Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 27:14 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 કેમ કે સીનના અરણ્યમાં પ્રજાના ઝઘડામાં, પાણીની પાસે (એટલે સીનના અરણ્યમાંના કાદેશમાં મરીબાનાં પાણી પાસે) તેઓની આગળ મને પવિત્ર માનવા વિષે મારી આજ્ઞાની વિરુદ્ધ તમે ફિતૂર કર્યું.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

14 કારણ, સીનના રણપ્રદેશમાં તમે બંનેએ મારી આજ્ઞા વિરુધ વિદ્રોહ કર્યો હતો. જ્યારે મરીબા પાસે સમગ્ર સમાજે મારી વિરુધ ફરિયાદ કરી ત્યારે તેમની સમક્ષ તમે મને પવિત્ર મનાવ્યો નહોતો.” (સીનના રણપ્રદેશમાં કાદેશ પાસે આવેલા મરીબાના ઝરણાની આ વાત છે.)

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 કેમ કે સીનના અરણ્યમાં આખી જમાતની દ્રષ્ટિમાં ખડકમાંથી વહેતા પાણી પાસે કાદેશમાં મરીબાહનાં પાણી મને પવિત્ર માનવા વિષે તેં મારી આજ્ઞાની વિરુદ્ધ બળવો કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 કારણ કે સીનના રણમાં જયારે સમગ્ર સમાંજે ઝરણા આગળ માંરી સામે ઝઘડો કર્યો હતો, ત્યારે તમે માંરી આજ્ઞાનો ભંગ કર્યો હતો: તમે તેમની આગળ માંરી શક્તિ વિષે અવિશ્વાસ પ્રગટ કર્યો અને લોકોને બતાવ્યુ નહિ કે હું પવિત્ર છું.” સીનના રણમાં આવેલા કાદેશ નજીકના “મરીબાહ”ના ઝરણાની આ વાત છે.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 27:14
12 Iomraidhean Croise  

અને તેણે તે જગાનું નામ માસ્સા તથા મરીબા પાડયું; કેમ કે ઇઝરાયલી લોકોએ તકરાર કરી, ને યહોવા અમારામાં છે કે નહિ, એમ કહીને તેઓએ યહોવાની પરીક્ષા કરી.


અને તેઓ ઉપર ગયા, ને સીનના અરણ્યથી રહોબ સુધી એટલે હમાથના બારા સુધી દેશની જાસૂસી કરી.


અને પહેલે માસે ઇઝરાયલની સમગ્ર પ્રજા સીનના અરણ્યમાં આવી; અને લોકો કાદેશમાં રહ્યા. અને ત્યાં મરિયમ મરી ગઈ, ને ત્યાં તેને દાટવામાં આવી.


હારુન પોતાના પૂર્વજોની સાથે મળી જશે; કારણ કે જે દેશ મેં ઇઝરાલી લોકોને આપ્યો છે તેમાં તે જવા પામશે નહિ, કેમ કે તમે મરીબાનાં પાણી પાસે મારા વચન વિરુદ્ધ બંડ કર્યું,


અને આ ખરાબ જગામાં અમને લાવવાને તું અમને મિસરમાંથી કેમ કાઢી લાવ્યો છે? આ તો કંઈ દાણાની કે અંજીરોની કે દ્રાક્ષાની કે દાડમોની જગા નથી; તેમ જ પીવાનું પાણી પણ બિલકુલ નથી.” અને આ ખરાબ જગામાં અમને લાવવાને તું અમને મિસરમાંથી કેમ કાઢી લાવ્યો છે? આ તો કંઈ દાણાની કે અંજીરોની કે દ્રાક્ષાની કે દાડમોની જગા નથી; તેમ જ પીવાનું પાણી પણ બિલકુલ નથી.”


અને મૂસાએ યહોવાને કહ્યું,


ઓ હઠીલાઓ અને બેસુન્‍નત મન તથા કાનવાળાઓ તમે સદા પવિત્ર આત્માની સામા થાઓ છો. જેમ તમારા પૂર્વજોએ કર્યું તેમ જ તમે પણ કરો છો.


વળી તમારે લીધે મારા પર પણ યહોવાએ કોપાયમાન થઈને કહ્યું કે, ‘તું પણ તેમાં પ્રવેશ કરશે નહિ.


પણ હું તો નક્કી આ દેશમાં જ મરવાનો, હું યર્દન ઊતરવા પામવાનો જ નથી. પણ તમે તો પેલી બાજુ જશો, ને એ ઉત્તમ દેશનું વતન પ્રાપ્ત કરશો.


Lean sinn:

Sanasan


Sanasan