Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 23:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 અને તેણે દ્દષ્ટાંતરૂપે કહ્યું, “અરામથી બાલાક મને લાવ્યો છે, મોઆબનો રાજા પૂર્વના પર્વતોથી [મને લાવ્યો છે] ; આવ, મારે યાકૂબને શાપ આપ, ને આવ, ઇઝરાયલને તુચ્છકાર.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

7 બલામે પોતાને પ્રભુ તરફથી મળેલી વાણી કહી સંભળાવી. “મોઆબનો રાજા બાલાક મને અરામથી, પૂર્વની પર્વતમાળામાંથી બોલાવી લાવ્યો છે. તેણે કહ્યું, ‘આવ, અને યાકોબના વંશજોને શાપ દે; આવ, અને ઇઝરાયલીઓને ધૂત્કાર.’

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 બલામે ભવિષ્યવાણી બોલીને કહ્યું, “મોઆબનો રાજા પૂર્વના પર્વતોમાંથી એટલે અરામથી બાલાક મને લાવ્યો છે. ‘તેણે કહ્યું, આવ, મારે માટે યાકૂબને શાપ દે.’ ‘આવ, ઇઝરાયલને તુચ્છકાર.’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 બલામે યહોવા તરફથી પોતાને મળેલો સંદેશો પ્રગટ કર્યો તેણે કહ્યું: “મોઆબનો રાજા બાલાક મને અરામમાંથી, પૂર્વના પર્વતોમાંથી લઈ આવ્યો છે, અને મને કહ્યું છે, ‘આવ, માંરે માંટે યાકૂબને શ્રાપ દે! આવ અને ઇસ્રાએલને શ્રાપ દે.’

Faic an caibideil Dèan lethbhreac




ગણના 23:7
31 Iomraidhean Croise  

શેમના દિકરા : એલામ તથા આશૂર તથા આર્પાકશાદ તથા લૂદ તથા અરામ.


ઊઠ, પાદાનારામમાં તારી માના પિતા બથુએલને ઘેર જા; અને ત્યાંથી તારા મામા લાબાનની દીકરીઓમાંથી તું તારે માટે પત્ની લે.


અને યાકૂબ પોતાનાં માતાપિતાની આ માનીને પાદાનારામમાં ગયો.


તેણે ઇઝરાયલનો તિરસ્કાર કર્યો, ત્યારે દાઉદના ભાઈ શિમાયના દીકરા યોનાથાને તેને મારી નાખ્યો.


તેના પછી અહોહીના દિકરા દોદોનો દિકરો એલાઝાર હતો; પલિસ્તીઓ લડાઈને માટે એક્ત્ર થયા, ને ઇઝરાયલના માણસો જતા રહ્યા, ત્યારે દાઉદની સાથે જે ત્રણ શૂરા માણસોએ તેમને તુચ્છ ગણ્યા, તેઓમાંનો એક તે હતો.


અયૂબે પોતાના દ્દષ્ટાંતના વધારામાં વળી કહ્યું,


અયૂબે પોતાના દ્દષ્ટાંતના વધારામાં વળી કહ્યું,


મારી પાછળ પડનારાઓ મને અન્યાયથી ઘેરે છે એવા દુષ્ટોના દિવસોમાં હું શા માટે બીહું?


હું દ્દષ્ટાંત કહીને મારું મુખ ઉઘાડીશ; હું પુરાણી ગૂઢ વાતો ઉચ્ચારીશ કે,


જેમ ભટકતી ચકલી, અથવા જેમ ઊડતું અબાબીલ પક્ષી છે, તેમ વિનાકારણ આપેલો શાપ [કોઈને માથે] ઊતરતો નથી.


“હે મનુષ્યપુત્ર, ઉખાણું કહીને ઇઝરાયલ લોકોને એક ર્દ્દષ્ટાંત આપ કે,


ત્યારે મે કહ્યું, “અરે પ્રભુ યહોવા! તેઓ મારા વિષે કહે છે કે, શું તે ર્દ્દષ્ટાંતો બોલનારો નથી?’”


તે દિવસે તેઓ તમને મહેણાં મારશે, ને શોકથી વિલાપ કરશે, ને રુદન કરીને કહેશે, અમે છેક પાયમાલ થયા છીએ. તે મારા લોકનો વારસો બદલી નાખે છે. તેમણે તેને મારી પાસેથી કેવી રીતે લઈ લીધો છે! તે દંગાખોરોને અમારાં ખેતરો વહેંચી આપે છે.


શું એ સર્વ તેની વિરુદ્ધ દ્દષ્ટાંત આપીને તથ મહેણાં મારીને આ પ્રમાણે કહેશે નહિ કે, ‘જે પોતાનું નથી તેનો સંગ્રહ કરનારને અફસોસ!’ ક્યાં સુધી? તે તો કડપોથી પોતાને લાદે છે!


‘જો, જે પ્રજા મિસરમાંથી નીકળી આવી છે તેણે પૃથ્વીની સપાટીને ઢાંકી દીધી છે. હવે આવીને મારે માટે તેઓને શાપ આપ. કદાચ હું તેઓની સાથે યુદ્ધ કરીને તેઓને હાંકી કાઢી શકું, ’”


કેમ કે હું ખચીત તને માનવંતા હોદા પર ચઢાવીશ, ને જે કંઈ તું મને કહેશે તે હું કરીશ. માટે કૃપા કરીને આવ. મારે માટે આ લોકને શાપ આપ.’”


અને બાલામે દ્દષ્ટાંતરૂપે કહ્યું, “બાલાક, ઊઠ, ને સાંભળ. હે સિપ્પોરના દિકરા, મારી વાતને કાન ધર.


અને તેની પાસે તે પાછો આવ્યો, ને જુઓ, તે તથા મોઆબના સર્વ આગેવાનો તેના દહનીયાર્પણની પાસે ઊભેલા હતા.


અને તેણે દ્દષ્ટાંતરૂપે કહ્યું, “બયોરનો દિકરો બલામ કહે છે, અને જેની આંખ બંધ હતી તે કહે છે.


અને તેણે કેનીઓને જોઈને દ્દષ્ટાંતરૂપે કહ્યું, “તારું રહેઠાણ મજબૂત છે, અને તારો માળો ખડકમાં બાંધેલો છે.


અને તેણે દ્દષ્ટાંતરૂપે કહ્યું, “અરે, જ્યારે ઈશ્વર એવું કરશે ત્યારે કોણ બચશે?


અને તેણે દ્દષ્ટાંતરૂપે કહ્યું, “બયોરનો દિકરો બલામ કહે છે, અને જેની આંખ બંધ હતી તે કહે છે.


તેમણે તેઓને બીજું દ્દષ્ટાંત કહ્યું, “આકાશનું રાજ્ય ખમીર જેવું છે, જેને એક સ્‍ત્રીએ લઈને ત્રણ માપ લોટમાં મેળવી દીધું, એટલે સુધી કે તે બધો ખમીરવાળો થઈ ગયો.”


જેથી કે પ્રબોધકે જે કહ્યું હતું તે પૂરું થાય, “હું મારું મોં ઉઘાડીને દ્દષ્ટાંતો કહીશ, ને જગતનો પાયો નાખ્યાના વખતથી જે છાનાં રખાયાં છે તે હું પ્રગટ કરીશ.”


અને તેઓએ તેમને પકડવા શોધ કરી. પણ તેઓ લોકોથી બીધા; કેમ કે તેઓએ જાણ્યું કે, “તેમણે આપણા પર આ દ્દષ્ટાંત કહ્યું છે.” અને તેઓ તેમને મૂકીને ચાલ્યા ગયા.


કારણ કે જ્યારે તમે મિસરમાંથી નીકળ્યા, ત્યારે તેઓ માર્ગમાં રોટલી તથા પાણી લઈને તમારી સામે આવ્યા નહિ. અને એને લીધે કે તેઓએ અરામ-નાહરઈમના પથોરથી બેઓરના દીકરા બલામની સાથે કરાર કરીને તને શાપ આપવા તેને બોલાવ્યો.


વળી તે પલિસ્તીએ કહ્યું, “હું આજે ઇઝરાલના સૈન્યનો તિરસ્કાર કરું છું. મને એક માણસ આપો કે અમે દ્વંદ્વયુદ્ધ કરીએ.”


તારા સેવકે સિંહ તથા રીંછ એ બન્‍નેને મારી નાખ્યા; અને આ બેસુન્‍નત પલિસ્તીના હાલ પણ એ બેમાંના એકના જેવા થશે, કેમ કે તેણે જીવતા ઈશ્વરનાં સૈન્યનો તિરસ્કાર કર્યો છે.”


ત્યારે દાઉદે તે પલિસ્તીને કહ્યું, “તું તરવાર, ભાલો ને બચ્છી લ ઈને મારી સામે આવે છે, પણ હું સૈન્યોના યહોવા, ઇઝરાયલનાં સૈન્યોના ઈશ્વર, જેમનો તેં તિરસ્કાર કર્યો છે, તેમને નામે તારી સામે આવું છું.


Lean sinn:

Sanasan


Sanasan