Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 23:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 યાકૂબની રજને કોણ ગણી શકે? અથવા ઇઝરાયલના ચતુર્થાંશની ગણતરી કોણ કરી શકે? મારો પ્રાણ ન્યાયને મોતે મરે, અને તેના જેવો મારો અંત આવે!”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

10 રેતીના કણની જેમ ઇઝરાયલી પ્રજા અગણિત છે. અરે, તેની વસતીના ચોથા ભાગની સંખ્યા પણ કોણ ગણી શકે? એ ઈશ્વરના લોક જેવું મોત મને મળો, અને નેકજનની જેમ મારું મૃત્યુ ચિર શાંતિમાં થાઓ!”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 યાકૂબની ધૂળને કોણ ગણી શકે અથવા ઇઝરાયલના ચતુર્થાંશની કોણ ગણતરી કરી શકે? મારું મૃત્યુ ન્યાયી વ્યક્તિના જેવું થાઓ, અને મારા જીવનનો અંત પણ તેના જેવો થાઓ!”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 ઇસ્રાએલની પ્રજા અસંખ્ય છે! ગણ્યા ગણાય નહિ તેટલા છે. માંરું મૃત્યુ સજ્જન જેવું થાઓ. ભલે માંરું જીવન ઇસ્રાએલીઓની જેમ પૂરું થાય.”

Faic an caibideil Dèan lethbhreac




ગણના 23:10
20 Iomraidhean Croise  

અને હું તારો વંશ પૃથ્વીની રજના જેટલો કરીશ; એવો કે જો કોઈ પૃથ્વીની રજને ગણી શકે તો તારો વંશ પણ ગણાય.


તે માટે ખચીત હું તને આશીર્વાદ પર આશીર્વાદ આપીશ, ને આકાશના તારા જેટલાં તથા સમુદ્રના કાંઠાની રેતી જેટલા તારાં સંતાન વધારીશ જ વધારીશ; અને તારાં સંતાન તેઓના શત્રુઓની ભાગળ કબજામાં લેશે.


અને પૃથ્વીની રજ જેટલાં તારાં સંતાન થશે, ને તું પૂર્વપશ્ચિમ તથા ઉત્તરદક્ષિણ ફેલાશે, ને તારામાં તથા તારાં સંતાનમાં પૃથ્વીનાં સર્વ ગોત્રો આશીર્વાદ પામશે.


યહોવાની દષ્ટિમાં તેમના ભક્તોનું મરણ કિંમતી છે.


નિર્દોષ માણસનો વિચાર કર, અને યથાર્થીને જો; કેમ કે શાંતિપ્રિય માણસને બદલો મળશે.


દુષ્ટને પોતાની દુષ્ટતાથી હડસેલી પાડવામાં આવે છે; પરંતુ સદાચારીને પોતાના મોતમાં આશા હોય છે.


રુબેનની છાવણીમાં જે સર્વની ગણતરી થઈ તેઓ, પોતાનાં સૈન્યો પ્રમાણે, એક લાખ એકાવન હજાર ચારસો ને પચાસ હતા. અને તેઓ બીજા [અનુક્રમે] ચાલી નીકળે.


એફ્રાઈમની છાવણીમાં જે સર્વની ગણતરી થઈ તેઓ, પોતાનાં સૈન્યો પ્રમાણે, એક લાખ આઠ હજાર ને એકસો હતા. અને તેઓ ત્રીજા [અનુક્રમે] ચાલી નીકળે.


દાનની છાવણીમાં જે સર્વની ગણતરી થઈ તેઓ એક લાખ સત્તાવન હજાર ને છસો હતા. તેઓ પોતાનિ ધજાઓ સહિત સૌથી પાછળ ચાલી નીકળે.


યહૂદાની છાવણીમાં જે સર્વની ગણતરી થઈ તેઓ, પોતાનાં સૈન્યો પ્રમાણે, એક લાખ છયાસી હજાર ને ચારસો હતા. તેઓ પ્રથમ ચાલી નીકળે.


અને બીજાઓને મારી નાખ્યા તે ઉપરાંત તેઓએ મિદ્યાનના રાજાઓને, એટલે અવી તથા રેકેમ તથા સૂર તથા હૂર તથા રેબા, એ પાંચ મિદ્યાની રાજાઓને મારી નાખ્યા. વળી તેઓએ બયોરના દિકરા બલામને તરવારથી મારી નાખ્યો.


કેમ કે અમે જાણીએ છીએ કે જો અમારું પૃથ્વી પરનું માંડવારૂપી ઘર નષ્ટ થાય, તો આકાશમાં ઈશ્વરે રચેલું, હાથે બાંધેલું નહિ, એવું અમારું સનાતન ઘર છે.


પછી મેં આકાશમાંથી એક વાણી એમ બોલતી સાંભળી, “તું એમ લખ કે, હવે પછી જે મરનારાંઓ પ્રભુમાં મરણ પામે છે, તેઓને ધન્ય છે. આત્મા કહે છે, હા, કે તેઓ પોતાની મહેનતથી વિશ્રાંતિ લે; કેમ કે તેઓનાં કામ તેઓની સાથે આવે છે.”


Lean sinn:

Sanasan


Sanasan