Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 23:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 અને તેણે ઉત્તર આપ્યો, “યહોવા મારા મુખમાં જે મૂકે છે તે બોલવાને શું મારે સંભાળ ન રાખવી?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

12 પણ બલામે કહ્યું, “મારે તો પ્રભુ મારા મુખમાં જે વાચા મૂકે તે જ બોલવી ન પડે?”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 બલામે જવાબ આપીને કહ્યું, “યહોવાહ મારા મુખમાં જે વચન મૂકે તે બોલવાને મારે સંભાળ ન રાખવી?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 પરંતુ બલામે પ્રત્યુત્તર આપ્યો, “માંરે તો યહોવા બોલાવે તે જ બોલવાનું હોય છે.”

Faic an caibideil Dèan lethbhreac




ગણના 23:12
11 Iomraidhean Croise  

અને તું તેની સાથે બોલીને તેણે શું કહેવું તે તેને શીખવજેલ અને હું તારા મુખની તથા તેના મુખની સાથે હોઈશ, ને તમારે શું કરવું તે હું તમને શીખવીશ.


જ્યારે તે મીઠું મીઠું બોલે, ત્યારે તેના પર ભરોસો ન રાખ; કેમ કે તેના અંત:કરણમાં સાતગણો કંટાળો આવે એવો [ઇરાદો] છે;


અને રાત્રે ઈશ્વરે બલામની પાસે આવીને તેને કહ્યું, “જો તે માણસો તને બોલાવવાને આવ્યા હોય, તો તેઓની સાથે જા. તોપણ જે વાત હું તને કહું તે જ તારે કરવી.”


અને બલામે બાલાકને કહ્યું, “જો, હું તારી પાસે આવ્યો છું. શું હવે ગમે તે બોલવઅની મને કંઈ સત્તા છે? જે વાત ઈશ્વર મારા મુખમાં મૂકે, તે જ હું બોલીશ.”


અને બાલાકે તેને કહ્યું, “કૃપા કરીને મારી સાથે બીજે ઠેકાણે આવ કે, જ્યાંથી તું તેઓને જોઈ શકે. તું ફક્ત તેઓના સૌથી છેડા પરના ભાગને જ જોઈશ, ને તેઓ સર્વને તું નહિ જુએ. અને ત્યાંથી મારે માટે તેઓને શાપ આપ.”


જુઓ, આશીર્વાદ આપવાની [આજ્ઞા] મને મળી છે. અને તેમણે આશીર્વાદ આપ્યો છે, ને હું તે ઉલટાવી નાખી શકતો નથી.


પણ બલામે ઉત્તર આપીને બાલાકને કહ્યું, “શું મેં તને નહોતું કહ્યું, કે યહોવા જે કંઈ બોલે તે જ મારે કરવું પડશે?”


અને બલામે બાલાકને કહ્યું, “તારા દહનીયાર્પણની પાસે ઊભો રહે, ને હું જાઉં. કદાચ યહોવા મને મળવા આવશે; અને જે વાત તે મને કહેશે તે હું તને કહીશ.” અને તે એક ઉજ્જડ ટેકરી પર ગયો.


જો બાલાક પોતાનું ઘર ભરીને સોનુંરૂપું મને આપે, તોપણ મારી પોતાની મરજી પ્રમાણે ભલું કે ભૂંડું કરવાને હું યહોવાની આજ્ઞા નું ઉલ્લંઘન કરી શકતો નથી. યહોવા જે બોલે તે જ હું બોલીશ?


કેમ કે એવા માણસો આપણા પ્રભુ ખ્રિસ્તની નહિ, પણ પોતાના પેટની સેવા કરે છે; અને મીઠી મીઠી વાતો તથા ખુશામતથી ભોળા માણસોનાં મન ભમાવે છે.


તેઓ ઈશ્વર વિષે જાણવાનો ડોળ કરે છે, પણ પોતાની કરણીઓથી તેઓ તેમનો નકાર કરે છે. તેઓ ધિક્કારપાત્ર, આજ્ઞાભંગ કરનારા, ને સર્વ સારાં કામને માટે નકામા છે.


Lean sinn:

Sanasan


Sanasan