Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 31:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 અને મૂસાએ લોકોને કહ્યું, “તમારામાંથી યદ્ધને માટે માણસોને શસ્‍ત્રસજ્જિત કરો કે, યહોવા તરફથી તેઓ મિદ્યાનીઓ પાસેથી બદલો લેવા માટે મિદ્યાન ઉપર ચઢાઈ કરે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3 તેથી મોશેએ લોકોને કહ્યું, “તમારામાંથી કેટલાક જુવાનોને યુદ્ધ માટે શસ્ત્રસજ્જ કરો કે તેઓ મિદ્યાનીઓ પર આક્રમણ કરે અને પ્રભુ પ્રત્યેના તેમના વર્તનનું વેર વાળે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 તેથી મૂસાએ લોકોને કહ્યું, “તમારામાંથી કેટલાક માણસો શસ્ત્રસજજ થઈને યહોવાહ તરફથી મિદ્યાનીઓ પાસેથી બદલો લેવા મિદ્યાનીઓ ઉપર હુમલો કરો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 પછી મૂસાએ લોકોને કહ્યું, “તમાંરામાંથી કેટલાકે શસ્ત્રસજજ થઈને મિદ્યાનીઓ ઉપર હુમલો કરો, અને યહોવા તમાંરા દ્વારા મિદ્યાનીઓ ઉપર બદલો લેશે.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 31:3
12 Iomraidhean Croise  

અને યેહૂને યહોવાએ કહ્યું, “મારી ર્દષ્ટિમાં જે સારું છે તે તેં કર્યું, [ને] જે બધું મારા અંત:કરણમાં હતું તે પ્રમાણે આહાબના કુટુંબનું નિકંદન તેં કર્યું તે તેં સારું કર્યું છે, તેથી તારી ચોથી પેઢી સુધીના તારા પુત્રો ઇઝરાયલની ગાદીએ બેસશે.”


તું તારા ધણી આહાબના કુટુંબનાંને મારશે કે, જેથી હું મારા સેવક પ્રબોધકોના ખૂનનું તથા યહોવાના સર્વ સેવકોના ખૂનનું વેર ઇઝબેલ પર વાળું.


અને તેણે કહ્યું કે, યહોવાએ પ્રતિ લીધી છે કે, યહોવા અમાલેક સાથે વંશપરંપરા યુદ્ધ કરશે.


સૈન્યોના ઈશ્વર યહોવાનો પોતાના શત્રુઓ પાસેથી બદલો લેવાનો આ દિવસ છે; તરવાર ખાઈને તૃપ્ત થશે, ને તેઓનું રક્ત પેટ ભરીને પીશે; કેમ કે સૈન્યોના ઈશ્વર યહોવાને ઉત્તર દેશમાં ફ્રાત નદીની પાસે બલિદાન આપવામાં આવે છે.


આપણા ઈશ્વર યહોવાએ લીધેલું વૈર, તેના મંદિર વિષે લીધેલું વૈર, સિયોનમાં જાહેર કરનારા બાબિલ દેશમાંથી છૂટેલાનો સ્વર સંભળાય છે.


હું તમારા ઉપર તરવાર લાવીશ, કે જે [તોડેલા] કરારનો બદલો લેશે. અને તમે પોતાનાં નગરોમાં એકઠાં થશો, ત્યારે હું તમારામાં મરકી મોકલીશ, અને તમે શત્રુનાં હાથમાં સોંપાશો.


“હારુન યાજકના દિકરા ફીનહાસે તેઓ મધ્યે મારા આવેશથી આવેશી થઈને ઇઝરાયલીઓ પરથી મારો કોપ પાછો વાળ્યો છે, તેથી મેં મારા આવેશમાં ઇઝરાયલનો નાશ ન કર્યો.


અને તે તેના લાભમાં તથા તેના પછી તેના વંશજોના લાભમાં સદાના યાજકપદનો કરાર થશે. કારણ કે તેણે પોતાના ઈશ્વરને માટે આવેશી થઈને ઇઝરાયલી લોકોને માટે પ્રાયશ્ચિત્ત કર્યું.”


ઇઝરાયલનાં સર્વ કુળોમાંના પ્રત્યેક કુળમાંથી એક હજારને યુદ્ધમાં મોકલો.”


“આગેવાનોએ ઇઝરાયલમાં આગેવાની કરી, અને લોકોએ રાજીખુશીથી પોતાને અર્પી દીધા, માટે તમે યહોવાને ધન્યવાદ આપો.


યહોવાના દૂતે કહ્યું, ‘મેરોઝને શાપ દો, તેની વસતિને સખત શાપ દો; કેમ કે યહોવાની મદદે [એટલે] બળવાનની સામે યહોવાની મદદે તેઓ આવ્યા નહિ.’


Lean sinn:

Sanasan


Sanasan