Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 30:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 પણ તેનો પતિ સાંભળે તે દિવસે જો તેણે તે રદ કરી હોય, તો તેની માનતા વિષે કે તેના પ્રાણના બંધન વિષે જે કંઈ તેના હોઠોમાંથી નીકળ્યું હોય તે કાયમ રહે નહિ. તેના પતિએ તે રદ કર્યાં છે; અને યહોવા તેને ક્ષમા કરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

12 પણ જો તેની માનતાની જાણ તેના પતિને થાય તે જ વખતે તે તેને પૂર્ણ કરવાની મના કરે તો તે તેને બંધનર્ક્તા નથી. તેના પતિએ તેને રદ કરી હોવાથી પ્રભુ તેને ક્ષમા કરશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 પણ તેનો પતિ સાંભળે તે દિવસે જો તે નાબૂદ કરે, તો જે સંકલ્પો તથા વચનો તેના વિષે તેના મુખમાંથી નીકળ્યા છે તે કાયમ રહે નહિ. તેના પતિએ તેને નાબૂદ કર્યા છે. યહોવાહ તેને મુક્ત કરે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 પણ જો પતિને જાણ થતાં તેને રદ કરે તો તેણે જે વચન આપ્યું હોય તે બંધનકર્તા રહે નહિ. તેના પતિએ તેને રદ કર્યા હોવાથી યહોવા તેને માંફ કરી દેશે.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 30:12
10 Iomraidhean Croise  

પણ અમે, અમારા પૂર્વજો, અમારા રાજાઓ તથ અમારા સરદારો યહૂદિયાનાં નગરોમાં તથા યરુશાલેમના મહોલ્લાઓમાં જેમ કરતા હતા, તેમ આકાશની રાણીની આગળ ધૂપ બાળવા વિષે તથા તેની આગળ પેયાર્પણો રેડવા વિષે અમે જે માનતા લીધી છે, તે પ્રમાણે અમે અવશ્ય કરીશું, કેમ કે તે વખતે તો અમારી પાસે પુષ્કળ રોટલી હતી, અને અમારી સ્થિતિ સારી હતી, ને અમે વિપત્તિ જોઈ નહોતી.


જ્યારે અમે આકાશની રાણીની આગળ ધૂપ બાળતી હતી, તથા તેને પેયાર્પણો રેડતી હતી, ત્યારે શું તમે અમારા ધણી [ની સંમતિ] વગર તેને નૈવેદ ધરાવવાને રોટલીઓ બનાવતી હતી, તથા તેને પેયાર્પણો રેડતી હતી?”


અને યાજક ઇઝરાયલની સમગ્ર પ્રજાને માટે પ્રાયશ્ચિત્ત કરે, ને તેઓને માફ કરવામાં આવશે; કેમ કે તે ભૂલ થઈ હતી, ને તેઓ પોતાનું અર્પણ, એટલે યહોવઅને માટે હોમયજ્ઞ, તથા પોતાની ભૂલને લીધે યહોવાની આગળ પોતાનું પાપાર્થાર્પણ લાવ્યા છે.


અને ભૂલ કરનાર માણસ જ્યારે અજાણતાં યહોવાની આગળ પાપ કરે, ત્યારે તેને માટે પ્રાયશ્ચિત્ત કરવા માટે યાજક પ્રાયશ્ચિત્ત કરે, અને તેને માફ કરવામાં આવશે.


ને તેનો પતિ તે સાંભળીને છાનો રહ્યો હોય, ને તેને મના કરી ના હોય, તો તેની સર્વ માનતાઓ કાયમ રહે, અને જે પ્રત્યેક બંધનથી તેણે પોતાના જીવને બાંધ્યો હોય તે પણ કાયમ રહે.


સર્વ માનતાઓને તથા આત્મકષ્ટ કરવા વિષેની પ્રત્યેક બંધનકારક પ્રતિજ્ઞા ને તેનો પતિ કાયમ કરી શકે કે રદ કરી શકે.


પણ તેના પિતા સાંભળે તે દિવસે જો તે તેને મના કરે, તો તેની માનતાઓ, અથવા જે બંધનોથી તેણે પોતાના જીવને બાંધ્યો હોય તેઓમાંનું એકે કાયમ રહેશે નહિ; અને યહોવા તેને ક્ષમા કરશે, કેમ કે તેના પિતાએ તેને મના કરી છે.


પણ તેનો પતિ સાંભળે તે દિવસે જો તે તેને મના કરે, તો જે માનતા તેને શિર હોય, ને પોતાના હોઠોના જે અવિચારી શબ્દોથી તેણે પોતાના જીવને બાંધ્યો હોય, તે તે રદ કરે; અને યહોવા તેને ક્ષમા કરશે.


પણ હું તમને જણાવવા ઇચ્છું છું કે દરેક પુરુષનું શિર ખ્રિસ્ત છે, અને સ્‍ત્રીનું શિર પુરુષ છે, અને ખ્રિસ્તનું શિર ઈશ્વર છે.


અને તેનો પતિ એલ્કાનાએ તેને કહ્યું, “તને જે સારું લાગે તે કર; તું તેને ધાવણ છોડાવે ત્યાં સુધી અહીં રહે; એટલું જ કે યહોવા પોતાનું વચન પૂર્ણ કરો.” માટે તે સ્‍ત્રી ત્યાં રહી, ને તેણે પોતાના દીકરાનું ધાવણ છોડાવ્યું ત્યાં સુધી તેને ધવાડ્યો.


Lean sinn:

Sanasan


Sanasan