Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 22:18 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 અને બાલામે બાલાકના સેવકોને ઉત્તર આપ્યો, “જો બાલાક પોતાનું ઘર ભરીને સોનુંરૂપું મને આપે તોપણ યહોવા મારા ઈશ્વરની વાણીનું ઉલ્લંઘન કરીને હું તેથી વધતુંઓછું કરી શકતો નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

18 પણ બલામે જવાબ આપ્યો, “જો બાલાક પોતાના મહેલનું બધું સોનુંરૂપું મને આપે તોપણ નાનીમોટી કોઈ વાતમાં હું પ્રભુ મારા ઈશ્વરની વાણીની વિરુધ જઈ શકું નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 બલામે બાલાકના માણસોને જવાબ આપ્યો, “જો બાલાક મહેલ ભરીને સોનું ચાંદી મને આપે તોપણ હું નાની કે મોટી કોઈ પણ બાબતમાં મારા યહોવાહ, મારા ઈશ્વરની આજ્ઞા વિરુદ્ધ કંઈ કરી શકું તેમ નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 બલામે બાલાકના માંણસોને જવાબ આપ્યો, “જો તે મને તેના મહેલમાંનું તમાંમ સોનું અને ચાંદી આપે તોયે હું નાની કે મોટી કોઈ પણ બાબતમાં માંરા દેવ યહોવાની આજ્ઞા વિરુદ્ધ કંઈ કરી શકું તેમ નથી.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 22:18
14 Iomraidhean Croise  

ઈશ્વરભક્તે રાજાને કહ્યું, “તું મને તારું અડધુ ઘર આપે, તો પણ હું તારી સાથે નહિ આવું, ને આ જગાએ રોટલી પણ નહિ ખાઉં, તેમ પાણી પણ નહિ પીઉં.


મિખાયાએ કહ્યું, “જીવતા યહોવાના સમ કે યહોવા મને જે કહેશે, તે જ હું બોલીશ.”


મિખાયાએ તેને કહ્યું, “જીવતા યહોવાના સમ કે મારા ઈશ્વર મને જે કહેશે તે જ હું બોલીશ.”


અથવા જે ઉમરાવો સોનાના માલિક હતા તથા રૂપાથી જેઓએ પોતાનાં ઘરો ભરી દીધાં હતાં તેઓની સાથે;


ત્યારે દાનિયેલે રાજાને ઉત્તર આપ્યો, “આપની બક્ષિસો આપની પાસે જ રહેવા દો, ને આપનાં ઇનામ બીજા કોઈને વાંચી સંભળાવીશ, ને તેનો અર્થ આપને સમજાવીશ.


માટે હવે કૃપા કરીને આજની રાત પણ અત્રે રહી જાઓ, કે યહોવા મને બીજું શું કહે છે તે હું જાણું.”


અને બલામે બાલાકને કહ્યું, “જો, હું તારી પાસે આવ્યો છું. શું હવે ગમે તે બોલવઅની મને કંઈ સત્તા છે? જે વાત ઈશ્વર મારા મુખમાં મૂકે, તે જ હું બોલીશ.”


અને બલામે તેઓને કહ્યું, “આજની રાત અહીં ઉતારો કરો, ને યહોવા મને કહેશે તેવી હું તમને ખબર આપીશ.” અને મોઆબના આગેવાનો બલામની સાથે રહ્યા.


પણ બલામે ઉત્તર આપીને બાલાકને કહ્યું, “શું મેં તને નહોતું કહ્યું, કે યહોવા જે કંઈ બોલે તે જ મારે કરવું પડશે?”


અને બલામે બાલાકને કહ્યું, “જે સંદેશિયા તેં મારી પાસે મોકલ્યા હતા તેઓને પણ મેં એમ નહોતું કહ્યું શું કે,


જો બાલાક પોતાનું ઘર ભરીને સોનુંરૂપું મને આપે, તોપણ મારી પોતાની મરજી પ્રમાણે ભલું કે ભૂંડું કરવાને હું યહોવાની આજ્ઞા નું ઉલ્લંઘન કરી શકતો નથી. યહોવા જે બોલે તે જ હું બોલીશ?


પણ પિતરે તેને કહ્યું, “ઈશ્વરનું દાન પૈસાથી વેચાતું લેવાનું તે ધાર્યું માટે તારી સાથે તારા પૈસા નાશ પામો.


તેઓ ઈશ્વર વિષે જાણવાનો ડોળ કરે છે, પણ પોતાની કરણીઓથી તેઓ તેમનો નકાર કરે છે. તેઓ ધિક્કારપાત્ર, આજ્ઞાભંગ કરનારા, ને સર્વ સારાં કામને માટે નકામા છે.


પણ બલામનું મેં સાંભળ્યું નહિ; માટે તેણે તમને આશીર્વાદ જ આપ્યો; એમ મેં તમને તેના હાથમાંથી છોડાવ્યા.


Lean sinn:

Sanasan


Sanasan