Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 29:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 અને સાતમા માસને પંદરમે દિવસે તમે પવિત્ર મેળાવડો કરો. કંઈ સંસારી કામ ન કરો, ને સાત દિવસ સુધી યહોવાને માટે પર્વ પાળો:

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

12 “સાતમા મહિનાના પંદરમે દિવસે તમારે પવિત્ર ભક્તિસંમેલન ભરવું, સાત દિવસ સુધી તમારે પ્રભુનું પર્વ પાળવું અને અન્ય રોજિંદું કામ કરવું નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 સાતમા મહિનાના પંદરમે દિવસે તમારે યહોવાહના આદરમાં પવિત્રસભા રાખવી. રોજનું નિયત કામ કરવું નહિ, સાત દિવસ સુધી યહોવાહને માટે પર્વ પાળો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 “પછી સાતમાં મહિનાના પંદરમે દિવસે તમાંરે ધર્મસંમેલન રાખવું. રોજનું કામ કરવું નહિ, અને સાત દિવસ સુધી તમાંરે યહોવાનો ઉત્સવ ઊજવવો.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 29:12
16 Iomraidhean Croise  

યરોબામે આઠમાં માસમાં, માસને પંદરમે દિવસે, જે પર્વ યહૂદિયામાં છે તેના જેવું પર્વ ઠરાવ્યું, ને તેણે વેદી પર બલિદાન આપ્યાં. તે જ પ્રમાણે તેણે બેથેલમાં કર્યું, ને પોતાના બનાવેલા વાછરડાઓનાં બલિદાન આપ્યાં.ઉચ્ચસ્થાનોના જે યાજકો તેણે ઠરાવ્યા હતા, તેઓને તેણે બેથેલમાં રાખ્યા.


તેઓએ લેખ પ્રમાણે માંડવાઓનું પર્વ પાળ્યું, ને દરરોજ ફરજ પ્રમાણે વિધિપૂર્વક દહનીયાર્પણો ચઢાવ્યાં.


સાતમા માસના પર્વમાં ઇઝરાયલપુત્રોએ માંડવાઓમાં રહેવું, એવૌ યહોવાએ મૂસા દ્વારા આજ્ઞા આપી છે, એમ નિયમશાસ્ત્રમાં લખેલું તેઓને માલૂમ પડ્યું


પહેલા દિવસથી તે છેલ્લા દિવસ સુધી તેણે દરરોજ ઈશ્વરના નિયમશાસ્ત્રનું પુસ્તક વાંચી સંભળાવ્યું. તેઓએ સાત દિવસ સુધી પર્વ પાળ્યું. અને આઠમે દિવસે નિયમ પ્રમાણે પર્વસમાપ્તિની સભા ભરી.


વળી ખેતરમાં વાવેલામાંથી લઈને તારી મહેનતના પ્રથમ ફળનું, એટલે કાપણીનું પર્વ પાળ; અને વર્ષને અંતે ખેતરમાંથી તારી મહેનતનું ફળ ભેગું કરે ત્યારે તું સંગ્રહપર્વ પાળ.


અને તું સપ્તાહોનું પર્વ, એટલે ઘઉંની કાપણીના પ્રથમ ફળનું, તથા વર્ષને આખરે સંગ્રહનું પર્વ પાળ.


સાતમા માસની પંદરમી તારીખથી બેઠેલા પર્વમાં સાત દિવસ તે એ જ પ્રમાણે કરે; એટલે ઉપર કહ્યા પ્રમાણે પાપાર્થાર્પણ, દહનીયાર્પણ, ખાદ્યાર્પણ તથા તેલ [તે રજૂ કરે].”


પહેલે દિવસે તમારે પવિત્ર મેળાવડો કરવો. તેમાં કોઈ સંસારી કામ ન કરવું.


અને સાતમા માસને પહેલે દિવસે તમે પવિત્ર મેળાવડો કરો. કંઈ સંસારી કામ ન કરો. તે તમારે માટે રણશિંગડાં વગાડવાનો દિવસ છે.


અને તમે દહનીયાર્પણ, એટલે યહોવાને માટે સુવાસિત હોમયજ્ઞ ચઢાવો. એટલે તેર વાછરડા, બે ઘેટા, પહેલ વર્ષના ચૌદ નર હલવાન. તેઓ ખોડખાંપણ વગરના હોય.


આઠમે દિવસે તમે આખરની સભા કરો. કંઈ સંસારી કામ ન કરો:


શબ્દ સદેહ થઈને આપણામાં વસ્યો (અને પિતાના એકાકીજનિત દીકરાના મહિમા જેવો તેનો મહિમા અમે જોયો). તે કૃપા તથા સત્યતાથી ભરપૂર હતો.


Lean sinn:

Sanasan


Sanasan