Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 27:21 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 અને એલાઝાર યાજકની પાસે તે ઊભો રહે; અને ઉરીમના ચુકાદા વડે તે યહોવાની સમક્ષ તેને માટે ખબર પૂછે. તેના કહેવાથી તેઓ, એટલે તે તથા તેની સાથે ઇઝરાયલની સર્વ પ્રજા, બહાર જાય, ને તેના કહેવાથી તેઓ અંદર આવે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

21 તેણે ઈશ્વરની ઇચ્છા જાણવા માટે યજ્ઞકાર એલાઝાર પાસે જવું પડશે; જે પ્રભુ સમક્ષ ઉરીમના ચુકાદા વડે તેનો નિર્ણય મેળવશે. આ રીતે એલાઝાર યહોશુઆને અને સમગ્ર ઇઝરાયલી સમાજને દરેક બાબતમાં દોરવણી આપશે. યુધમાં જવા વિષે અને યુધમાંથી પાછા ફરવા વિષે તે સમગ્ર ઇઝરાયલી સમાજને આજ્ઞા કરશે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 એલાઝાર યાજક પાસે તે ઊભો રહે, ઉરીમના નિર્ણય વડે યહોવાહની સમક્ષ તેને માટે પૂછે. તેના કહેવાથી તેઓ, એટલે તે તથા ઇઝરાયલી લોકોની આખી જમાત બહાર જાય અને અંદર આવે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 તેણે માંરી ઈચ્છા જાણવા માંટે યાજક એલઆજાર પાસે જવું પડશે. પછી એલઆઝાર યહોવા સમક્ષ ઉરીમ પાસો નાખીને યહોવાને જવાબ મેળવશે. આ રીતે એલઆઝાર યહોશુઆને અને સમગ્ર ઇસ્રાએલી સમાંજને તેમની બધી બાબતમાં માંર્ગદર્શન આપશે.”

Faic an caibideil Dèan lethbhreac




ગણના 27:21
23 Iomraidhean Croise  

દાઉદના દિવસોમાં લાગલગાટ ત્રણ વર્ષ સુધી દુકાળ પડ્યો. દાઉદે યહોવાને એ વિષે પૂછ્યું. યહોવાએ કહ્યું, “એ તો શાઉલ તથા તેના ખૂની કુટુંબને લીધે છે, કેમ કે તેણે ગિબ્યોનીઓને મારી નાખ્યા હતા.”


સરસૂબાએ તેઓને કહ્યું કે, ઉરીમ તથા તુમ્મીમ પહેરનાર એક યાજક ઊભો થાય ત્યાં સુધી તમારે પરમપવિત્ર વસ્તુઓમાંથી ખાવું નહિ.


સરસૂબાએ તેઓને કહ્યું, “ઉરીમ અને તુમ્મીમ ધારણ કરનાર એક યાજક ઊભો થાય ત્યાં સુધી તમારે પરમ પવિત્ર વસ્તુઓમાંથી ખાવું નહિ.”


અને ન્યાયકરણના ઉરપત્રમાં તું ઉરીમ તથા તુમ્‍મીમ નાંખ; અને હારુન યહોવાની હજૂરમાં જાય, ત્યારે તેઓ તેની છાતી પર રહે. અને હારુન યહોવાની આગળ ઇઝરાયલી લોકોનો ન્યાય પોતાની છાતી પર સદા રાખે.


અને તેણે તેને ઉરપત્ર પહેરાવ્યું. અને ઉરપત્રમાં તેણે ઉરીમ તથા તુમ્મીમ જડયા.


કેમ કે યાજકના હોઠોમાં ન હોવું જોઈએ, ને લોકોએ તેના મુખમાંથી નિયમ શોધવો જોઈએ; કેમ કે તે સૈન્યોના [ઇશ્વર] યહોવાનો દૂત છે.


જે તેઓની આગળ રહીને બહાર જાય ને તેઓની આગળ રહીને અંદર આવે, ને જે તેઓને બહર ચલાવે ને તેઓને અંદર લાવે, કે યહોવાના લોક પાળક વગરનાં ઘેટાંના જેવા થઈ ન જાય.”


અને મૂસાની રૂબરૂ તથા એલાઝાર યાજકની રૂબરૂ તથા અધિપતિઓ તથા સર્વ સભાની રૂબરૂ મુલાકાતમંડપના દ્વારની પાસે તેઓએ ઊભી રહીને કહ્યું,


અને તારો કેટલોક અધિકાર તું તેને આપ કે, ઇઝરાયલની સર્વ પ્રજા તેની આજ્ઞા માને.


અને યહોવાએ જેમ મૂસાને આજ્ઞા કરી હતી તેમ તેણે કર્યું. અને તેણે યહોશુઆને બોલાવીને એલાઝાર યાજકની આગળ તથા સમગ્ર પ્રજાની આગળ તેને ઊભો કર્યો.


અને મૂસા તેઓનો દાવો યહોવાની સમક્ષ લાવ્યો.


યહોવા તારા ઈશ્વર તે તારી આગળ પાર જશે. તે તારી આગળથી આ દેશજાતિઓનો નાશ કરશે, ને તું તેઓનું વતન પામશે. જેમ યહોવાએ કહ્યું છે તેમ યહોશુઆ તારી આગળ પેલી બાજુ જશે.


અને લેવી વિષે તેણે કહ્યું, “તમારાં તુમ્મીમ તથા તમારાં ઉરીમ, -તમારો પસંદ કરેલો પુરુષ, જેની તમે માસ્સામાં પરીક્ષા કરી, જેની સાથે તમે મરીબાનાં પાણી પાસે વાદ કર્યો, -તેની સાથે છે;”


અને [ઇઝરાયલી] માણસોએ તેઓના ભાથામાંથી કંઈક લીધું, ને યહોવાની સલાહ લીધી નહિ.


હવે યહોશુઆના મરણ પછી એમ થયું કે, ઇઝરાયલી લોકોએ યહોવાને પૂછ્યું, “કનાનીઓની સામે લડવાને અમારી તરફથી તેઓ પર પહેલો કોણ ચઢાઈ કરે?”


ઇઝરાયલપુત્રો ઊઠીને બેથેલ ગયા, ને ઈશ્વરની સલાહ પૂછી; અને તેઓએ કહ્યું, “બિન્યામીનપુત્રોની સામે યુદ્ધ કરવા માટે અમારા તરફથી પહેલો કોણ ચઢાઈ કરે?” યહોવાએ કહ્યું, “યહૂદા પહેલો [જાય].”


(અને ઇઝરાયલી લોકો યહોવાની હજૂરમાં જઈને સાંજ સુધી રડ્યા. તેઓએ યહોવાની સલાહ પૂછી, “શું હું મારાભાઈ બિન્યામીનપુત્રોની સામે યુદ્ધ કરવા ફરીથી જાઉં?” અને યહોવાએ કહ્યું, “તેની સામે ચઢાઈ કર.”)


યાજકની સાથે શાઉલ વાત કરતો હતો તે દરમિયાન એમ થયું કે પલિસ્તીઓની છાવણીમાં જે ગડબડાટ થતો હતો તે વધવા લાગ્યો. શાઉલે યાજકને કહ્યું, “તારો હાથ પાછો ખેંચી લે.”


દાઉદ જાણતો હતો કે, શાઉલ મને ઉપદ્રવ કરવા યુક્તિઓ રચે છે; તેથી તેણે અબ્યાથાર યાજકને કહ્યું, “એફોદ અહીં લાવ.”


અને શાઉલે યહોવાની સલાહ પૂછી ત્યારે યહોવાએ તેને સ્વપ્નથી, કે ઉરીમથી, કે પ્રબોધકોની મારફતે કંઈ પણ ઉત્તર આપ્યો નહિ.


પછી દાઉદે અહીમેલેખના પુત્ર અબ્યાથાર યાજકને કહ્યું, “કૃપા કરીને એફોદ અહીં મારી પાસે લાવ.” એટલે અબ્યાથાર દાઉદ પાસે એફોદ લઈ આવ્યો.


Lean sinn:

Sanasan


Sanasan