Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 24:20 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 અને તેણે અમાલેકને જોઈને દ્દષ્ટાંતરૂપે કહ્યું, “અમાલેક દેશજાતિઓમાં પહેલો હતો. પણ છેવટે તેનો વિનાશ થશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

20 પછી બલામે દર્શનમાં અમાલેકીઓને જોયા અને આ અગમવાણી ઉચ્ચારી: “અમાલેકીઓ બધી પ્રજાઓમાં સૌથી બળવાન હતા, પણ અંતે તેમનો સંપૂર્ણ વિનાશ કરવામાં આવશે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 પછી બલામે અમાલેકીઓ તરફ જોઈને ભવિષ્યવાણી કરીને કહ્યું, “અમાલેકી પહેલું મોટું રાજ્ય હતું, પણ તેનો છેલ્લો અંત વિનાશ હશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 પછી બલામે અમાંલેકીઓને જોયા અને ભવિષ્યવાણી પ્રગટ કરી: “અમાંલેકીઓ સર્વ પ્રજાઓમાં આગળ હતા; પણ તેનો અંત સંપૂર્ણ વિનાશમાં આવશે.”

Faic an caibideil Dèan lethbhreac




ગણના 24:20
18 Iomraidhean Croise  

અને એસાવના દિકરા અલિફાઝની ઉપપત્ની તિમ્ના હતી. અને તેને અલિફાઝથી અમાલેક થયો. એસાવની પત્ની આદાના દિકરા એ છે.


અને બાકીના બચેલા અમાલેકીઓને તેઓએ માર્યા, ને તેઓ આજ સુધી ત્યાં વસેલા છે.


તે પછી અહાશ્વેરોશ રાજાએ અગાગના વંશજ હામ્માદાથાના પુત્ર હામાને ઊંચી પદવીએ ચઢાવ્યો. રાજાએ હામાનની બેઠક તેની સાથેના સર્વ સરદારોથી ચઢતી રાખી.


રાજાએ તે પ્રમાણે કરવાની આજ્ઞા આપી; અને સૂસામાં એવો હુકમ પ્રગટ કરવામાં આવ્યો અને હામાનના દશે પુત્રોને તેઓએ ફાંસી આપી.


અને યહોવાએ મૂસાને કહ્યું, “આ વાત યાદગીરીને માટે પુસ્તકમાં લખ, ને યહોશુઆના કાનમાં તે કહી સંભળાવ. કેમ કે હું અમાલેકનું સ્મરણ આકાશ તળેથી ભૂંસી નાખીશ.”


અને તેણે કહ્યું કે, યહોવાએ પ્રતિ લીધી છે કે, યહોવા અમાલેક સાથે વંશપરંપરા યુદ્ધ કરશે.


તેવામાં અમાલેકે આવીને રફીદીમમાં ઇઝરાયલની સાથે યુદ્ધ કર્યું.


યાકૂબમાંથી એક પુરુષ અધિકાર ધારણ કરશે, અને નગરમાંથી બાકીનાનો નાશ કરશે.”


પણ કિત્તીમના કિનારાથી વહાણો [આવશે] , અને તેઓ આશૂરને દુ:ખ દેશે, ને એબેરને દુ:ખ દેશે, અને તે પણ નાશ પામશે.”


તેની ડોલમાંથી પાણી વહેશે, અને ઘણાં પાણીઓમાં તેનું બીજ રહેશે, અને તેનો રાજા અગાગના કરતાં મોટો થશે. અને તેનું રાજ્ય પ્રતાપી રાજ્ય થશે.


અને એમ બનતું કે ઇઝરાયલીઓ વાવણી કરતા ત્યારે મિદ્યાનીઓ, અમાલેકીઓ, તથા પૂર્વ દિશાના લોકો ચઢી આવતા, એટલે તેઓ તેઓની સામે ચઢી આવતા.


તેણે બહાદુરી કરીને અમાલેકીઓને માર્યા, ને ઇઝરાયલને તેઓના લૂંટારોઓના હાથમાંથી મુક્ત કર્યા.


સૈન્યોના યહોવા એમ કહે છે, કે અમાલેકે ઇઝરાયલને મિસરમાંથી નીકળીને જતાં જે કર્યું એટલે કેવી રીતે માર્ગમાં તે તેની સામે થયો, તે મેં ધ્યાનમાં લીધું છે.


દાઉદ તથા તેના માણસો ત્રીજે દિવસે સિક્લાગ પહોંચ્યા, ત્યારે એમ બન્યું કે, અમાલેકીઓએ નેગેબ પર તથા સિક્લાગ પર હલ્‍લો કરીને સિક્લાગ પર મારો ચલાવી તેને બાળી દીધું હતું.


દાઉદે તેઓને પ્રાત:કાળથી તે બીજા દિવસની સાંજ સુધી માર્યા. અને જે ચારસો જુવાનો ઊંટો પર બેસીને નાસી ગયા તે સિવાય તેઓમાંનો એકે બચ્યો નહિ.


Lean sinn:

Sanasan


Sanasan