Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 29:39 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

39 તમારાં દહનીયાર્પણોને માટે, તથા તમારાં ખાદ્યાર્પણોને માટે, તથા તમારાં પેયાર્પણોને માટે, તથા તમારાં શાંત્યર્પણોને માટે, તમારાં [ચઢાવેલાં] માનતાઓ તથા ઐચ્છિકાર્પણો ઉપરાંત, તમારે તમારાં ઠરાવેલાં પર્વોમાં યહોવાને એ ચઢાવવાં.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

39 “તમારાં નક્કી કરેલાં પર્વોએ તમારે પ્રભુને આ પ્રમાણે બલિ ચડાવવાના છે. આ બધું તમારે દહનબલિ, ધાન્યઅર્પણ, દ્રાક્ષાસવઅર્પણ, સંગતબલિ તથા માનતા અને સ્વૈચ્છિક અર્પણ ઉપરાંત ચડાવવાનાં છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

39 તમારાં આ દહનીયાર્પણો, ખાદ્યાર્પણો, પેયાર્પણો તથા શાંત્યર્પણો, તમારી પ્રતિજ્ઞાઓ તથા ઐચ્છિકાર્પણો તમારા ઠરાવેલા ઉત્સવોમાં યહોવાહને ચઢાવવાં.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

39 “તમાંરા ઠરાવેલા વાર્ષિક ઉસ્તવો દરમ્યાન આ અર્પણો ફરજિયાત છે. આ અર્પણો તમાંરી બાધાના પૂર્ણ કરવાના અર્પણો, અથવા ખાસ ભેટના અર્પણો અથવા દહનાર્પણો, ખાદ્યાર્પણો, પેયાર્પણો તથા શાંત્યર્પણોની ઉપરાંત અર્પણ કરવાના છે.”

Faic an caibideil Dèan lethbhreac




ગણના 29:39
20 Iomraidhean Croise  

તથા યહોવાની આગળ કાયમના ઠરાવેલા કાનૂન પ્રમાણે ગણીને આબ્બાથોએ, ચંદ્રદર્શનના દિવસોએ, તથા મુકરર પર્વોએ યહોવાને સર્વ દહનીયાર્પણો ચઢાવવાં.


લેવી યિમ્નાનો પુત્ર કોરે, પૂર્વ [દિશાના દરવાજા] નો દ્વારપાળ, યહોવાના અર્પણો તથા પરમપવિત્ર વસ્તું વહેંચી આપવા માટે, ઈશ્વરના ઐચ્છિકાર્પણો પર [કારભારી] હતો.


વળી રાજાની સંપત્તિનો એક ભાગ પણ દહનીયાર્પણોને માટે, એટલે સવારનાં તથા સાંજનાં દહનીયાર્પણોને માટે, તેમ જ સાબ્બાથોનાં, ચંદ્ર દર્શનના દિવસોનાં તથા નિયુક્ત પર્વોનાં દહનીયાર્પણોને માટે યહોવાના નિયમશાસ્ત્રમાં લખ્યા પ્રમાણે [તેણે આપવાનો ઠરાવ કર્યો].


તેઓએ લેખ પ્રમાણે માંડવાઓનું પર્વ પાળ્યું, ને દરરોજ ફરજ પ્રમાણે વિધિપૂર્વક દહનીયાર્પણો ચઢાવ્યાં.


તે પછી નિત્યનાં દહનીયાર્પણ, ચંદ્રદર્શનનાં, યહોવાનાં નિયુક્ત પવિત્ર પર્વોનાં, તથા યહોવાને માટે રાજીખુશીથી અર્પણ કરનારનાં ઐચ્છાકાર્પણ, [ચઢાવ્યાં].


અર્પણ કરવાની રોટલીને માટે, અને નિત્યના ખાદ્યાર્પણને માટે, સાબ્બાથોના અને ચંન્દ્રદર્શનના નિત્યના દહનીયાર્પણને માટે, તેમજ નિયુક્ત પર્વોને માટે, તથા પવિત્ર કાર્યોને માટે તથા ઇઝરાયલને માટે પ્રાયશ્ચિત કરવાને પાપાર્થાર્પણોને માટે, તથા અમારા ઈશ્વરના મંદિરનાં સર્વ કાર્યોને માટે, [આપવાનો નિયમ ઠરાવ્યો].


તમારાં ચંદ્રદર્શનનાં તથા બીજાં પર્વોથી મારું મન કંટાળે છે. તેઓ મને બોજારૂપ થઈ પડે છે. સહન કરી કરીને હું થાકી ગયો છું.


“ઇઝરાયલી લોકોને એમ કહે કે, યહોવાનાં જે મુક્કર પર્વોએ પવિત્ર મેળાવડા કરવાની જાહેરાત તમારે કરવી તે મારાં મુક્‍કર પર્વો આ છે.


અને તે દિવસે તમે કંઈ પણ [સંસારી] કામ ન કરો, કેમ કે યહોવા તમારા ઈશ્વરની સમક્ષ તમારે માટે પ્રાયશ્ચિત્ત કરવાને તે પ્રાયશ્ચિત્તનો દિવસ છે.


યહોવાના સાબ્બાથો ઉપરાંત, તથા તમારાં દાન ઉપરાંત, તથા તમારાં દાન ઉપરાંત, તથા તમારાં સર્વ ઐચ્છિકાર્પણો જે તમે યહોવાને અર્પો છો તે ઉપરાંત [એ છે].


અને શાંત્યર્પણોનો યજ્ઞ યહોવા પ્રત્યે કોઈ ચઢાવે, તો તેનો નિયમ આ છે:


જો કે તમે તમારાં દહનીયાર્પણો તથા ખદ્યાર્પણો ચઢાવવા માંડશો, તોપણ હું તેમને સ્વીકારીશ નહિ; અને તમારાં પુષ્ટ પશુઓનાં શાંત્યાર્પણોને પણ હું ગણકારીશ નહિ.


ઇઝરાયલી લોકોને આજ્ઞા કરીને તેઓને કહે કે, મારું અર્પણ, એટલે મારે માટે સુવાસિત હોમયજ્ઞ ને માટે મારું અન્‍ન તમે સંભાળીને તેમને યોગ્ય સમયે મને ચઢાવો.


અને નિત્યના દહનીયાર્પણ તથા તેના ખાદ્યાર્પણ તથા તેના પેયાર્પણ ઉપરાંત, પાપાર્થાર્પણને માટે એક બકરો [ચઢાવો].


અને યહોવાએ જે સર્વ મૂસાને ફરમાવ્યું હતું તે પ્રમાણે મૂસાએ ઇઝરાયલી લોકોને કહી સંભળાવ્યું.


વ્રત રાખનાર નાજીરીનો તથા તેના વૈરાગવ્રતને લીધે યહોવા પ્રત્યે જે અર્પણ તેણે ચઢાવવું તેનો, તથા તે સિવાય બીજું કંઈ તેને મળી શકે તેનો નિયમ આ છે. જે વ્રત તેણે લીધું હોય તે પ્રમાણે તે તેના વેરાગવ્રતના નિયમને અનુસરીને વર્તે.”


માટે તમે ખાઓ કે, પીઓ કે, જે કંઈ કરો તે સર્વ ઈશ્વરના મહિમાને અર્થે કરો.


અને ત્યાં તમારે તમારાં દહનીયાર્પણો તથા તમારા યજ્ઞ તથા તમારા દશાંશો, તથા તમારા હાથનાં ઉચ્છાલીયાર્પણો, તથા તમારી માનતાઓ, તથા તમારાં ઐચ્છિકાર્પણો, તથા તમારાં ઢોરઢાંકના તથા તમારાં ઘેટાંબકરાંનાં પહેલાં બચ્ચા લાવવાં.


Lean sinn:

Sanasan


Sanasan