Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 29:13 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 અને તમે દહનીયાર્પણ, એટલે યહોવાને માટે સુવાસિત હોમયજ્ઞ ચઢાવો. એટલે તેર વાછરડા, બે ઘેટા, પહેલ વર્ષના ચૌદ નર હલવાન. તેઓ ખોડખાંપણ વગરના હોય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

13 પર્વના પ્રથમ દિવસે પ્રભુને પ્રસન્‍ન કરવા સુવાસિત અર્પણ તરીકે તેર વાછરડા, બે ઘેટા અને ખોડખાંપણ વગરના એક વર્ષની ઉંમરના ચૌદ નર હલવાન ચડાવવા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 તે દિવસે તમે યહોવાહને માટે દહનીયાર્પણ, યહોવાહને સારુ સુવાસિત હોમયજ્ઞ ચઢાવો. તમારે ખામી વગરના તેર વાછરડા, બે ઘેટાં અને એક વર્ષની ઉંમરના ચૌદ નર હલવાન ચઢાવવાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 તે દિવસે યહોવા જેનાથી પ્રસન્ન થાય છે તે અર્પણ કરવું. તમાંરા આ વિશિષ્ટ દહનાર્પણમાં 13 વાછરડા. 2 ઘેટા અને એક વર્ષની ઉમરનાં ખોડખાંપણ વિનાનાં 14 નર હલવાન ચઢાવવાં.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 29:13
11 Iomraidhean Croise  

તેઓએ લેખ પ્રમાણે માંડવાઓનું પર્વ પાળ્યું, ને દરરોજ ફરજ પ્રમાણે વિધિપૂર્વક દહનીયાર્પણો ચઢાવ્યાં.


જો કોઈનું અર્પણ ઢોરના દહનીયાર્પણનું હોય, તો તે ખોડખાંપણ વગરનો નર ચઢાવે કે, તે પોતે યહોવાની આગળ માન્ય થાય.


અને તમારા માસોની શરૂઆતમાં તમે યહોવાને દહનીયાર્પણ ચઢાવો; એટલે બે વાછરડા, તથા એક ઘેટો, પહેલા વર્ષના સાત ખોડખાંપણ વગરના નર હલવાન;


પણ તમારે યહોવાને દહનીયાર્પણ, એટલે હોમયજ્ઞ ચઢાવવું:એટલે બે વાછરડા તથા એક ઘેટો તથા પહેલા વર્ષના સાત નર હલવાન. જો જો કે તેઓ ખોડખાંપણ વગરના હોય.


પણ તમે યહોવાને સુવાસને માટે દહનીયાર્પણ ચઢાવો; એટલે બે વાછરડા, એક ઘેટો તથા પહેલા વર્ષના સાત નર હલવાન.


અને સાતમા માસને પંદરમે દિવસે તમે પવિત્ર મેળાવડો કરો. કંઈ સંસારી કામ ન કરો, ને સાત દિવસ સુધી યહોવાને માટે પર્વ પાળો:


અને તેઓનું ખાદ્યાર્પણ તેલથી મોહેલા ત્રણ દશાંશ [એફાહ] મેંદાનું, એ તેર વાછરડાઓમાંના દરેક વાછરડાની સાથે, ને બે દશાંશ [એફાહ] એ બે ઘેટાઓમાંના દરેકની સાથે.


અને તમે યહોવાને સુવાસને માટે દહનીયાર્પણ ચઢાવો. એટલે એક વાછરડો, એક ઘેટો ને પહેલા વર્ષના સાત ખોડખાંપણ વગરના નર હલવાન.


પણ તમે યહોવાને સુવાસને માટે દહનીયાર્પણ ચઢાવો. એટલે એક વાછરડો, એક ઘેટો, પહેલા વર્ષના સાત નર હલવાન, જોજો કે તેઓ ખોડખાંપણ વગરના હોય.


તેથી, ભાઈઓ, હું તમને વિનંતી કરીને કહું છું કે, ઈશ્વરની દયાની ખાતર તમે તમારાં શરીરોનું જીવતું, પવિત્ર તથા ઈશ્વરને પસંદ પડે એવું, અર્પણ કરો; એ તમારી બુદ્ધિપૂર્વક સેવા છે.


Lean sinn:

Sanasan


Sanasan