Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 29:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 અમાવાસ્યાનું દહનીયાર્પણ તથા તેનું ખાદ્યાર્પણ તથા નિત્યનું દહનીયાર્પણ તથા તેનું ખાદ્યાર્પણ તથા તેઓનાં પેયાર્પણો, કે જે તેઓના વિધિ પ્રમાણે સુવાસને અર્થે યહોવાને હોમયજ્ઞ તરીકે [ચઢાવવામાં આવે છે] તે ઉપરાંત એ [ચઢાવવાં].

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 આ બધું પ્રતિમાસનાં દહનબલિ અને તેમનું ધાન્યઅર્પણ તથા દરરોજનાં દહનબલિ, ધાન્યઅર્પણ અને દ્રાક્ષાસવઅર્પણ ઉપરાંતનાં છે. અગ્નિબલિના આ ધાન્યઅર્પણની સુવાસ પ્રભુને પ્રસન્‍ન કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 દરેક મહિનાને પહેલું દહનીયાર્પણ, તેનું ખાદ્યાર્પણ, રોજનું ખાદ્યાર્પણ તથા તેનાં પેયાર્પણો ચઢાવવાં. જ્યારે તું આ અર્પણો ચઢાવે ત્યારે યહોવાહને સારુ સુવાસિત હોમયજ્ઞ ચઢાવવાના વિધિ તું પાળજે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 અમાંવાસ્યાના દહનાર્પણ તથા દૈનિક યજ્ઞો અને તે સાથેના ખાદ્યાર્પણ અને પેયાર્પણ ઉપરાંત આ વિશિષ્ટ અર્પણો છે. એ યહોવાની સુવાસિત આહુતિ છે.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 29:6
14 Iomraidhean Croise  

તેઓએ લેખ પ્રમાણે માંડવાઓનું પર્વ પાળ્યું, ને દરરોજ ફરજ પ્રમાણે વિધિપૂર્વક દહનીયાર્પણો ચઢાવ્યાં.


“હારુનને તથા તેના પુત્રોને એમ ફરમાવ કે, દહનીયાર્પણનો નિયમ આ છે: દહનીર્યાર્પણ આખી રાત સવાર સુધી વેદી પરની કઢાઈ ઉપર રહે, અને વેદીના અગ્નિને તેની ઉપર સળગતો રાખવો.


ત્યારે, જો અજાણતાં તથા પ્રજાના જાણ્યા વિના તે થયું હોય, તો આખી પ્રજા યહોવાને સુવાસને માટે દહનીયાર્પણ તરીકે એક વાછરડો તેના ખાદ્યાર્પણ તથા પેયાર્પણ સાથે વિધિ પ્રમાણે ચઢાવે, ને પાપાર્થાર્પણ તરીકે એક બકરો પણ.


ત્યારે જે પોતાનું અર્પણ ચઢાવે, તે પા હિન તેલથી મોહેલા એક દશાંશ એફાહ મેંદાનું ખાદ્યાર્પણ યહોવાને ચઢાવે.


પણ તમે યહોવાને સુવાસને માટે દહનીયાર્પણ ચઢાવો; એટલે બે વાછરડા, એક ઘેટો તથા પહેલા વર્ષના સાત નર હલવાન.


અને તેઓનું ખાદ્યાર્પણ તથા તેઓનાં પેયાર્પણો વાછરડાઓને માટે, ઘેટાઓને માટે, તથા હલવાનોને માટે, તેમની ગણતરી પ્રમાણે તથા વિધિ પ્રમાણે [ચઢાવો].


અને તેઓનું ખાદ્યાર્પણ તથા તેઓનાં પેયાર્પણો, ગોધાઓને માટે, ઘેટાઓને માટે, તથા હલવાનોને માટે, તેમની ગણતરી પ્રમાણે તથા વિધિ પ્રમાણે [ચઢાવો].


અને પોતાને માટે પ્રાયશ્ચિત્ત કરવાને પાપાર્થાર્પણ તરીકે એક બકરો [ચઢાવો].


અને તેનું અર્પણ રૂપાની એક કથરોટ હતું, જેનું વજન એકસો ત્રીસ [શેકેલ] હતું, પવિત્રસ્થાનના શેકેલ પ્રમાણે સિત્તેર શેકેલ રૂપાનો એક પ્યાલો; બન્‍ને પાત્રો ખાદ્યાર્પણને માટે તેલમિશ્રિત મેંદાથી ભરેલાં હતાં.


અને જો કોઈ પરદેશી તમારી મધ્યે પ્રવાસ કરતો હોય, ને તે યહોવાને માટે પાસ્ખાપર્વ પાળવા ચાહે, તો પાસ્ખાપર્વ વિધિ તથા તેના નિયમો પ્રમાણે તે કરે. પરદેશી તથા વતની બન્‍નેને માટે એક જ વિધિ થાય.”


Lean sinn:

Sanasan


Sanasan