Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 35:19 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 લોહીનું વેર લેનાર પોતે જ ખૂનીને મારી નાખે; જ્યારે તે તેને મળે ત્યારે તે તેને મારી નાખે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 લોહીનો બદલો લેનાર, પોતે જ ખૂનીને મારી નાખે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 મોતનો બદલો લેનાર, ખૂનીને મળે ત્યારે તે પોતે જ તેને માંરી નાખે.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 35:19
16 Iomraidhean Croise  

જો, આજે તમે પૃથ્વીથી મને હાંકી કાઢયો છે. અને તમારા મોં આગળથી હું સતાઇશ, ને પૃથ્વી પર ભટકતો અને નાસતો ફરીશ; અને એમ થશે કે જે કોઈ મને દેખશે તે મને મારી નાખશે.”


ત્યારે તેણે કહ્યું, “રાજા કૃપા કરીને પોતાના ઈશ્વર યહોવાનું સ્મરણ કરે, કે ખૂનનું વેર લેનારાઓ બીજો વધારે નાશ ન કરે, નહિ તો તેઓ મારા દીકરાનો નાશ કરશે.” રાજાએ કહ્યું, “જીવતા યહોવાના સમ, તારા દિકરાનો એક વાળ પણ ભૂમિ પર પડશે નહિ.”


આથી, આખું કુટુંબ મારી વિરુદ્ધ ઊઠ્યું છે, અને તેઓ કહે છે, ‘જેણે પોતાના ભાઈને મારી નાખ્યો તેને અમારે સ્વાધીન કર કે, જે તેના ભાઈને તેણે મારી નાખ્યો તેના જીવને બદલે અમે તેનો જીવ લઈએ, ને એમ વારસનો પણ નાશ કરીએ:’


આબ્નેર પાછો હેબ્રોન આવ્યો, એટલે યોઆબ તેની સાથે એકાંતે વાત કરવા માટે તેને એક બાજુએ દરવાજામાં લઈ ગયો. ત્યાં તેણે પોતાના ભાઈ અસાહેલના ખૂનને માટે તેના પેટમાં [ખંજર] ભોકી દીધું, જેથી તે મરણ પામ્યો.


એમ યોઆબે તથા તેના ભાઈ અબિશાયે આબ્નેરને મારી નાખ્યો, કેમ કે તેણે તેઓના ભાઈ અસાહેલને ગિબ્યોન પાસે લડાઈમાં મારી નાખ્યો હતો.


અને તે નગરો તમારે માટે વેર લેનારના હાથમાંથી રક્ષણાર્થે થાય, એ માટે કે મનુષ્યઘાતકને ઇનસાફને માટે પ્રજાની આગળ ખડો કરવામાં આવે ત્યાં સુધી તે માર્યો જાય નહિ.


અથવા જેથી મોત નીપજવાનો સંભવ હોય, એવું લાકડાનું ઓજાર હાથમાં લઈને તે તેને મારે ને તેથી જો પેલાનું મોત નીપજે, તો તે ખૂની છે. ખૂનીને તો નક્‍કી દેહાતદંડ આપવો.


અને જો તેણે તેને દ્વેષથી ધક્કો માર્યો હોય, અથવા લાગ જોઈ સંતાઈ રહીને તેના પર કંઈ ફેંક્યુમ હોય, ને તેથી તેનું મોત નીપજ્યું હોય,


અથવા તો વેર હોવાથી મુક્કી મારીને તેનું મોત નિપજાવ્યું હોય, તો તેને મારનારને નક્કી દેહાતદંડ આપવો; તે ખૂની છે. લોહીનું વેર લેનાર જ્યારે તેને મળે ત્યારે તે ખૂનીને મારી નાખે.


તો મારનાર તથા લોહીનું વેર લેનારની વચ્ચે પ્રજા આ કાનૂનો પ્રમાણે ન્યાય કરે.


અને લોહીનું વેર લેનાર તેને તેના આશ્રયનગરની સરહદની બહાર જોઈને જો તે લોહીનું વેર લેનાર તે મનુષ્યઘાતકને મારી નાખે, તો તેને માથે ખૂનનો દોષ ન બેસે,


તો તેના નગરના વડીલો [કોઈને] મોકલીને તેને ત્યાંથી તેડી મંગાવે, ને તે માર્યો જાય માટે ખૂનનો બદલો લેનારના હાથમાં તેને સોંપે.


રખેને ખૂનનો બદલો લેનારનો મિજાજ તપી જાય ને મનુષ્યઘાતકની પાછળ લાગીને રસ્‍તો લાંબો હોવાના કારણથી તે તેને પકડી પાડીને તેને મરણતોલ માર મારે. જો કે અગાઉથી તે [મનુષ્યઘાતક] તેના પર દ્વેષ કરતો ન હોવાને લીધે તે મરણયોગ્ય ન હોય તો પણ.


એ માટે કે જો કોઈ માણસ ભૂલથી તથા અજાણતાં મનુષ્યઘાત કરે, તો તે મનુષ્યઘાતક તેમાં નાસી જાય; અને તે [નગરો] ખૂનનું વેર લેનારથી તમારા રક્ષણને અર્થે થશે.


અને જો ખૂનનું વેર લેનાર તેની પાછળ પડેલો હોય, તો તેઓ તે મનુષ્યઘાતકને તેના હાથમાં સ્વાધીન ન કરે. કેમ કે તેણે પોતાના પડોશીને અજાણતાં મારી નાખ્યો, પણ નહિ કે અગાઉથી તેના પર તેને વેર હતું.


તેણે કહ્યું, “તેઓ મારા ભાઈ, મારા સહોદર ભાઈ, હતા. હું જીવતા યહોવાની પ્રતિ લઈને કહું છુમ કે જો તેઓના જીવ તમે બચાવ્યા હોત, તો હું તમને મારી નાખત નહિ.”


Lean sinn:

Sanasan


Sanasan