Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 3:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 અને તું હારુનને તથા તેના દિકરાઓને ઠરાવ, ને તેઓ પોતાનાં યાજકપદ સાચવે. અને જે પારકો પાસે આવે તે માર્યો જાય.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

10 આરોન તથા તેના પુત્રોની તું યજ્ઞકાર તરીકે નિમણૂક કર. જો બીજું કોઈ એ પદ ભોગવવાનો પ્રયત્ન કરે તો તે માર્યો જશે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 અને તારે હારુનને અને તેના દીકરાઓને યાજકની ફરજો બજાવવા નિયુક્ત કરવા. જો કોઈ પરદેશી એ ફરજ બજાવવા જાય તો તે માર્યો જાય.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 “અને તારે હારુનને અને તેના કુળોને યાજકની ફરજો બજાવવા નિયુક્ત કરવા. જો કોઈ બિનઅધિકૃત વ્યક્તિ એ ફરજ બજાવવા જાય તો તેને મોતની સજા કરવી.”

Faic an caibideil Dèan lethbhreac




ગણના 3:10
25 Iomraidhean Croise  

અને યહોવાનો કોપ ઉઝઝા પર સળગ્યો. અને ત્યાં ઈશ્વરે તેને તેના અપરાધને લીધે માર્યો; અને ત્યાં તે ઈશ્વરના કોશ આગળ મરણ પામ્યો.


વળી તેણે ઉચ્ચસ્થાનોનાં ઘર બંધાવ્યાં, ને લેવીપુત્રોના નહિ એવા સર્વ લોકમાંથી તેણે યાજક ઠરાવ્યા.


સુલેમાને યહોવાનું મંદિર યરુશાલેમમાં બાંધ્યું નહોતું, ત્યાં સુધી તેઓ ગાયન કરીને મુલાકતમંડપના તંબુ આગળ સેવા કરતા હતા. તેઓ અનુક્રમે વારા પ્રમાણે પોતાના કામ પર હાજર રહેતા હતા.


મેં કહ્યું, “શું મારા જેવા માણસે નાસી જવું જોઈએ? અને પોતાનો જીવ બચાવવા માટે કોણ મંદિરમાં [ભરાઈ] જાય? હું અંદર નહિ જાઉં.”


અને તું તેઓને, એટલે હારુનને તથા તેના દીકરાઓને, કમરબંધ તથા ફાળિયાં બાંધ. અને હંમેશના નિયમ તરીકે તેમને યાજકપદ મળે; અને તું હારુણે તથા તેના દીકરાઓને પ્રતિષ્ઠિત કર.


વળી તમે મારી પવિત્ર વસ્તુઓ વિષેની દીક્ષા પાળી નથી; પણ મારા પવિત્રસ્થાનમાં તમારે બદલે બીજાઓને મારી દીક્ષાનો તમલ કરવા માટે રાખ્યા છે.


તે પવિત્ર વસ્તુમાંથી કોઈ પારકો ખાય નહિ, યાજકનો પારકો મહેમાન કે મજૂર પવિત્ર વસ્‍તુઓમાંથી ખાય નહિ.


અને મંડપને આગળ ચાલવાનો વખત થાય, ત્યારે લેવીઓ તેને પાડે; અને મંડપ ચોઢવાનો હોય, ત્યારે લેવીઓ તેને ઊભો કરે; અને જે પારકો પાસે આવે તે માર્યો જાય.


અને તે તને તથા તારી સાથે તારા સર્વ ભાઇઓ એટલે લેવીના દિકરાઓને, નજીક લાવ્યા છે? અને શું તમે યાજકપદ પણ માગો છો?


અને યહોવાની પાસેથી અગ્નિ ધસી આવ્યો, ને જે અઢીસો માણસો ધૂપ ચઢાવતા હતા તેઓને ભસ્મ કર્યા.


એ માટે કે તેઓ ઇઝરાયલ પ્રજા માટે સ્મરણરૂપ થાય કે, જે હારુનના સંતાનનો ન હોય એવો પારકો યહોવાની સમક્ષ ધૂપ ચઢાવવાને ન આવે કે, તેના હાલ કોરાના તથા તેની સભાનતા જેવા ન થાય. યહોવાએ મૂસાની હસ્તક તેને કહ્યું તેમ.


અને તેઓ તારી તથા સર્વ મંડપની સેવા કરે. કેવળ તેઓ પવિત્રસ્થાનનાં પાત્રોની તથા વેદીની પાસે આવે નહિ કે, તેઓ તથા તમે માર્યા ન જાઓ.


અને તું તથા તારી સાથે તારા દિકરા વેદીને લગતી તથા પડદાની અંદરની પ્રત્યેક બાબત વિષે તમારું યાજકપદ બજાવો; અને સેવા કરો. બક્ષિસરૂપી સેવા તરીકે તમને તમારું યાજકપદ હું આપું છું; અને જે પારકો પાસે આવે તે માર્યો જાય.”


અને યહોવાએ મૂસાને કહ્યું,


અને મૂસા તથા હારુન, તથા તેના દિકરા મંડપની સામે પૂર્વની બાજુએ, મુલાકાતમંડપની સામે પૂર્વ બાજુએ છાવણી કરે, ને તેઓ પવિત્રસ્થાનની સંભાળ રાખે, એટલે ઇઝરાયલીઓ [ને માટે તે] ની સંભાળ રાખે. અને જે કોઈ પારકો પાસે આવે તે માર્યો જાય.


અથવા જો સેવાનું, તો સેવામાં [તત્પર રહેવું] ; વળી જે શિક્ષક હોય તેણે શિક્ષણ આપવામાં [મંડયા રહેવું].


માટે તમે હવે પારકા તથા વિદેશી નથી, પણ પવિત્રોની સાથેના એક નગરના [રહેવાસી] તથા ઈશ્વરનાં કુટુંબના [માણસો] છો.


કેમ કે યહોવઅ તારા ઈશ્વરે તારાં સર્વ કુળોમાંથી તેને તથા તેના પુત્રોને સદાને માટે પસંદ કર્યા છે કે, તેઓ ઊભા રહીને યહોવાને નામે સેવા કરે.


વળી જો તે પૃથ્વી પર હોત, તો તે યાજક નહિ જ હોત, કેમ કે નિયમશાસ્‍ત્ર પ્રમાણે દાનાર્પણ કરનારા યાજકો તો છે જ.


મિખાને ત્યાં એક દેવસ્થાન હતું, તેણે એફોદ તથા તરાફીમ બનાવ્યાં, ને પોતાના એક દીકરાની પ્રતિષ્ઠા કરીને તેને તેનો પુરોહિત બનાવ્યો.


અને બેથ-શેમેશના માણસોએ યહોવાના કોશમાં જોયું, તેથી તેણે તે લોકોમાંના પચાસ હજાર ને સિત્તેરને માર્યા. આથી લોકોએ વિલાપ કર્યો, કેમ કે યહોવાએ તેમને મારીને મોટો ઘાણ વાળ્યો હતો.


Lean sinn:

Sanasan


Sanasan