Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 22:32 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

32 અને યહોવાના દૂતે તેને કહ્યું, “તેં તારી ગધેડીને આ ત્રણ વખત કેમ મારી છે? જો, હું તારી સામો થવાને નીકળી આવ્યો છું, કેમ કે મારી આગળ તારો માર્ગ વિપરિત છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

32 પ્રભુના દૂતે તેને કહ્યું, “તેં ત્રણવાર તારી ગધેડીને કેમ મારી? તારી આ મુસાફરી મને પસંદ નથી. તેથી તને રોકવા હું આવ્યો છું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

32 યહોવાહના દૂતે તેને કહ્યું, “તેં આ ગધેડીને ત્રણ વખત શા માટે મારી છે? જો, હું તારી આગળ શત્રુ તરીકે ઊભો રહ્યો કેમ કે મારી આગળ તારા કામો દુષ્ટ હતાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

32 યહોવાના દૂતે તેને કહ્યું, “તેં આ ગધેડીને ત્રણ વખત શા માંટે માંરી! તને અટકાવવા માંટે હું જાતે રસ્તામાં આવીને ઊભો હતો. કારણ કે મને તું જાય એ ગમતું નહોતું.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 22:32
19 Iomraidhean Croise  

યહોવા સર્વને હિતકારક છે; પોતાનાં સર્વ કામો પર તેમની રહેમ છે.


પશુને, તેમ જ પોકાર કરતાં કાગડાનાં બચ્ચાંને પણ તે ખોરાક આપે છે.


તમારું ન્યાયીપણું મોટા પર્વતોના જેવું [અચળ] છે, તમારાં ન્યાયકૃત્યો ઘણાં ગહન છે, હે યહોવા, તમે માણસનું તથા પશુનું રક્ષણ કરો છો.


જે પ્રામાણિકપણે ચાલે છે, તે યહોવાનું ભય રાખે છે. પણ જે પોતાના માર્ગોમાં અવળો ચાલે છે, તે તેને તુચ્છ માને છે.


માણસના સર્વ માર્ગો તેની પોતાની નજરમાં તો ચોખ્ખા છે; પણ યહોવા તેમના મનની તુલના કરે છે.


જે કોઈ પ્રામાણિકપણાથી વર્તશે તેનો બચાવ થશે; પણ જે માણસના માર્ગો અવળા હશે તે એકદમ પડી જશે.


જે માણસ ધનવાન છતાં અવળે માર્ગે ચાલે છે, તેના કરતાં પ્રામાણિકપણાથી વર્તનાર દરિદ્રી સારો છે.


તો આ મોટું નગર નિનવે કે જેની અંદર એક લાખ વીસ હજાર એવા લોકો છે કે જેઓ પોતાનો જમણો હાથ કયો ને ડાબો હથ કયો એટલું પણ જાણતા નથી. વળી જેની અંદર ઘણાં ઢોરઢાંક છે. તે નગર પર મને દયા ન આવે?”


હે મારા લોકો, એ તો યાદ કરો કે મોઆબના રાજા બાલાકે શી મસલત કરી, ને બયોરના દીકરા બલામે તેને શો ઉત્તર આપ્યો. શિટ્ટીમથી ગિલ્ગાલ સુધી જે બન્યું [તે યાદ કરો]. જેથી તમે યહોવાનાં ન્યાયી કૃત્યો જાણો.”


અને રાત્રે ઈશ્વરે બલામની પાસે આવીને તેને કહ્યું, “જો તે માણસો તને બોલાવવાને આવ્યા હોય, તો તેઓની સાથે જા. તોપણ જે વાત હું તને કહું તે જ તારે કરવી.”


અને તે ગયો, માટે ઈશ્વરનો કોપ સળગી ઊઠ્યો; અને તેની સામે થવાને માટે યહોવાનો દૂત રસ્તામાં ઊભો રહ્યો. તે તો પોતાની ગધેડી પર બેઠેલો હતો, ને તેની સાથે તેના બે ચાકર હતા.


અને યહોવાએ ગધેડીની વાચા ખોલી, ને તેણે બલામને કહ્યું, “મેં તને શું કર્યું છે કે, તેં આ ત્રણ વખત મને મારી છે?”


અને ગધેડીએ મને જોયો ને આ ત્રણ વખત મારી સામેથી તે મરડાઈ ગઈ. જો તે મારી સામેથી મરડાઈ ગઈ ન હોત, તો અત્યાર પહેલાં મેં તને મારી નાખ્યો હોત, ને તેને બચાવી હોત.”


અને યહોવાના દૂતે બલામને કહ્યું, “આ માણસોની સાથે જા; પણ ફક્ત જે વાત હું તને કહું તે જ તારે કહેવી.” અને બલામ બાલાકના આગેવાનોની સાથે ચાલ્યો ગયો.


“અરે સર્વ કપટ તથા સર્વ કાવતરાંથી ભરપૂર, શેતાનના દીકરા, અને સર્વ ન્યાયીપણાના શત્રુ, શું પ્રભુના સીધા માર્ગને વાંકા કરવાનું તું મૂકી દઈશ નહિ?


કારણ કે જ્યારે તમે મિસરમાંથી નીકળ્યા, ત્યારે તેઓ માર્ગમાં રોટલી તથા પાણી લઈને તમારી સામે આવ્યા નહિ. અને એને લીધે કે તેઓએ અરામ-નાહરઈમના પથોરથી બેઓરના દીકરા બલામની સાથે કરાર કરીને તને શાપ આપવા તેને બોલાવ્યો.


પારે ફરતા બળદને મોં પર તું શીકી ન બાંધ.


Lean sinn:

Sanasan


Sanasan