરમાં તે કપટ ભરી રાખે છે;


જે માણસે કોઈ પુરુષનું ખૂન કર્યું હશે, તે નાસીને ખાડામાં પડશે; કોઈએ તેને અટકાવવો નહિ.


લોહીનું વેર લેનાર પોતે જ ખૂનીને મારી નાખે; જ્યારે તે તેને મળે ત્યારે તે તેને મારી નાખે.


અથવા તો વેર હોવાથી મુક્કી મારીને તેનું મોત નિપજાવ્યું હોય, તો તેને મારનારને નક્કી દેહાતદંડ આપવો; તે ખૂની છે. લોહીનું વેર લેનાર જ્યારે તેને મળે ત્યારે તે ખૂનીને મારી નાખે.


અને હેરોદિયા તેના પર અદાવત રાખતી, ને તેને મારી નાખવા ચાહતી, પણ એમ ન કરી શકી;


અને તેઓએ ઊઠીને તેમને શહેર બહાર કાઢી મૂક્યા, અને તેમને નીચે પાડી નાખવા માટે જે પહાડ પર તેઓનું શહેર બાંધેલું હતું તેની કોરે તેઓ તેમને લઈ ગયા.


ત્યાં તે ત્રણ મહિના રહ્યો, પછી સિરિયા જવા માટે જળમાર્ગે ઊપડવાની તૈયારીમાં હતો, ત્યારે યહૂદીઓએ તેની વિરુદ્ધ કાવતરું રચ્યું, માટે તેણે મકદોનિયામાં થઈને પાછા જવાનો ઠરાવ કર્યો


માટે તમે તેઓનું કહેવું માનશો નહિ; કેમ કે તેઓમાંના ચાળીસથી વધારે માણસ તેને માટે સંતાઈ રહ્યા છે. અને તેઓ એવી પ્રતિજ્ઞાથી બંધાયા છે કે, ‘અમે તેને મારી નાખીએ નહિ ત્યાં સુધી અન્‍નજળ લઈશું નહિ, ’ હમણાં તેઓ તૈયાર છે, અને તમારા વચનની રાહ જુએ છે.”


પણ જો કોઈ માણસ પોતાના પડોશી પર દ્વેષ રાખીને લાગ તાકીને સંતાઈ રહે, ને તેની સામે ઊઠીને તેને મરણતોલ માર મારીને તેનો જીવ લે, અને જો તે એ નગરોમાંના કોઈએકમાં નાસી જાય,


પછી શાઉલે કહ્યું, “તમારે દાઉદને એમ કહેવું કે, રાજાના શત્રુઓ પર વેર વાળવા માટે પલિસ્તીઓના એકસો અગ્રચર્મ [જોઈએ છે].” હવે શાઉલનો ઇરાદો એવો હતો કે પલિસ્તીઓના હાથે દાઉદ માર્યો જાય.


દાઉદે રામાના નાયોથમાંથી નાસીને યોનાથાન પાસે આવીને કહ્યું, “મેં શું કર્યું છે? મારો શો અન્યાય છે? અને તારા પિતા આગળ મારું શું પાપ છે કે, તે મારો જીવ લેવા શોધે છે?”


વળી, મારા પિતા, જુઓ, હા, મારા હાથમાં તમારા ઝભ્ભાની કોર જુઓ, મેં તમારા ઝભ્ભાની કોર કાપી લીધી, છતાં તમને મારી નાખ્યા નહિ, તે પરથી જાણો ને સમજો કે મારા હાથમાં દુષ્ટતા કે ઉલ્લંઘન નથી. વળી, તમે જો કે મારો જીવ લેવા મારી પાછળ પડ્યા છો, તોપણ મેં તમારી વિરુદ્ધ કંઈ પાપ કર્યું નથી.


Lean sinn:

Sanasan


Sanasan