Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 22:38 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

38 અને બલામે બાલાકને કહ્યું, “જો, હું તારી પાસે આવ્યો છું. શું હવે ગમે તે બોલવઅની મને કંઈ સત્તા છે? જે વાત ઈશ્વર મારા મુખમાં મૂકે, તે જ હું બોલીશ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

38 ત્યારે બલામે બાલાકને કહ્યું, “જો, હું આવ્યો તો છું! પણ હવે હું ધારું તે બોલવાને મને અધિકાર છે? ઈશ્વર મારા મુખમાં જે શબ્દો મૂકે તે જ હું બોલીશ.” પછી બલામ બાલાક સાથે કિર્યાથ- હુસોથમાં ગયો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

38 ત્યારે બલામે બાલાકને જવાબ આપ્યો, “જો, હું તારી પાસે આવ્યો છું. શું મને કંઈ બોલવાનો અધિકાર છે? જે વચનો ઈશ્વરે મારા મુખમાં મૂક્યાં છે ફક્ત તે જ હું બોલીશ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

38 એટલે બલામે બાલાકને કહ્યું, “હું અહીં આવ્યો છું તે તું જુએ છે, શું તું એમ માંને છે કે હું ધારું તે કરી શકું છું? હું તો દેવ મને જે બોલાવે છે તે જ બોલું છું.”

Faic an caibideil Dèan lethbhreac




ગણના 22:38
16 Iomraidhean Croise  

મિખાયાએ કહ્યું, “જીવતા યહોવાના સમ કે યહોવા મને જે કહેશે, તે જ હું બોલીશ.”


રાજાએ તેને કહ્યું, ”હું કેટલી વાર તને સોગન દઉં કે, તારે મને યહોવાને નામે સત્ય વગર બીજું કંઈ કહેવું નહિ?”


મિખાયાએ તેને કહ્યું, “જીવતા યહોવાના સમ કે મારા ઈશ્વર મને જે કહેશે તે જ હું બોલીશ.”


યહોવા વિદેશીઓની મસલત વ્યર્થ કરે છે; તે પ્રજાઓની ધારણા નિરર્થક કરે છે.


ખચીત માણસનો કોપ તમારું સ્તવન કરશે; બાકી રહેલો [તેનો] કોપ તમે તમારી કમરે બાંધશો.


માણસના મનમાં ઘણી યોજનાઓ હોય છે; પણ યહોવાનો મનસૂબો જ કાયમ રહેશે.


તે દંભીઓનાં ચિહ્નોને ખોટાં ઠરાવે છે, ને શકુન જોનારાઓને તે બેવકૂફ બનાવે છે; તે જ્ઞાનીઓને ઊંધા કરી નાખે છે, ને તેમની વિદ્યાને તે મૂર્ખાઈ ઠરાવે છે;


આરંભથી પરિણામ જાહેર કરનાર, તથા જે થયું નથી તેની પુરાતન કાળથી ખબર આપનાર હું છું. મારો સંકલ્પ દઢ રહેશે, ને મારા સર્વ ઈરાદા હું પૂરા કરીશ.


જેની પાછળ તું નાનપણથી શ્રમ કરતી આવી છે, તે તારા ધંતરમંતર તથા તારાં પુષ્કળ જાદુ લઈને ઊભી રહેજે; તું કદાચિત લાભ પ્રાપ્ત કરી શકે, કદાચિ ભય ઉત્પન્ન કરે.


અને બાલામે બાલાકના સેવકોને ઉત્તર આપ્યો, “જો બાલાક પોતાનું ઘર ભરીને સોનુંરૂપું મને આપે તોપણ યહોવા મારા ઈશ્વરની વાણીનું ઉલ્લંઘન કરીને હું તેથી વધતુંઓછું કરી શકતો નથી.


અને બાલાકે બલામને કહ્યું, “શું મેં તને આગ્રહથી તેડાવ્યો નહોતો? તો તું મારી પાસે કેમ આવ્યો નહિ? શું હું નિ:સંશય તને માનવંતે હોદ્દે ચઢાવી શક્તો નથી?”


અને બલામ બાલાકની સાથે ગયો, ને તેઓ કિર્યાથ-હુસોથ આવ્યા.


અને બલામે તેઓને કહ્યું, “આજની રાત અહીં ઉતારો કરો, ને યહોવા મને કહેશે તેવી હું તમને ખબર આપીશ.” અને મોઆબના આગેવાનો બલામની સાથે રહ્યા.


અને બલામને યહોવાનો મેળાપ થયો, ને તેના બલામને યહોવાનો મેળાપ થયો, ને તેના મુખમાં એક વચન મૂકીને ઈશ્વરે કહ્યું, “બાલાકની પાસે પાછો જઈને તેને એમ કહે.”


પણ બલામે ઉત્તર આપીને બાલાકને કહ્યું, “શું મેં તને નહોતું કહ્યું, કે યહોવા જે કંઈ બોલે તે જ મારે કરવું પડશે?”


જો બાલાક પોતાનું ઘર ભરીને સોનુંરૂપું મને આપે, તોપણ મારી પોતાની મરજી પ્રમાણે ભલું કે ભૂંડું કરવાને હું યહોવાની આજ્ઞા નું ઉલ્લંઘન કરી શકતો નથી. યહોવા જે બોલે તે જ હું બોલીશ?


Lean sinn:

Sanasan


Sanasan